ગુજરાતના કેપ્ટન શુભમન ગિલે જણાવ્યું હારનું સૌથી મોટું કારણ

ગુજરાત ટાઇટન્સ (GT) IPL 2025માં સૌથી પહેલા પ્લેઓફમાં જગ્યા બનાવી હતી. હવે આ ટીમ તેમાંથી બહાર થનારી પણ પહેલી ટીમ બની ગઈ. મુલ્લાંપુરમાં રમાયેલી એલિમિનેટર મેચમાં GTને 5 વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ (MI) સામે 20 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. MIએ પહેલા બેટિંગ કરતા સીમિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 228 રન બનાવ્યા હતા. તેના જવાબમાં GT સીમિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને માત્ર 208 રન જ બનાવી શકી હતી. GTના કેપ્ટન શુભમન ગિલના જણાવ્યા મુજબ, તેમની ટીમની હારનું સૌથી મહત્ત્વનું કારણ તેમની ખરાબ ફિલ્ડિંગ હતી. ચાલો જાણીએ તેણે શું કહ્યું.

Gill
BCCI

MI વિરુદ્ધ આ મહત્ત્વપૂર્ણ મેચમાં GTના કેપ્ટન શુભમન ગિલની બેટ શાંત રહી. તે માત્ર એક જ રન બનાવી શક્યો. ટ્રેન્ટ બોલ્ટના બૉલ પર તે LBW થઈ ગયો હતો. જોકે, તેના ઓપનિંગ પાર્ટનર સાઈ સુદર્શને શાનદાર બેટિંગ કરી, પરંતુ તે ટીમને જીત ન અપાવી શક્યો. મેચને લઈને, ગિલે કહ્યું હતું કે, અમે ગેમમાં હતા. અમે પાવરપ્લેમાં 3 કેચ છોડ્યા, જે અમારા પક્ષમાં ન ગયા. જ્યારે વોશિંગ્ટન સુંદર અને સાઈ સુદર્શન બેટિંગ કરી રહ્યા હતા, તો તેમને એજ સંદેશ મોકલવામાં આવ્યો હતો કે જેમ તેઓ રમી રહ્યા છે એવી રીતે રમતા રહે. ઝાકળ પડવાથી વિકેટ બેટિંગ માટે સરળ થઈ ગઈ ગઈ. અમે છેલ્લી 3 મેચ હાર્યા, પરંતુ આ સીઝન અમારા માટે ખૂબ પોઝિટિવ વસ્તુઓ ગઈ. સાઈ તેમાંથી એક છે. આ વિકેટ પર 210 રનનો સ્કોર ચેઝ કરી શકતો હતો. બોલિંગ દરમિયાન, અમે છેલ્લી ઓવરમાં વિચારી રહ્યા હતા કે આપણે સિક્સ ન જવા દઈએ.

Gill3
BCCI

મેચ દરમિયાન રોહિત શર્માને 2 અને સૂર્યકુમાર યાદવને એક જીવનદાન મળ્યું. તેમાંથી 2 કેચ કીપર કુસલ મેન્ડિસે છોડ્યા. મેચ દરમિયાન છેલ્લી ઓવરમાં MI કેપ્ટન હાર્દિક પંડ્યાએ 22 રન બનાવ્યા હતા. જે આ મેચમાં સૌથી નિર્ણાયક સાબિત થયા. હવે ટ્રોફીની જંગ માત્ર 3 ટીમો વચ્ચે છે. RCB પહેલા જ ફાઇનલમાં પહોંચી ચૂકી છે. અને પોતાના ઓપોનેન્ટની રાહ જોઈ રહી છે. જેની બાબતે 1 જૂને ખબર પડી જશે. જ્યારે પંજાબ કિંગ્સ (PBKS) અને મુંબઈ ઇન્ડિયન્સ (MI) વચ્ચે અમદાવાદમાં બીજી ક્વોલિફાયર મેચ રમાશે.

About The Author

Related Posts

Top News

'ખ્રિસ્તી બનો તો કેન્સર મટી શકે છે...' આદિવાસી ગામને ધર્મ પરિવર્તન માટે આવું કહેવાનો પાદરીઓ પર આરોપ; પોલીસે કેસ નોંધ્યો

મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં પોલીસે બે પાદરીઓ અને તેમના સહયોગીઓ સામે ધર્મ પરિવર્તનનો કેસ નોંધ્યો છે. તેમના પર મોહનપુર ખુર્દ ગામમાં ...
National 
'ખ્રિસ્તી બનો તો કેન્સર મટી શકે છે...' આદિવાસી ગામને ધર્મ પરિવર્તન માટે આવું કહેવાનો પાદરીઓ પર આરોપ; પોલીસે કેસ નોંધ્યો

ફ્રાન્સે ટ્રમ્પની તિજોરીમાંથી 129 ટન સોનું વેચી નાખ્યું અને તેના ખજાનામાં લગભગ 13 અરબ યુરોનો નફો પણ કર્યો

ડોનાલ્ડ ટ્રમ્પ યુનાઇટેડ સ્ટેટ્સમાં સત્તામાં આવ્યા ત્યારથી, યુરોપિયન દેશોથી તેમનું અંતર વધી રહ્યું છે. ટેરિફ, ગ્રીનલેન્ડ અને ઈરાન...
Business 
ફ્રાન્સે ટ્રમ્પની તિજોરીમાંથી 129 ટન સોનું વેચી નાખ્યું અને તેના ખજાનામાં લગભગ 13 અરબ યુરોનો નફો પણ કર્યો

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 13-04-2026 વાર: સોમવાર મેષ - આજે ઘર પરિવાર પાછળ ખર્ચનું પ્રમાણ વધે, નોકરી ધંધામાં ઉપરી વર્ગ સાથે સંઘર્ષ ટાળવો,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

CSK અને DC મેચમાં મોટો વિવાદ, સ્ટબ્સે હેલ્મેટ ફેંક્યું, દિલ્હીના ખેલાડીઓ અમ્પાયર સાથે ઝઘડ્યા; જાણો શું છે આખો મામલો

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026)માં સીઝનની 18મી મેચ શનિવારે રાત્રે ચેન્નાઈના એમ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે CSK અને ...
Sports 
CSK અને DC મેચમાં મોટો વિવાદ, સ્ટબ્સે હેલ્મેટ ફેંક્યું, દિલ્હીના ખેલાડીઓ અમ્પાયર સાથે ઝઘડ્યા; જાણો શું છે આખો મામલો
Copyright (c) Khabarchhe All Rights Reserved.