શ્રીકાંતના મતે 2023 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનું સૌથી ઘાતક હથિયાર બનશે આ ખેલાડી

ભૂતપૂર્વ ભારતીય ઓપનર અને પસંદગી સમિતિના ભૂતપૂર્વ અધ્યક્ષ કૃષ્ણામાચારી શ્રીકાંતે ભારતમાં ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર 2023 વન-ડે વર્લ્ડ કપ વિશે કરિશ્માઈ બેટ્સમેન વિરાટ કોહલી માટે કહ્યું છે કે તે ટીમના અન્ય ખેલાડીઓને તેમની ભૂમિકામાં મદદ કરશે. શ્રીકાંતે કહ્યું, 'અમે તેને શું રોલ આપી શકીએ? ઇશાન કિશનને જુઓ, તે કેવી રીતે બોલને ફટકારે છે. તેણે તાજેતરમાં બેવડી સદી પણ ફટકારી છે. આ ખેલાડીઓને કહો કે તેઓ મેદાન પર જાય અને તેમની રમત રમે. તેમના પર કોઈ રોક ન લગાવશો.

ક્રિષ્નામાચારી શ્રીકાંતે કહ્યું, 'ઈશાન કિશનની જેમ તમારે બે કે ત્રણ એવા ખેલાડીઓની જરૂર છે જે પોતાને વ્યક્ત કરવામાં ડરતા ન હોય. ઓલરાઉન્ડર, બેટિંગ ઓલરાઉન્ડર હોય કે બોલિંગ ઓલરાઉન્ડર, આ લાઇનઅપમાં જરૂરી છે, ટીમમાં આવા ખેલાડીઓનું સંકલન હોવું જોઈએ. ભૂતકાળમાં ગૌતમ ગંભીર એન્કરની ભૂમિકા ભજવી ચૂક્યો છે અને આ વખતે વિરાટ કોહલી માટે પણ એવું જ કહી શકાય, જે આ વખતે એ જ ભૂમિકા ભજવશે. તે ઈશાન કિશન જેવા ખેલાડીઓને મદદ કરશે. જ્યારે કિશને બેવડી સદી ફટકારી તો વિરાટે સદી ફટકારી.

શ્રીકાંતે સ્ટાર સ્પોર્ટ્સ પરના શો 'ક્રિકેટ કા મહાકુંભ'માં કહ્યું, 'આ ખેલાડીઓને સ્વતંત્રતા આપવાની વાત છે. તમે શું ઈચ્છો છો, તમે તમારી રમત રમો કે ભલે તમે આઉટ જ કેમ ના થઈ જાઓ. ટીમને આવું જ દ્રષ્ટિકોણ જોઈએ છે.

1983નો વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમના સભ્ય શ્રીકાંતે સાથે કહ્યું કે વિરાટ આ વર્ષે વર્લ્ડ કપમાં બેટિંગ ચાર્ટમાં ટોપ પર રહેશે. ભૂતપૂર્વ પસંદગીકાર પ્રમુખે કહ્યું કે હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા અને જસપ્રિત બુમરાહની પણ આ વર્લ્ડ કપમાં ભારતીય ટીમ માટે મહત્વની ભૂમિકા હશે જ્યારે દીપક હુડ્ડા રિઝર્વ તરીકે રહેશે. તેણે કહ્યું, 'આપણે દીપકને તૈયાર કરવાની જરૂર છે. અમને તેની પાસેથી 10 ઓવરની જરૂર નથી, અમને તેની પાસેથી ત્રણ કે ચાર ઓવર જોઈએ છે. તે બેટિંગ ઓલરાઉન્ડર બની શકે છે.

Top News

હર્ષ સંઘવીએ ડાયમંડ વેપારીઓ સાથે બેઠક કેમ કરવી પડી?

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શુક્રવારે રાત્રે સુરતમાં સર્કીટ હાઉસમાં રાત્રે ડાયમંડ વેપારીઓએ સાથે એક બેઠક કરી હતી જેને કારણે સુરત...
Gujarat 
હર્ષ સંઘવીએ ડાયમંડ વેપારીઓ સાથે બેઠક કેમ કરવી પડી?

લાડકી બહેન યોજનાથી 14000 પુરૂષોએ લીધો નાણાકીય લાભ, અજીત પવાર બોલ્યા- ‘બધા પાસે વસૂલ કરીશું’

મહારાષ્ટ્રમાં આર્થિક રીતે પછાત મહિલાઓ માટે બનાવવામાં આવેલી લાડકી બહેન યોજના હેઠળ 14000થી વધુ પુરુષોએ છેતરપિંડી કરીને નાણાકીય લાભ મેળવ્યા...
National  Politics 
લાડકી બહેન યોજનાથી 14000 પુરૂષોએ લીધો નાણાકીય લાભ, અજીત પવાર બોલ્યા- ‘બધા પાસે વસૂલ કરીશું’

PM મોદીએ માલદીવ્સને 4850 કરોડ રૂપિયાની લોન કેમ આપી?

  જે માલદીવ્સના રાષ્ટ્રપતિ મુઇજ્ઝુએ 2024માં ઇન્ડિયા આઉટ કેમ્પેઇન કર્યું હતું એ જ રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે લાલ જાજમ...
World 
PM મોદીએ માલદીવ્સને 4850 કરોડ રૂપિયાની લોન કેમ આપી?

આ ભારતીય કંપનીએ 12000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, CEO કહે- અમે AI પર ભાર મૂકી રહ્યા છીએ

ભારતની સૌથી મોટી IT કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS)એ છટણીની જાહેરાત કરી છે. નાણાકીય વર્ષ 2026માં TCS પોતાના...
Business 
આ ભારતીય કંપનીએ 12000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, CEO કહે- અમે AI પર ભાર મૂકી રહ્યા છીએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.