મેં કોચ અને કેપ્ટનને પોતે જઇને કહ્યું કે મને ટીમમાંથી ડ્રોપ કરી દો: રિઝવાન

પાકિસ્તાનનો વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાને એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની ટેસ્ટ સીરિઝ દરમિયાન તેણે કોચ અને કેપ્ટનને પોતે કહ્યું હતું કે મને ડ્રોપ કરી દેવામાં આવે. તેના જણાવ્યા મુજબ જ રિપ્લેસમેન્ટ તરીકે સરફરાઝ અહમદના નામનું સૂચન કરવામાં આવ્યું હતું. ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝમાં મોહમ્મદ રિઝવાન પૂરી રીતે ફ્લોપ રહ્યો હતો અને આ જ કારણે તેને ડ્રોપ કરીને સરફરાઝ અહમદને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝમાં ચાંસ આપવામાં આવ્યો હતો અને તેણે ટીમ મેનેજમેન્ટના આ નિર્ણયને સાચો સાબિત કર્યો.

સરફરાઝ અહમદે પોતાના કમબેક બાદ જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું જેના કારણે તેને પ્લેયર ઓફ ધ સીરિઝનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. હવે મોહમ્મદ રિઝવાને કહ્યું કે, તેણે પોતે જ કહ્યું હતું કે તેને પ્લેઇંગ ઇલેવનમાંથી ડ્રોપ કરીને સરફરઝને ચાંસ આપવો જોઇએ. ક્રિકેટ પાકિસ્તાન સાથે વાત કરતા તેણે કહ્યું કે, તમે હેડ કોચ સકલૈન મુશ્તાકને પૂછી શકો છો કે મેં ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ બાદ શું કહ્યું હતું. હું ખૂબ ખુશ હતો કે સરફરાઝ અહમદે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ શાનદાર પ્રદર્શન કર્યું અને આ જ વસ્તુ હું ઇચ્છતો હતો.

તેણે કહ્યું કે, મને વ્યક્તિગત રૂપે લાગે છે કે હું પરફોર્મ કરી શકતો નહોતો અને આગામી સીરિઝમાં મારી જગ્યા બનતી નથી. કેટલાક ખેલાડીઓનું કહેવું છે કે દરેક ખેલાડીને આ ફેઝમાંથી પસાર થવું પડે છે અને તમે કેટલીક મેચોમાં નિષ્ફળ થયા બાદ બેન્ચ પર નહીં બેસી શકો. તેણે આગળ કહ્યું કે, મેં કોચ અને કેપ્ટનને પોતે કહ્યું કે, તમે મને ડ્રોપ કરી શકો છો કેમ કે મેં પ્રદર્શન કર્યું નથી. બે ખેલાડી છે જે આ વાતના સાક્ષી છે. સરફરાઝ ડોમેસ્ટિકમાં પ્રદર્શન કરી રહ્યો છે અને આ જ કારણે તેને ચાંસ મળી શકતો હતો. આ કારણે સરફરાઝ અહમદને સારું કરતો જોઇને હું ખૂબ ખુશ હતો.

અડધા ડઝન ટેસ્ટમાં મોહમ્મદ રિઝવાન બેટથી ફ્લોપ રહ્યો છે. તેણે 12 ઇનિંગમાં અડધી સદી વિના 21.83ની એવરેજથી માત્ર 262 રન બનાવ્યા હતા. આ તેના કરિયરની બેટિંગ એવરેજ (38.13)થી ખૂબ ઓછી હતી. મોહમ્મદ રિઝવાનના ખરાબ ફોર્મ છતા ખૂબ લાંબા સમય સુધી ટીમમાં સામેલ કરવામાં આવ્યો. સરફરાઝની જગ્યાએ મોહમ્મદ રિઝવાનને લેવામાં આવ્યો. આ પહેલી વખત નથી જ્યારે રિઝવાનની બેન્ચિંગે બાયો ચડાવી. તે પ્રસિદ્ધ રૂપે કરાચી કિંગ્સમાં પોતાનો મોટા ભાગનો સમય બેન્ચ પર છોડી દેવામાં આવ્યો હતો. પોતાના છેલ્લા 2 વર્ષોમાં ફ્રેન્ચાઇઝી સાથે માત્ર 7 વખત રમ્યો હતો.

About The Author

Top News

શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનો નવો કાયદો રજૂ કર્યો. આ કાયદાનો હેતુ...
Education 
શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

મંગળવારે ભારે હોબાળા વચ્ચે વિકસિત ભારત-ગેરન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન બિલ 2025 એટલે કે ‘VB-G RAM G’ બિલને લોકસભામાં...
Politics 
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.