IPL 2025માં ધોનીની ટીમ તરફથી રમશે રોહિત શર્મા? આ ખેલાડીના નિવેદનથી મચી સનસની

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સીઝન 22 માર્ચથી શરૂ થશે. IPL 2024માં રોહિત શર્મા પર બધાની નજરો હશે, જે આ વખત બેટ્સમેન તરીકે મુંબઈ ઈન્ડિયન્સ (MI) માટે હિસ્સો લેશે. રોહિત શર્માએ પોતાની કેપ્ટન્સીમાં મુંબઈ ઇન્ડિયન્સને 5 વખત IPL ટ્રોફી જીતાડી છે, પરંતુ આ સીઝનમાં તેને મુંબઈ ઇન્ડિયન્સે કેપ્ટન્સીના દાયિત્વથી મુક્ત કરી દીધો છે. 36 વર્ષીય રોહિત શર્માને કેપ્ટન્સીમાંથી હટાવ્યા બાદ ક્રિકેટ ફેન્સમાં નારાજગી જોવા મળી હતી.

મુંબઈ ઇન્ડિયન્સે રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને મુંબઈ ઇન્ડિયન્સનો કેપ્ટન બનાવ્યો છે. હાર્દિક પંડ્યાએ અંતિમ 2 સીઝનમાં ગુજરાત ટાઈટન્સ (GT)ની કેપ્ટન્સી કરી હતી. IPL 2022માં હાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઈટન્સને પોતાની કેપ્ટન્સીમાં ટ્રોફી પણ અપાવી હતી. હવે રોહિત શર્માને લઈને ભારતીય ટીમ અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના પૂર્વ ક્રિકેટર અંબાતી રાયડુએ મોટું નિવેદન આપ્યું છે. અંબાતી રાયડુ ભારતીય કેપ્ટન રોહિત શર્માને નજીકના ભવિષ્યમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માટે રમતો જોવા માગે છે.

અંબાતી રાયડુ માને છે કે રોહિત શર્મા 5-6 વર્ષ આરામથી IPL રમી શકે છે અને મહેન્દ્ર સિંહ ધોનીના રિટાયરમેન્ટ લેવા પર તે ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટન્સી પણ કરી શકે છે. IPL 2025 અગાઉ મેગા ઓક્શન થવાનું છે. એવામાં અંબાતી રાયડુની વાતોમાં થોડો દમ લાગી રહ્યો છે. અંબાતી રાયડુએ કહ્યું કે, હું નજીકના ભવિષ્યમાં રોહિત શર્માને ચેન્નાઈ માટે રમતો જોવા માગું છું. જો ધોની રિટાયર થાય છે તો તે ટીમની કેપ્ટન્સી પણ કરી શકે છે.

તે મુંબઈ ઈન્ડિયન્સ માટે લાંબા સમયથી રમી રહ્યો છે. એ ખૂબ સારું હશે, જો તે ચેન્નાઈ માટે રમે અને ત્યાં પણ જીતી શકે. ચેન્નાઈ સુપર કિંગ્સમાં તે કેપ્ટન્સી કરશે કે નહીં, એ તેના પર નિર્ભર રહેશે. રોહિત આગામી 5-6 વર્ષ સુધી આરામથી IPL રમી શકે છે. અંબાતી રાયડુ કહે છે કે, જો રોહિત શર્મા કેપ્ટન્સી કરવા માગશે તો તેના માટે આખી દુનિયા ખુલ્લી છે. તે જ્યાં ઈચ્છે ત્યાં સરળતાથી કેપ્ટન્સી કરી શકે છે. રોહિત પાસે એ કોલને લેવાનો અધિકાર હોવો જોઈએ.

આ તેનો નિર્ણય હશે કે તે નેતૃત્વ કરવા માગે છે કે નહીં. એ જોવાનું રસપ્રદ રહેશે કે ચેન્નાઈના હાલના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની IPL 2025માં રમે છે કે નહીં. ઘૂંટણની ઇજાથી બહાર આવ્યા બાદ ધોની IPL 2024માં ચેન્નાઈનું નેતૃત્વ કરવા માટે સખત મહેનત કરી રહ્યો છે. ધોનીએ IPL 2023 સમાપ્ત થયા બાદ ઘૂંટણની સર્જરી કરાવી હતી. ધોનીએ IPL 2023ની ટ્રોફી જીત્યા બાદ કહ્યું હતું કે તે ફેન્સને રિટર્ન ગિફ્ટ આપવા માગે છે અને IPL 2024માં ભાગ લેવા સખત મહેનત કરશે.

Related Posts

Top News

નબળા ઉદ્ધવ ઠાકરે સાથે હાથ મિલાવવા માટે રાજ ઠાકરેએ અકડ બતાવી, કરી આ માંગણી

મહારાષ્ટ્રના રાજકારણમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા શિવસેના ઉદ્ધવ ઠાકરેએ હવે બધું ભુલાવીને ભારે હૃદયથી પોતાના જૂના રાજકીય દુશ્મનો તરફ મિત્રતાનો હાથ...
National 
નબળા ઉદ્ધવ ઠાકરે સાથે હાથ મિલાવવા માટે રાજ ઠાકરેએ અકડ બતાવી, કરી આ માંગણી

આ 12 દેશોના લોકો પર અમેરિકામાં દાખલ થવા ટ્રમ્પે સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો, જાણો શું કારણ આપ્યું

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 4 જૂને એક ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા. આ ઘોષણામાં 12 દેશોના લોકોને અમેરિકા આવવા પર સંપૂર્ણપણે...
World 
આ 12 દેશોના લોકો પર અમેરિકામાં દાખલ થવા ટ્રમ્પે સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો, જાણો શું કારણ આપ્યું

વીજળી વિભાગની ટીમ સ્માર્ટ મીટર લગાવવા ગઈ તો, ડાકુ પાન સિંહ તોમરની પૌત્રીએ ધૂલાઈ કરી દીધી

UPના ઝાંસીમાં વીજળી મીટર બદલવા ગયેલી ટીમના JEને એક છોકરી થપ્પડ મારી રહી છે અને તેની સાથે ગેરવર્તન...
National 
વીજળી વિભાગની ટીમ સ્માર્ટ મીટર લગાવવા ગઈ તો, ડાકુ પાન સિંહ તોમરની પૌત્રીએ ધૂલાઈ કરી દીધી

કેમ કેજરીવાલ દિલ્હીના રાજકારણ કરતા પંજાબ-ગુજરાતની પેટાચૂંટણીને વધુ મહત્ત્વ આપી રહ્યા છે?

અરવિંદ કેજરીવાલ ભલે દિલ્હીમાં ન દેખાતા હોય, પરંતુ સત્તાના ગલિયારાઓમાં તેમની મજબૂત લોકપ્રિયતાનો અહેસાસ જોવા મળે છે. વિધાનસભા ચૂંટણીમાં...
National 
કેમ કેજરીવાલ દિલ્હીના રાજકારણ કરતા પંજાબ-ગુજરાતની પેટાચૂંટણીને વધુ મહત્ત્વ આપી રહ્યા છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.