'નિવૃત્તિ પછી એક વાતનો અફસોસ થશે..', અશ્વિનની પીડા છલકાઈ

અશ્વિનને WTC ફાઈનલમાં ભારતીય પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા મળી ન હતી, જેણે ઘણા દિગ્ગજોને આશ્ચર્યચકિત કર્યા હતા, ઘણા લોકો માને છે કે ફાઇનલમાં ભારતીય ટીમની હારનું સાચું કારણ અશ્વિનની ગેરહાજરી હતી. સચિન તેંડુલકરે પણ ટ્વિટ કરીને અશ્વિનને ન રમાડવા પર સવાલ ઉઠાવ્યા હતા. જ્યારે, હવે અશ્વિને પોતે નહીં રમવા પર પોતાનું મૌન તોડ્યું છે. મીડિયા સૂત્રોને આપેલા એક જવાબમાં અશ્વિને ફાઈનલ નહીં રમવાની વાત કરી છે. અશ્વિને કહ્યું, 'તેનો જવાબ આપવો થોડો મુશ્કેલ છે. અમે હમણાં જ ફાઈનલ રમી છે. મને ફાઈનલ રમવાનું ગમતે, એટલું જ નહીં મેં છેલ્લી ફાઇનલમાં સારી બોલિંગ કરી અને 4 વિકેટ લીધી હતી.' વિદેશી ધરતી પરના પોતાના પ્રદર્શન અંગે તેણે કહ્યું, 'તેનું વિદેશમાં પ્રદર્શન 2018-19 સીઝનથી 'શાનદાર' રહ્યું છે.'

અશ્વિને આગળ કહ્યું, '2018-19થી, વિદેશમાં મારી બોલિંગ શાનદાર રહી છે અને હું ટીમ માટે મેચો જીતવામાં સફળ રહ્યો છું... હું તેને એક કેપ્ટન અથવા કોચ તરીકે જોઈ રહ્યો છું અને હું ફક્ત તેમના બચાવમાં વાત કરી શકું છું, એટલા માટે છેલ્લી વખત અમે જ્યારે ઈંગ્લેન્ડમાં હતા, ટેસ્ટ 2-2થી ડ્રો રહી હતી, તેમને લાગ્યું હશે કે ઈંગ્લેન્ડમાં 4 પેસર અને 1 સ્પિનરનું સંયોજન વધુ સારું રહેશે, તેઓએ ફાઈનલમાં પણ આવું જ વિચાર્યું હશે..., સમસ્યા એક સ્પિનરના રમવાની નથી, સમસ્યા છે ચોથી ઇનિંગ્સ. ચોથી ઇનિંગ્સ એ ટેસ્ટ મેચનું ખૂબ જ મહત્વપૂર્ણ પાસું છે અને અમારા માટે પૂરતા રન બનાવવા માટે સક્ષમ થવું જેથી સ્પિનર રમતમાં આવી શકે, તે બધું માનસિકતા પર આધારિત છે.'

અશ્વિને ઈન્ટરવ્યુમાં એ પણ જણાવ્યું કે, એક બેટ્સમેન ન હોવાનો તેને કેટલો અફસોસ થશે. પોતાની વાત રાખતા અશ્વિને કહ્યું, 'કાલે જ્યારે હું ક્રિકેટને અલવિદા કહીશ, ત્યારે મને અફસોસ થશે કે, એક સારો બેટ્સમેન હોવા છતાં, મારે બોલર તરીકે આગળ વધવું જોઈતું નહોતું. મને લાગે છે કે બોલરો અને બેટ્સમેન સાથે અલગ અલગ રીતે વ્યવહાર થતો હોય છે. એવી ધારણાની સાથે મેં સતત લડવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ બોલરો અને બેટ્સમેન માટે અલગ-અલગ માપદંડો હોય છે અને વિવિધ પદ્ધતિઓ પણ...'

હકીકતમાં, અશ્વિનને પૂછવામાં આવ્યું હતું કે, પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, બેટ્સમેન માટે એવો કોઈ નિયમ નથી કે તે ફક્ત સ્પિનરો અથવા બોલરો માટે જ હોય, આ પ્રશ્ન પર પ્રતિક્રિયા આપતા, અશ્વિને પોતે એક બોલર હોવાનો અફસોસ વ્યક્ત કર્યો હતો.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.