IPLની આ મેચ પર સંકટ, કોલકાતા પોલીસે સિક્યોરિટી આપવાનો કર્યો ઇનકાર, હવે શું થશે?

2024ની લોકસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે અને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સીઝન પણ પોતાના શાનદાર અંદાજમાં ચાલી રહી છે. 1 એપ્રિલ સુધી ટૂર્નામેન્ટમ કુલ 14 મેચ થઈ ચૂકી છે, પરંતુ આ દરમિયાન કોલકાતાથી IPLને લઈને ફેન્સને નિરાશ કરનારા સમાચાર સામે આવી રહ્યા છે. 17 એપ્રિલે કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં એક મેચ રમવાની છે. આ મેચમાં રાજસ્થાન રોયલ્સ (RR) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની ટીમ સામસામે હશે. પરંતુ હવે આ મેચ પર સંકટના વાદળ મંડરાઇ રહ્યા છે.

મીડિયા રિપોર્ટ મુજબ, કોલકાતા પોલીસે આ મેચ માટે સિક્યોરિટી આપવાનો ઇનકાર કરી દીધો છે. તેનું કારણ છે કે એ જ દિવસે રામનવમીનો તહેવાર પણ છે. આ કારણે પોલીસે સુરક્ષા આપવાનો ઇનકાર કરી દીધો છે કેમ તેણે શહેરમાં પણ સિક્યોરિટી લગાવવાની હોય છે. પોલીસે IPLને આ મેચને બીજી તારીખ પર કરાવવાનું સૂચન આપ્યું છે. જાણકારોએ કહ્યું કે, એવામાં આ બાબતે અમે વિચાર કરી રહ્યા છીએ. અમારી પહેલી પ્રાથમિકતા કોલકાતામાં મેચ કરાવવાની રહેશે. તેના માટે મેચમાં 1-2 દિવસ આગળ પાછળ થઈ શકે છે, પરંતુ મેચને બીજી જગ્યાએ શિફ્ટ કરવી ખૂબ મુશ્કેલ છે. અમે આ જ મેદાન પર મેચ કરાવવાનો પ્રયાસ કરીશું.

ઉલ્લેખનીય છે કે, શ્રેયસ ઐય્યરની કેપ્ટન્સીમાં કોલકાતા નાઈટ રાઇડર્સે અત્યાર સુધી 2 મેચ રમી છે અને બંને જ મેચમાં જીત હાંસલ કરી છે. તેની સાથે જ કોલકાતા ટીમ પોઇન્ટ્સ ટેબલમાં બીજા નંબર પર છે. બીજી તરફ સંજુ સેમસનની કેપ્ટન્સીવાળી રાજસ્થાનની ટીમે 1 એપ્રિલ સુધી 3 મેચ રમી અને ત્રણેય મેચ જીતી છે. આ ટીમ પોઇન્ટ્સ ટેબલમાં પહેલા નંબર છે. ખેર હવે જોવાનું એ રહેશે કે કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચમાં શું થશે? જો સિક્યોરિટી મળતી નથી તો BCCI શું પગલું ઉઠાવે છે? એ જોવું રસપ્રદ રહેશે.

Related Posts

Top News

હીરા ઉદ્યોગમાં 8 કરોડનું ઉઠમણું પ્રી પ્લાન્ડ હતું?

સુરતના હીરાઉદ્યોગમાં 8.20 કરોડ રૂપિયાના ઉઠમણાંની ભારે ચર્ચા છે. કતાગરગામ વિસ્તારમાં આવેલી મહંત ડાયમંડ અને રશેષ જ્વેલસના 3 ભાગીદારો સામે...
Gujarat 
હીરા ઉદ્યોગમાં 8 કરોડનું ઉઠમણું પ્રી પ્લાન્ડ હતું?

સિને પ્રેમીઓને નવા સિનેમેટિક્સ એક્સપિરિયન્સ આપવા તૈયાર છે લૂપ સિનેમા

સુરત. શહેરની સિનેમાં પ્રેમી જનતા માટે હવે ફિલ્મ નિહાળવાની સાથે રીફ્રેશ થવા માટેની વધુ એક જગ્યા ઉમેરાઈ છે અને તે...
Entertainment 
સિને પ્રેમીઓને નવા સિનેમેટિક્સ એક્સપિરિયન્સ આપવા તૈયાર છે લૂપ સિનેમા

તિરંગા યાત્રાથી ઓપરેશન સિંદૂરનું ગર્વ ભાજપે લીધું પણ કોંગ્રેસ અને અન્ય પક્ષો કેમ બેઠા રહ્યા?

(ઉત્કર્ષ પટેલ) ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' દ્વારા આતંકવાદ સામે સફળ કાર્યવાહી કરી જેમાં પહેલગામ હુમલાનો બદલો લેવાયો અને...
Opinion 
તિરંગા યાત્રાથી ઓપરેશન સિંદૂરનું ગર્વ ભાજપે લીધું પણ કોંગ્રેસ અને અન્ય પક્ષો કેમ બેઠા રહ્યા?

શું ભાજપના દાવથી ફરી એકવાર દેશમાં મંડલ રાજનીતી શરૂ થશે?

જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. ભાજપ, જે અગાઉ મંડલ રાજનીતિનો વિરોધ કરતુ હતું તેણે...
Politics 
શું ભાજપના દાવથી ફરી એકવાર દેશમાં મંડલ રાજનીતી શરૂ થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.