પાકિસ્તાના હેડ કોચ કહે- ભારતમાં કડી સુરક્ષા, એટલે ટીમ ખરાબ પ્રદર્શન કરી રહી છે

પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે વર્લ્ડ કપ 2023 એટલો સારો રહ્યો નથી. ન્યૂઝીલેન્ડ સામેની મેચ જો પાકિસ્તાન હારી જાય છે તો તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ જશે. પાકિસ્તાનના ખરાબ પ્રદર્શનની વચ્ચે કોચ મિકી આર્થરે તો ટાઇટ સિક્યોરિટીને જ પાકિસ્તાનના ખરાબ પરર્ફોમેંસ માટે જવાબદાર ગણાવ્યા છે. આર્થરે કહ્યું કે, અમારા ખેલાડીઓને આઝાદીથી રમવાની આદત છે. પણ અમે એટલી સિક્યોરિટીની વચ્ચે છે કે પોતાનો નાશ્તો પણ એકબીજા સાથે કરી શકતા નથી.

મિકી આર્થરે ન્યૂઝીલેન્ડ સામેની મેચ પહેલાની કોન્ફરેંસમાં કહ્યું કે, અમારા માટે સૌથી મુશ્કેલ વાત એ છે કે અમે એટલી કડક સિક્યોરિટીની વચ્ચે છે. સાચું કહું તો મને આ મુશ્કેલ પરિસ્થિતિ લાગી રહી છે. એવું લાગી રહ્યું છે કે અમે કોરોના કાળમાં આવી ગયા છે. અમે અહીં પોતાની હોટલમાં તેના માળ અને રૂમ સુધી જ સીમિત રહ્યા છે. એટલી ટાઇટ સિક્યોરિટી છે કે અમારો નાશ્તો પણ એકલતામાં થાય છે. અમે અમારા ખેલાડીઓ સાથે જોઇએ એટલી વાતચીત કરી શકતા નથી.

આર્થર આગળ કહે છે, અમારા ખેલાડીઓને આઝાદીથી રહેવાની આદત છે. પણ અમે અહીં કશે બહાર જઇ શકતા નથી. અમને કશે પણ બહાર જવાની પરવાનગી નથી. જો અમે અલગ અલગ જગ્યાએ કશુ ખાવાનું ટ્રાય કરવા ઇચ્છીએ તો એ પણ અમે કરી શકતા નથી. અમારા માટે આ દમ ઘૂંટવા જેવું છે.

જણાવીએ કે, આ પહેલીવાર નથી જ્યારે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કોટ મિકી આર્થર તેમની ટીમના ખરાબ પ્રદર્શન માટે ભારત અને ભારતીય ક્રિકેટ બોર્ડને જવાબદાર ગણાવી રહ્યા છે. આ પહેલા પણ ભારત સામેની હાર બાદ આર્થરે કહ્યું હતું કે, ભારત અને પાકિસ્તાનની મેચ ICC ઈવેન્ટ લાગી રહી નહોતી. આ એક દ્વીપક્ષીય સીરિઝ લાગી રહી હતી. મેં માઈક્રોફોનથી દિલ-દિલ પાકિસ્તાન સાંભળ્યું નહીં. મેચના પરિણામ પર આ વાતોની અસર પડે છે.

 

Related Posts

Top News

સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

સામાન્ય રીતે એવી છાપ છે કે ભારતીય આર્મીમાં ગુજરાતીઓ જોડાતા નથી, ગુજરાતીઓને માત્ર બિઝનેસમાં જ રસ છે. પરંતુ ઓપરેશન...
Gujarat 
સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

પાકિસ્તાન અધિકૃત બલુચિસ્તાનમાં બલુચ લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને તેમનો રાષ્ટ્રીય ચુકાદો છે કે બલુચિસ્તાન પાકિસ્તાન નથી અને...
World 
બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

સરકાર આગામી સમયમાં બેન્કિંગ સિસ્ટમને લઈને કેટલાક મોટા ફેરફારની યોજના બનાવી રહી છે. એક તરફ, સરકાર IDBI બેન્કમાં લગભગ ...
Business 
આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

ઉત્તર પ્રદેશના બરેલીથી એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, ફખરુદ્દીન નામનો વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં લંગડાતા ચાલતો જોવા મળે છે. ફખરુદ્દીન...
National 
'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.