IPLની આ મેચ પર સંકટ, કોલકાતા પોલીસે સિક્યોરિટી આપવાનો કર્યો ઇનકાર, હવે શું થશે?

2024ની લોકસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે અને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સીઝન પણ પોતાના શાનદાર અંદાજમાં ચાલી રહી છે. 1 એપ્રિલ સુધી ટૂર્નામેન્ટમ કુલ 14 મેચ થઈ ચૂકી છે, પરંતુ આ દરમિયાન કોલકાતાથી IPLને લઈને ફેન્સને નિરાશ કરનારા સમાચાર સામે આવી રહ્યા છે. 17 એપ્રિલે કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં એક મેચ રમવાની છે. આ મેચમાં રાજસ્થાન રોયલ્સ (RR) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની ટીમ સામસામે હશે. પરંતુ હવે આ મેચ પર સંકટના વાદળ મંડરાઇ રહ્યા છે.

મીડિયા રિપોર્ટ મુજબ, કોલકાતા પોલીસે આ મેચ માટે સિક્યોરિટી આપવાનો ઇનકાર કરી દીધો છે. તેનું કારણ છે કે એ જ દિવસે રામનવમીનો તહેવાર પણ છે. આ કારણે પોલીસે સુરક્ષા આપવાનો ઇનકાર કરી દીધો છે કેમ તેણે શહેરમાં પણ સિક્યોરિટી લગાવવાની હોય છે. પોલીસે IPLને આ મેચને બીજી તારીખ પર કરાવવાનું સૂચન આપ્યું છે. જાણકારોએ કહ્યું કે, એવામાં આ બાબતે અમે વિચાર કરી રહ્યા છીએ. અમારી પહેલી પ્રાથમિકતા કોલકાતામાં મેચ કરાવવાની રહેશે. તેના માટે મેચમાં 1-2 દિવસ આગળ પાછળ થઈ શકે છે, પરંતુ મેચને બીજી જગ્યાએ શિફ્ટ કરવી ખૂબ મુશ્કેલ છે. અમે આ જ મેદાન પર મેચ કરાવવાનો પ્રયાસ કરીશું.

ઉલ્લેખનીય છે કે, શ્રેયસ ઐય્યરની કેપ્ટન્સીમાં કોલકાતા નાઈટ રાઇડર્સે અત્યાર સુધી 2 મેચ રમી છે અને બંને જ મેચમાં જીત હાંસલ કરી છે. તેની સાથે જ કોલકાતા ટીમ પોઇન્ટ્સ ટેબલમાં બીજા નંબર પર છે. બીજી તરફ સંજુ સેમસનની કેપ્ટન્સીવાળી રાજસ્થાનની ટીમે 1 એપ્રિલ સુધી 3 મેચ રમી અને ત્રણેય મેચ જીતી છે. આ ટીમ પોઇન્ટ્સ ટેબલમાં પહેલા નંબર છે. ખેર હવે જોવાનું એ રહેશે કે કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચમાં શું થશે? જો સિક્યોરિટી મળતી નથી તો BCCI શું પગલું ઉઠાવે છે? એ જોવું રસપ્રદ રહેશે.

About The Author

Related Posts

Top News

નેહા સાથે લગ્ન કર્યાના 15 દિવસમાં પતિએ પોલીસ ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા

હાપુરની એક નવપરિણીત દુલ્હનની ખુશીને ત્યારે મોટો ઝટકો લાગ્યો જ્યારે તેનો પતિ લગ્નના 15 દિવસ પછી જ તેને છોડીને મંદિરમાં...
National 
નેહા સાથે લગ્ન કર્યાના 15 દિવસમાં પતિએ પોલીસ ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા

હું ભગવાનમાં માનતો નથી, હું દશરથના માર્ગે ચાલું છુંઃ કમલ હાસન

દક્ષિણ અભિનેતા કમલ હાસન આ દિવસોમાં તેમની આગામી ફિલ્મ 'ઠગ લાઈફ'ને લઈને સમાચારમાં છે. અભિનેતા તેના પ્રમોશનમાં...
Entertainment 
હું ભગવાનમાં માનતો નથી, હું દશરથના માર્ગે ચાલું છુંઃ કમલ હાસન

સુરતના પ્રસિદ્ધ ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ ડૉ. જેની ગાંધી મુખ્યમંત્રી દ્વારા સન્માનિત

સુરત: ગુજરાત અને સુરતના જાણીતા ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ ડૉ. જેની ગાંધીને ન્યુરોવાસ્ક્યુલર અને પેરિફેરલ વાસ્ક્યુલર ઇન્ટરવેન્શન રેડિયોલોજીના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન બદલ...
Gujarat 
સુરતના પ્રસિદ્ધ ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ ડૉ. જેની ગાંધી મુખ્યમંત્રી દ્વારા સન્માનિત

ડૉ. ગૌરવ ખંડેલવાલનું સ્પાઈન સર્જરીના ક્ષેત્રમાં મુખ્યમંત્રીએ કર્યું બહુમાન

સુરતઃ શેલ્બી હોસ્પિટલ્સ લિમિટેડ, સુરતના સ્પાઈન સર્જરી વિભાગના વડા ડૉ. ગૌરવ ખંડેલવાલ દેશના અગ્રણી સ્પાઈન સર્જન તરીકે ઓળખાય છે. તેમણે...
Gujarat 
ડૉ. ગૌરવ ખંડેલવાલનું સ્પાઈન સર્જરીના ક્ષેત્રમાં મુખ્યમંત્રીએ કર્યું બહુમાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.