આ દિગ્ગજ ઓપનરે કહ્યું-હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીને દરેક મેચ બાદ આંકવી ન જોઇએ

ભારતીય ક્રિકેટ ટીમના ઘણા મુખ્ય ખેલાડી હાલની શ્રીલંકા વિરુદ્ધની T20 સીરિઝમાં રમી રહ્યા નહોતા. શ્રીલંકા વિરુદ્ધ રમાયેલી 3 મેચોની T20 સીરિઝ માટે ઘણા યુવા ખેલાડીઓને ચાન્સ આપવામાં આવ્યો હતો અને કેપ્ટન્સી હાર્દિક પંડ્યાને સોંપવામાં આવી હતી. હાર્દિક પંડ્યાએ પોતાની કેપ્ટન્સીથી બધાને ખૂબ પ્રભાવિત કર્યા છે અને તેને નાના ફોર્મેટનો કેપ્ટન બનાવવાની પણ ચર્ચા થઇ રહી છે.

જો કે, તેની કેપ્ટન્સીમાં ટીમને બીજી T20 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો અને હાર્દિકની કેપ્ટન્સી પર સવાલ ઉઠ્યા હતા. હવે હાર્દિકની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે T20 સીરિઝ પોતાના નામે કરી લીધી છે. પૂર્વ દિગ્ગજ ઓપનર બેટ્સમેન ગૌતમ ગંભીરે કહ્યું કે, દરેક મેચ બાદ હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીને આંકવી ન જોઇએ. ગૌતમ ગંભીરે એક સ્પોર્ટ્સ વેબસાઇટ પર કમેન્ટ્રી કરવા દરમિયાન આ સ્ટાર ઓલરાઉન્ડરની કેપ્ટન્સી પર સવાલ ઉઠાવનારાઓને જોરદાર જવાબ આપ્યો હતો.

બીજી મેચમાં ભારતની હાર બાદ તેમણે હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીને લઇને કહ્યું હતું કે, તે કેપ્ટન તરીકે શાનદાર કરી રહ્યો છે. દરેક મેચ બાદ કોઇ ખેલાડીની સમીક્ષા  ન થવી જોઇએ. હવે જ્યારે ભારત મેચ હારી ગયું તો તેનો કોઇ મતલબ નથી કે તેને કંઇક ખોટું કર્યું છે. હાર્દિક પંડ્યા નો બૉલને માટે બોલરોને કંટ્રોલ નહીં કરી શકે. આ જવાબદારી બોલરની છે. ગૌતમ ગંભીરે કહ્યું કે, હાર્દિક પંડ્યાએ પોતાના નાનકડા કાર્યકાળમાં ભારતીય ટીમની કેપ્ટન્સી ખૂબ સારી રીતે કરી છે અને તેની આક્રમક માનસિકતા માટે તેના વખાણ થવા જોઇએ. તે પોતાના ખેલાડીઓને સમર્થન કરે છે.

ગૌતમ ગંભીરે કહ્યું કે, મારું માનવું છે કે, અત્યાર સુધી તેણે ભારતની જેટલી પણ કેપ્ટન્સી કરી છે, તેણે વાસ્તવમાં સારું કામ કર્યું છે. હાર્દિક સારો અને સહજ દેખાયો છે. તેની આક્રમક માનસિકતા રહી છે. તે પોતાના ખેલાડીઓનું સમર્થન કરે છે અને એ નાની નાની વાતો ખૂબ જ ખાસ છે. તે દરેક વાતને સહજ રીતે રાખે છે. ઉલ્લેખનીય છે કે, ભારત અને શ્રીલંકા વિરુદ્ધની 3 મેચોની T20 સીરિઝ ભારતે 2-1થી પોતાના નામે કરી લીધી છે. સીરિઝની ત્રીજી અને નિર્ણાયક મેચ રાજકોટમાં રમાઇ હતી, જેમાં ભારતીય ટીમે મોટા અંતરથી જીત મેળવીને સીરિઝ પોતાના નામે કરી લીધી છે. હવે ભારત અને શ્રીલંકા વિરુદ્ધ વન-ડે સીરિઝ થવાની છે જેની કેપ્ટન્સી રોહિત શર્મા કરશે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.