- Sports
- શું ટીમ ઈન્ડિયાએ હર્ષિત રાણા માટે બનાવ્યા છે અલગ નિયમ? BCCI સામે ઉઠ્યા ગંભીર સવાલ
શું ટીમ ઈન્ડિયાએ હર્ષિત રાણા માટે બનાવ્યા છે અલગ નિયમ? BCCI સામે ઉઠ્યા ગંભીર સવાલ
ઈંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન હર્ષિત રાણા ઈજાગ્રસ્ત થયો હતો; ત્યારબાદ તેણે ફિટનેસ મેળવી લીધી છે અને તે અફઘાનિસ્તાન સામેની T20 સીરિઝમાં રમવા માટે તૈયાર છે. જોકે, આ સીરિઝ પહેલાં તેની પસંદગીને લઈને સવાલો ઉઠ્યા છે. ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર સદાગોપન રમેશે સવાલ ઉઠાવ્યો છે. તેમણે પોતાની યુટ્યૂબ ચેનલ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, આખરે હર્ષિત રાણા માટે અલગ નિયમો કેમ બન્યા છે? શું બુમરાહે ટેસ્ટ ટીમમાં પસંદગી પામતા પહેલા 'રેડ-બોલ' મેચો રમવી પડશે, જ્યારે હર્ષિત રાણા ઈજામાંથી પરત ફરી રહ્યો છે અને તેને ટેસ્ટ મેચ રમ્યા વિના જ સીધો ટીમમાં પસંદ કરી લેવામાં આવ્યો. ચાલો જાણીએ હર્ષિત રાણા વિશે રમેશે શું-શું કહ્યું.
પોતાની યુટ્યુબ ચેનલ પર વાત કરતા સદગોપન રમેશે કહ્યું કે, એવા સમાચાર મળી રહ્યા છે કે બુમરાહ ગયા નવેમ્બરથી કોઈ રેડ-બોલ મેચ રમ્યો નથી, તેથી પસંદગી માટે વિચારણા કરવા માટે તેણે ન્યૂઝીલેન્ડ સામે 'ઈન્ડિયા A' માટે રમવું પડશે. તે એક યોગ્ય નિર્ણય છે. હર્ષિત રાણાને ઘૂંટણની ઈજા થઈ છે, તે ઘૂંટણની સર્જરી બાદ તરત જ તેની ટીમમાં પસંદગી કરવામાં આવી. તે એકદમ સ્પષ્ટ છે કે કેટલાક સમયે કેટલાક વ્યક્તિઓ માટે નિયમોમાં છૂટછાટ આપવામાં આવે છે.
રમેશે કહ્યું કે, મારું કહેવું એ છે કે તમામ ખેલાડીઓ માટે નિયમો સમાન હોવા જોઈએ. જે ખેલાડી પહેલા પોતાને સાબિત કરી ચૂક્યા છે, તેમના પર સૌથી વધુ દબાણ છે. બૂમરાહ અને શમીને તેમની ફિટનેસ સાબિત કરવાનું કહેવામાં આવ્યું છે, પરંતુ હર્ષિત રાણાને ઈજામાંથી સાજા થયા બાદ સીધો જ ટીમમાં સામેલ કરવામાં આવ્યો. આ અંગે કોઈ સ્પષ્ટતા આપવામાં આવી નથી અને BCCIએ આ બાબતે કંઇ કહ્યું નથી.
ઉલ્લેખનીય છે કે હર્ષિત રાણાએ આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન પહેલા પાંચ T20 મેચો રમ હતી, ત્યારબાદ ફરી એક વાર હેમસ્ટ્રિંગની ઈજા થઇ. ફિટનેસ ક્લિયરન્સ મળ્યા બાદ તેને અફઘાનિસ્તાન સામેની T20 સીરિઝ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. રમેશે સવાલ કર્યો કે જો હર્ષિતની સીધી પસંદગી થઈ શકે છે તો પછી બૂમરાહને ટેસ્ટ મેચોમાં સીધી તક કેમ આપવામાં આવતી નથી. કેમ બૂમરાહને 'ઈન્ડિયા A' માટે રમવું પડશે તેવી વાત કેમ કરવામાં આવે છે.

