WI વિરુદ્ધ T20 સીરિઝ માટે ભારતીય ટીમની થઈ જાહેરાત, જુઓ કોને કોને મળી જગ્યા

બુધવારે સીનિયર પુરુષ સિલેક્શન સમિતિએ વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ રમાનારી આગામી 5 મેચોની T20 સીરિઝ માટે ભારતની T20 ટીમની જાહેરાત કરી છે. આ સીરિઝ માટે યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલ અને તિલક વર્માને ટીમમાં જગ્યા આપવામાં આવી છે. બંને જ ખેલાડીઓએ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ધમાલ મચાવી હતી. રોહિત શર્મા અને વિરાટ કોહલી વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધની સીરિઝ માટે ભારતની T20 ઇન્ટરનેશનલ ટીમનો હિસ્સો નહીં હોય. જ્યારે સ્ટાર લેગ સ્પિનર રવિ બિશ્નોઈની ભારતની T20 ઇન્ટરનેશનલ ટીમમાં વાપસી થઈ છે.

મુંબઈ ઇન્ડિયન્સ (MI)ના બેટ્સમેન તિલક વર્માને વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ T20 ઇન્ટરનેશનલ સીરિઝ માટે પહેલી વખત ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. યશસ્વી જયસ્વાલ અને તિલક વર્મા બંનેએ જ IPL 2023માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. IPL 2023માં ‘ઈમર્જિંગ પ્લેયર ઓફ ધ યર’નો પુરસ્કાર મેળવનાર યશસ્વી જયસ્વાલે 14 મેચોમાં 164ની સ્ટ્રાઈક રેટથી 625 રન બનાવ્યા હતા, જેમાં એક સદી અને 6 અડધી સદી સામેલ હતી. યશસ્વી જયસ્વાલને ઘરેલુ ક્રિકેટમાં તેના પ્રદર્શનના કારણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC) ફાઇનલ માટે ભારતીય ટીમને લંડન મોકલવામાં આવ્યો હતો.

તેને વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ 12 જુલાઈથી શરૂ થનારી 2 ટેસ્ટ મેચોની સીરિઝ માટે પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. બીજી તરફ 20 વર્ષીય તિલક વર્માએ વર્ષ 2022 બાદ IPL 2023માં પણ પ્રભાવશાળી પ્રદર્શન કરીને મુંબઈ ઇન્ડિયન્સ (MI)ના મિડલ ઓર્ડરમાં પોતાની જગ્યા પાક્કી કરી. તિલક વર્માએ આ વર્ષે 11 IPL મેચોમાં 164.11ની સ્ટ્રાઈક રેટ અને 42.88ની એવરેજથી 343 રન બનાવતા મુંબઈ ઇન્ડિયન્સને પ્લેઓફ સુધી પહોંચાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી.

નવનિયુક્ત સિલેક્શન કમિટીના ચેરમેન અજીત અગરકરની આગેવાનીમાં પસંદ કરવામાં આવેલી ટીમમાં સંજુ સેમસનની વાપસી થઈ છે. સંજુ સેમસન ખભાની ઇજાના કારણે જાન્યુઆરી-ફેબ્રુઆરી 2023માં ન્યૂઝીલેન્ડ સામેની T20 સીરિઝ રમી શક્યો નહોતો. ફાસ્ટ બોલર આવેશ ખાન અને લેગ સ્પિનર રવિ બિશ્નોઈની પણ ટીમમાં વાપસી થઈ છે. ભારતીય ટીમ આ સમયે વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે છે. ભારત આ દરમિયાન 2 ટેસ્ટ, 3 વન-ડે અને 5 T20 ઇન્ટરનેશનલ એમચોની સીરિઝ રમશે.

વેસ્ટ  ઇન્ડીઝ સામેની T20 સીરિઝ માટે ભારતીય ટીમ:

ઇશાન કિશન (વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (ઉપકેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (કેપ્ટન), અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, આવેશ ખાન, મુકેશ કુમાર.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.