છેલ્લી મેચ, આંખોમાં આંસુ,ફાઇનલમાં હાર સાથે સાનિયાની ભાવુક વિદાય, જુઓ વીડિયો

ભારતની સ્ટાર ખેલાડી સાનિયા મિર્ઝા અને તેના સાથી દેશબંધુ રોહન બોપન્નાને ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ટૂર્નામેન્ટની મિક્સ ડબલ્સની ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ રીતે સાનિયાનું પોતાની ગ્રાન્ડ સ્લેમ કારકિર્દી ખિતાબ સાથે સમાપ્ત કરવાનું સપનું પૂરું થઈ શક્યું નહીં. તેણે તેની કારકિર્દીમાં છ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યા છે. બોપન્નાએ ફ્રેન્ચ ઓપનના રૂપમાં મિક્સ્ડ ડબલ્સમાં ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું છે.

સાનિયા અને બોપન્નાની જોડી મેલબોર્નના રોડ લેવર એરેના ખાતે રમાયેલી ફાઇનલમાં બ્રાઝિલની લુઈસા સ્ટેફની અને રાફેલ માટોસની જોડી સામે 6-7 (2) 2-6થી હારી ગઈ હતી. ફાઇનલમાં હાર બાદ 36 વર્ષની સાનિયાની આંખોમાં આંસુ આવી ગયા હતા. સાનિયાએ જાહેરાત કરી છે કે ફેબ્રુઆરીમાં દુબઈમાં યોજાનારી WTA ટૂર્નામેન્ટ તેની કારકિર્દીની છેલ્લી ટૂર્નામેન્ટ હશે.

હાર બાદ 42 વર્ષીય રોહન બોપન્નાએ સાનિયાને તેની શાનદાર કારકિર્દી માટે શુભેચ્છા પાઠવી હતી, પરંતુ આ દરમિયાન સાનિયા પોતાના આંસુ રોકી શકી નહોતી. બોપન્નાએ કહ્યું કે સાનિયાએ દેશના ઘણા યુવાનોને રમત પ્રત્યે પ્રેરિત કર્યા છે. જ્યારે બોપન્ના વખાણ કરી રહ્યા હતા ત્યારે સાનિયા ભાવુક થઈ ગઈ અને તેની આંખોમાં આંસુ આવી ગયા. પોતાની જાતને સંભાળીને, સાનિયાએ માઈક પકડીને બધાનો આભાર માન્યો. તેમજ વિજેતા જોડીને અભિનંદન પાઠવ્યા હતા. ત્યારબાદ તેણે કહ્યું, 'મારી પ્રોફેશનલ કરિયરની શરૂઆત 2005માં મેલબોર્નથી જ થઈ હતી. ગ્રાન્ડ સ્લેમ કારકિર્દીને અલવિદા કહેવા માટે આનાથી વધુ સારી જગ્યા ન હોઈ શકે. હું માફી માંગવા માંગુ છું.

અહીંથી ફરી સાનિયાએ પોતાની જાતને સંભાળી લીધી. પોતાના આંસુ લૂછતા તેણે કહ્યું, ' અહીં જ્યારે સેરેના વિલિયમ્સ સામે રમી ત્યારે તે 18 વર્ષની હતી. 18 વર્ષ પહેલા કેરોલિના સામે રમી હતી. અહીં રમવું મારા માટે હંમેશા સન્માનની વાત રહી છે. આ મારા ઘર જેવું છે.

જણાવી દઈએ કે સાનિયાએ મિક્સ્ડ ડબલ્સમાં 3 ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે. સાનિયાના છ ગ્રાન્ડ સ્લેમ ખિતાબમાંથી ત્રણ મિશ્ર ડબલ્સ છે, જે તેણે મહેશ ભૂપતિ (2009 ઓસ્ટ્રેલિયન ઓપન, 2012 ફ્રેન્ચ ઓપન) અને બ્રાઝિલના બ્રુનો સોરેસ (2014 યુએસ ઓપન) સાથે જીત્યા હતા. સાનિયાએ તેના ત્રણેય મહિલા ડબલ્સ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ હિંગીસ (વિમ્બલ્ડન 2015, યુએસ ઓપન 2015 અને ઓસ્ટ્રેલિયન ઓપન 2016) સાથે જીત્યા હતા.

About The Author

Related Posts

Top News

8મા પગાર પંચની આ ફોર્મ્યુલા જો લાગુ થઇ તો....પગાર 18000થી વધીને 69000 થશે

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચની ખુબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. કમિશન 15 જૂન સુધીમાં તેના સૂચનો...
Business 
8મા પગાર પંચની આ ફોર્મ્યુલા જો લાગુ થઇ તો....પગાર 18000થી વધીને 69000 થશે

મૃતકોના ખાતામાં રૂ. 128 કરોડ ટ્રાન્સફર થયા...કર્ણાટકની 'ગૃહ લક્ષ્મી' યોજનામાં છેતરપિંડી

કર્ણાટક કોંગ્રેસ સરકારની મુખ્ય 'ગૃહ લક્ષ્મી' યોજના અંગે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. રાજ્યમાં મોટી ટેકનિકલ બેદરકારીને કારણે...
National 
મૃતકોના ખાતામાં રૂ. 128 કરોડ ટ્રાન્સફર થયા...કર્ણાટકની 'ગૃહ લક્ષ્મી' યોજનામાં છેતરપિંડી

'ACPના પગારમાંથી વસૂલવામાં આવે 2 લાખ રૂપિયાનું વળતર', અલ્હાબાદ હાઇકોર્ટનો ચૂકાદો

પોલીસ કમિશનરેટ સિસ્ટમ હેઠળ શાંતિ ભંગના આરોપસર વ્યક્તિઓને અટકાયતમાં લેવાની સત્તાના કથિત દુરુપયોગ અંગે અલ્હાબાદ હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું છે....
National 
'ACPના પગારમાંથી વસૂલવામાં આવે 2 લાખ રૂપિયાનું વળતર', અલ્હાબાદ હાઇકોર્ટનો ચૂકાદો

મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો, કેટલાક મંત્રીઓની વિદાય નક્કી; મોટા ફેરબદલની શક્યતા

દેશના રાજકારણમમાં એક મોટા ઘટનાક્રમના સમાચાર સામે આવી રહ્યા છે. ચાર રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીએ નવા પ્રદેશ પ્રમુખોની જાહેરાત બાદ...
Politics 
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો, કેટલાક મંત્રીઓની વિદાય નક્કી; મોટા ફેરબદલની શક્યતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.