પાકિસ્તાના હેડ કોચ કહે- ભારતમાં કડી સુરક્ષા, એટલે ટીમ ખરાબ પ્રદર્શન કરી રહી છે

પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે વર્લ્ડ કપ 2023 એટલો સારો રહ્યો નથી. ન્યૂઝીલેન્ડ સામેની મેચ જો પાકિસ્તાન હારી જાય છે તો તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ જશે. પાકિસ્તાનના ખરાબ પ્રદર્શનની વચ્ચે કોચ મિકી આર્થરે તો ટાઇટ સિક્યોરિટીને જ પાકિસ્તાનના ખરાબ પરર્ફોમેંસ માટે જવાબદાર ગણાવ્યા છે. આર્થરે કહ્યું કે, અમારા ખેલાડીઓને આઝાદીથી રમવાની આદત છે. પણ અમે એટલી સિક્યોરિટીની વચ્ચે છે કે પોતાનો નાશ્તો પણ એકબીજા સાથે કરી શકતા નથી.

મિકી આર્થરે ન્યૂઝીલેન્ડ સામેની મેચ પહેલાની કોન્ફરેંસમાં કહ્યું કે, અમારા માટે સૌથી મુશ્કેલ વાત એ છે કે અમે એટલી કડક સિક્યોરિટીની વચ્ચે છે. સાચું કહું તો મને આ મુશ્કેલ પરિસ્થિતિ લાગી રહી છે. એવું લાગી રહ્યું છે કે અમે કોરોના કાળમાં આવી ગયા છે. અમે અહીં પોતાની હોટલમાં તેના માળ અને રૂમ સુધી જ સીમિત રહ્યા છે. એટલી ટાઇટ સિક્યોરિટી છે કે અમારો નાશ્તો પણ એકલતામાં થાય છે. અમે અમારા ખેલાડીઓ સાથે જોઇએ એટલી વાતચીત કરી શકતા નથી.

આર્થર આગળ કહે છે, અમારા ખેલાડીઓને આઝાદીથી રહેવાની આદત છે. પણ અમે અહીં કશે બહાર જઇ શકતા નથી. અમને કશે પણ બહાર જવાની પરવાનગી નથી. જો અમે અલગ અલગ જગ્યાએ કશુ ખાવાનું ટ્રાય કરવા ઇચ્છીએ તો એ પણ અમે કરી શકતા નથી. અમારા માટે આ દમ ઘૂંટવા જેવું છે.

જણાવીએ કે, આ પહેલીવાર નથી જ્યારે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કોટ મિકી આર્થર તેમની ટીમના ખરાબ પ્રદર્શન માટે ભારત અને ભારતીય ક્રિકેટ બોર્ડને જવાબદાર ગણાવી રહ્યા છે. આ પહેલા પણ ભારત સામેની હાર બાદ આર્થરે કહ્યું હતું કે, ભારત અને પાકિસ્તાનની મેચ ICC ઈવેન્ટ લાગી રહી નહોતી. આ એક દ્વીપક્ષીય સીરિઝ લાગી રહી હતી. મેં માઈક્રોફોનથી દિલ-દિલ પાકિસ્તાન સાંભળ્યું નહીં. મેચના પરિણામ પર આ વાતોની અસર પડે છે.

 

About The Author

Related Posts

Top News

દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

દિલ્હી યુનિવર્સિટી (DU)એ ગુરુવારે સ્પષ્ટ કરી દીધું કે તેના કોઈપણ કોર્સમાં મનુસ્મૃતિ ભણાવવામાં નહીં આવે. આ નિવેદન ત્યારે...
Education 
દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

ભલે આજે દુનિયા આધુનિક બની ગઇ હોય, આસમાનમાં પહોંચવાની વાત થતી હોય, પરંતુ આજની તારીખે પણ દહેજનું દુષણ...
National 
કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

2016માં રિલીઝ થયેલી ફિલ્મ 'દંગલ'માં સુપરસ્ટાર આમિર ખાને મહાવીર સિંહ ફોગટની ભૂમિકા ભજવી હતી. તે કુસ્તીબાજો...
Entertainment 
આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં અઢી વર્ષથી કારમી મંદીને કારણે લાખો રત્નકલાકારોએ રોજગારી ગુમાવી છે એ વિશે દેશભરમાં ભારે ઉહાપોગ મચી જતા...
Gujarat 
એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!
Copyright (c) Khabarchhe All Rights Reserved.