IPL શરૂ થવા પહેલા MIને લાગ્યો જોરદાર ઝટકો, આખી સીઝનથી બહાર થયો આ દિગ્ગજ બોલર

ભારતીય ક્રિકેટ ટીમ અને મુંબઈ ઇન્ડિયન (MI) માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. જસપ્રીત બૂમરાહ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023માં હિસ્સો નહીં લઈ શકે. તે આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)માં પણ નહીં રમી શકે. વન-ડે વર્લ્ડ કપને જોતા ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI) જસપ્રીત બૂમરાહ અને નેશનલ ક્રિકેટ અકાદમી (NCA) સાથે વાત કરીને તેની સર્જરી પર જલદી નિર્ણય કરી શકે છે. ગયા વર્ષે ઑગસ્ટમાં જસપ્રીત બૂમરાહ ઇજાગ્રસ્ત થઈ ગયો હતો.

તેને પીઠમાં થોડી પરેશાની આવી હતી. ગયા વર્ષે તે એશિયા કપ અને T20 વર્લ્ડ કપ પણ રમી શક્યો નહોતો. એક સ્પોર્ટ વેબસાઈટના રિપોર્ટ મુજબ, તે IPL અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પણ નહીં રમી શકે. ભારતીય ફેન્સ એ જ આશા રાખશે કે તે વન-ડે વર્લ્ડ કપ સુધીમાં ફિટ થઈ જાય. એમ કહેવામાં આવી રહ્યું છે કે તેને સર્જરીમાંથી પસાર થવું પડી શકે છે. જસપ્રીત બૂમરાહે ડિસેમ્બરમાં બોલિંગ કરવાની શરૂ કરી દીધી હતી. તે સારો થઈ ગયો છે માનતા સિલેક્ટર્સે તેને શ્રીલંકા વિરુદ્ધ વ્હાઇટ બોલ સીરિઝમાં સામેલ પણ કર્યો હતો.

પરંતુ ત્યારબાદ તે પૂરી રીતે ફિટ નથી એમ કહીને તેનું નામ પાછું લઈ લેવામાં આવ્યું હતું. જસપ્રીત બૂમરાહ આ સમયે નેશનલ ક્રિકેટ અકાદમીમાં રિહેબિલિટેશનની પ્રક્રિયાથી પસાર થઈ રહ્યો છે. તેના માટે આ સમય ખૂબ નિરાશાજનક રહ્યો છે. જાહેર રીતે તે ભારતીય ફેન્સ અને મુંબઈ ઇન્ડિયન્સના ફેન્સ માટે ખૂબ જ માઠા સમાચાર છે. એ સ્પષ્ટ નથી કે મુંબઈ ઇન્ડિયન્સ આગામી સીઝન માટે જસપ્રીત બૂમરાહની જગ્યાએ કોઈને લેવાની માગ કરશે કે નહીં.

એવી જાણકારી મળી રહી છે કે થોડા કલાક બોલિંગ કર્યા બાદ જસપ્રીત બૂમરાહને દુઃખાવો થયો અને તેને ફરીથી નેશનલ ક્રિકેટ અકાદમીમાં મોકલાવમાં આવ્યો. ટીમ મેનેજમેન્ટ આશા રાખી રહ્યું હતું કે બૂમરાહ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની છેલ્લી 2 ટેસ્ટ મેચો માટે તૈયા થઈ જશે, પરંતુ તેને પીઠમાં દુઃખાવાની ફરિયાદ હજુ પણ થઈ રહી છે. ભારતના અગ્રણી ફાસ્ટ બોલર માટે પીઠની સમસ્યા કોઈ નવી વાત નથી. એક અંગ્રેજી અખબાર સાથે હાલમાં જ વાતચીત કરતા પૂર્વ સ્ટાર સ્પિનર હરભજન સિંહે સલાહ આપી હતી કે, ભારતીય ક્રિકેટર્સને આરામની અવધિની જરૂરિયાત છે. ખાસ કરીને જ્યારથી તેઓ છેલ્લા કેટલાક વર્ષોમાં નોન-સ્ટોપ રમી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.