ડ્રોપ કે ઇજાગ્રસ્ત? પંત સાથે શું થયું, શ્રીલંકા સીરિઝથી કેમ કરવામાં આવ્યો બહાર

ભારતીય ટીમે નવા વર્ષેના પહેલા જ અઠવાડિયામાં પોતાના ઘર આંગણે શ્રીલંકા વિરુદ્ધ વન-ડે અને T20 સીરિઝ રમવાની છે. તેના માટે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ ટીમની જાહેરાત કરી દીધી છે, પરંતુ તેમાં બોર્ડે એક ચોંકાવનારો નિર્ણય લીધો છે. આ નિર્ણય સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને ટીમાંથી બહાર કરવાનો છે. રિષભ પંતને શ્રીલંકા વિરુદ્ધ વન-ડે અને T20 બંને જ સીરિઝમાં સિલેક્ટ કરવામાં આવ્યો નથી.

મોટી વાત એ પણ છે કે, BCCIએ પોતાની પ્રેસ જાહેરાતમાં રિષભ પંતને બહાર કરવાનું પણ કોઇ કારણ સ્પષ્ટ કર્યું નથી. એવામાં ફેન્સના મનમાં એ સવાલ ઉઠવા લાગ્યા છે કે રિષભ પંતને ડ્રોપ કરવામાં આવ્યો છે કે તે ઇજાગ્રસ્ત છે કે તેનું સિલેક્શન થયું નથી? પરંતુ જાણકારોનું કહેવું છે કે રિષભ પંત હકીકતમાં ઇજાગ્રસ્ત છે. આ જ કારણ છે કે તેને બંનેમાંથી કોઇ પણ સીરિઝ માટે પસંદ કરવામાં આવ્યો નથી.

કહેવામાં આવ્યું છે કે રિષભ પંતને ઘૂંટણમાં ઇજા થઇ છે. આ જ કારણ છે કે રિષભ પંતને સ્ટ્રેન્થ ટ્રેનિંગ માટે મોકલવામાં આવી રહ્યો છે. રિહેબિલિટેશન બાદ રિષભ પંત ક્યાં સુધીમાં સારો થઇ શકશે, તેની પણ અત્યાર સુધી કોઇ જાણકારી મળી શકી નથી. ભારતીય ટીમે શ્રીલંકા વિરુદ્ધ પોતાના ઘર આંગણે 3 T20 અને પછી એટલી જ મેચોની વન-ડે સીરિઝ રમવાની છે. ત્યારબાદ ન્યૂઝીલેન્ડની ટીમ ભારતના પ્રવાસે આવવાની છે. ત્યારે પણ ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 3 વન-ડે અને 3 T20 મેચોની સીરિઝ રમશે.

એવામાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ન્યૂઝીલેન્ડ સીરિઝ માટે રિષભ પંતને ટીમમાં જગ્યા મળી શકે છે. રિષભ પંતે ગત મેચમાં શાનદાર ઇનિંગ રમી હતી. તેણે બાંગ્લાદેશ વિરુદ્ધ મીરપુર ટેસ્ટમાં 93 રન બનાવ્યા હતા. પહેલા ચટગાંવ ટેસ્ટમાં 46 રન બનાવ્યા હતા, પરંતુ આ મેચના બરાબર પહેલા રિષભ પંતની 8 મેચોની 7 ઇનિંગને જોઇએ તો તે પૂરી રીતે ફ્લોપ નજરે પડ્યો હતો. આ ઇનિંગમાં રિષભ પંત એક વખત પણ 20 રનનો આંકડો સ્પર્શી શક્યો નહોતો.

T20 સીરિઝ માટે ભારતીય ટીમ:

હાર્દિક પંડ્યા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ (ઉપકેપ્ટન), ઇશાન કિશ, ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, સંજુ સેમસન, વૉશિંગટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, શિવમ માવી અને મુકેશ કુમાર.

વન-ડે સીરિઝ માટે ભારતીય ટીમ:

રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (ઉપકેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐય્યર, કે.એલ. રાહુલ, ઇશાન કિશન, વૉશિંગટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક અને અર્શદીપ સિંહ.

શ્રીલંકાના ભારત પ્રવાસનું શેડ્યૂલ:

પહેલી T20 મેચ: 3 જાન્યુઆરી, મુંબઇ.

બીજી T20 મેચ: 5 જાન્યુઆરી, પૂણે.

ત્રીજી T20 મેચ: 7 જાન્યુઆરી, રાજકોટ.

પહેલી વન-ડે મેચ: 10 જાન્યુઆરી.ગુવાહાટી.

બીજી વન-ડે મેચ: 12 જાન્યુઆરી, કોલકાતા.

ત્રીજી વન-ડે મેચ: 15 જાન્યુઆરી, તિરુવનંતપુરમ.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.