ગુજરાતના કેપ્ટન શુભમન ગિલે જણાવ્યું હારનું સૌથી મોટું કારણ

ગુજરાત ટાઇટન્સ (GT) IPL 2025માં સૌથી પહેલા પ્લેઓફમાં જગ્યા બનાવી હતી. હવે આ ટીમ તેમાંથી બહાર થનારી પણ પહેલી ટીમ બની ગઈ. મુલ્લાંપુરમાં રમાયેલી એલિમિનેટર મેચમાં GTને 5 વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ (MI) સામે 20 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. MIએ પહેલા બેટિંગ કરતા સીમિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 228 રન બનાવ્યા હતા. તેના જવાબમાં GT સીમિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને માત્ર 208 રન જ બનાવી શકી હતી. GTના કેપ્ટન શુભમન ગિલના જણાવ્યા મુજબ, તેમની ટીમની હારનું સૌથી મહત્ત્વનું કારણ તેમની ખરાબ ફિલ્ડિંગ હતી. ચાલો જાણીએ તેણે શું કહ્યું.

Gill
BCCI

MI વિરુદ્ધ આ મહત્ત્વપૂર્ણ મેચમાં GTના કેપ્ટન શુભમન ગિલની બેટ શાંત રહી. તે માત્ર એક જ રન બનાવી શક્યો. ટ્રેન્ટ બોલ્ટના બૉલ પર તે LBW થઈ ગયો હતો. જોકે, તેના ઓપનિંગ પાર્ટનર સાઈ સુદર્શને શાનદાર બેટિંગ કરી, પરંતુ તે ટીમને જીત ન અપાવી શક્યો. મેચને લઈને, ગિલે કહ્યું હતું કે, અમે ગેમમાં હતા. અમે પાવરપ્લેમાં 3 કેચ છોડ્યા, જે અમારા પક્ષમાં ન ગયા. જ્યારે વોશિંગ્ટન સુંદર અને સાઈ સુદર્શન બેટિંગ કરી રહ્યા હતા, તો તેમને એજ સંદેશ મોકલવામાં આવ્યો હતો કે જેમ તેઓ રમી રહ્યા છે એવી રીતે રમતા રહે. ઝાકળ પડવાથી વિકેટ બેટિંગ માટે સરળ થઈ ગઈ ગઈ. અમે છેલ્લી 3 મેચ હાર્યા, પરંતુ આ સીઝન અમારા માટે ખૂબ પોઝિટિવ વસ્તુઓ ગઈ. સાઈ તેમાંથી એક છે. આ વિકેટ પર 210 રનનો સ્કોર ચેઝ કરી શકતો હતો. બોલિંગ દરમિયાન, અમે છેલ્લી ઓવરમાં વિચારી રહ્યા હતા કે આપણે સિક્સ ન જવા દઈએ.

Gill3
BCCI

મેચ દરમિયાન રોહિત શર્માને 2 અને સૂર્યકુમાર યાદવને એક જીવનદાન મળ્યું. તેમાંથી 2 કેચ કીપર કુસલ મેન્ડિસે છોડ્યા. મેચ દરમિયાન છેલ્લી ઓવરમાં MI કેપ્ટન હાર્દિક પંડ્યાએ 22 રન બનાવ્યા હતા. જે આ મેચમાં સૌથી નિર્ણાયક સાબિત થયા. હવે ટ્રોફીની જંગ માત્ર 3 ટીમો વચ્ચે છે. RCB પહેલા જ ફાઇનલમાં પહોંચી ચૂકી છે. અને પોતાના ઓપોનેન્ટની રાહ જોઈ રહી છે. જેની બાબતે 1 જૂને ખબર પડી જશે. જ્યારે પંજાબ કિંગ્સ (PBKS) અને મુંબઈ ઇન્ડિયન્સ (MI) વચ્ચે અમદાવાદમાં બીજી ક્વોલિફાયર મેચ રમાશે.

About The Author

Related Posts

Top News

1 લીટર ઇથેનોલ બનાવવા 10 હજાર લીટર પાણી વપરાય છે, આની કિંમત કોણ ચૂકવશે?

ભારતમાં પેટ્રોલના વિકલ્પ તરીકે ઇથેનોલને જે રીતે 'ક્રાંતિ' ગણાવવામાં આવી રહી છે, તે વાસ્તવમાં ઉર્જા સુરક્ષાના નામે...
National 
1 લીટર ઇથેનોલ બનાવવા 10 હજાર લીટર પાણી વપરાય છે, આની કિંમત કોણ ચૂકવશે?

વિપક્ષ નબળો પડે તો શું લોકશાહી મરી જાય?

વિપક્ષ નબળો પડે તો શું લોકશાહી મરી જાય? આ સવાલ ગુજરાતની ચૂંટણીના પરિણામો પછી પૂછાતો થયો છે. શું ગુજરાતમાં લોકશાહી...
National 
વિપક્ષ નબળો પડે તો શું લોકશાહી મરી જાય?

ગુજરાત સ્થાપના દિવસે સુરતીઓને જોવા મળશે દિલ્હીના રાજપથ જેવો નજારો, પોલીસ જવાનો કરશે દિલધડક બાઈક સ્ટંટ

સુરત શહેરના આંગણે આગામી 1લી મે, 'ગુજરાત ગૌરવ દિવસ'ની રાજ્ય કક્ષાની ઉજવણી માટેની તડામાર તૈયારીઓ થઇ...
Gujarat 
ગુજરાત સ્થાપના દિવસે સુરતીઓને જોવા મળશે દિલ્હીના રાજપથ જેવો નજારો, પોલીસ જવાનો કરશે દિલધડક બાઈક સ્ટંટ

'મેં તારી પૉટીનો કોન્ટ્રાક્ટ લઈ રાખ્યો છે?', ટ્રાફિક કોન્સ્ટેબલ અને ઇન્ચાર્જ વચ્ચે તું-તું મેં-મેં; SPએ કરી કાર્યવાહી

સંભલ જિલ્લામાં ગંગા એક્સપ્રેસવે ઇન્ટરચેન્જ પોઇન્ટ પર તૈનાત હેડ કોન્સ્ટેબલ જય ભગવાન મંગળવારે બપોરે તેમની ફરજ પરથી ગેરહાજર જોવા મળ્યા....
National 
'મેં તારી પૉટીનો કોન્ટ્રાક્ટ લઈ રાખ્યો છે?', ટ્રાફિક કોન્સ્ટેબલ અને ઇન્ચાર્જ વચ્ચે તું-તું મેં-મેં; SPએ કરી કાર્યવાહી
Copyright (c) Khabarchhe All Rights Reserved.