ભારતીય ટીમને મોટો ઝટકો, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની સીરિઝથી આ ખેલાડી થયો બહાર

ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 3 મેચોની વન-ડે સીરિઝના શરૂઆતના બરાબર એક દિવસ અગાઉ ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ઇજાના કારણે મિડલ ઓર્ડરનો સ્ટાર બેટ્સમેન શ્રેયસ ઐય્યરને સીરિઝથી બહાર કરી દેવામાં આવ્યો છે. શ્રેયસ ઐય્યરની જગ્યાએ રજત પાટીદારને રિપ્લેસમેન્ટ તરીકે સામેલ કરવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)એ એક નિવેદન જાહેર કરીને આ જાણકારી આપી છે. કહેવામાં આવી રહ્યું છે કે, શ્રેયસ ઐય્યરને પીઠમાં ઇજા થવાના કારણે સીરિઝથી બહાર કરી દેવામાં આવ્યો છે. હવે રિહેબિલટેશન માટે શ્રેયસ ઐય્યરને બેંગ્લોર સ્થિત નેશનલ ક્રિકેટ અકાદમી (NCA) મોકલવામાં આવ્યો છે.

શ્રેયસ ઐય્યર માટે ગત વર્ષ એટલે કે વર્ષ 2022 ખૂબ શાનદાર રહ્યું હતું. તે ભારતીય ટીમ માટે વન-ડે ફોર્મેટમાં સૌથી વધારે રન બનાવનારો ખેલાડી બન્યો હતો. તેણે 17 મેચોમાં 724 રન બનાવ્યા હતા, પરંતુ આ નવા વર્ષે 2023ની શરૂઆત તેના માટે સારી ન રહી. શ્રેયસ ઐય્યરે આ વર્ષે 3 મેચ રમી છે. શ્રેયસ ઐય્યરે શ્રીલંકા વિરુદ્ધની વન-ડે સીરિઝની 3 મેચોમાં 28, 28 અને 38 રન બનાવ્યા, જ્યારે વર્ષ 2022ના અંતમાં શ્રેયસ ઐય્યરે 2 ટેસ્ટ મેચ રમી હતી. તેમાં બે અડધી સદી બનાવી હતી.

એટલે કે શ્રેયસ ઐય્યર વર્ષ 22ની જેમ આ વર્ષે જલવો દેખાડી શક્યો નથી. હવે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સીરિઝથી પણ બહાર થઈ ગયો છે. ટોપ ઓર્ડરનો બેટ્સમેન રજત પાટીદાર હાલના સમયમાં શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. 29 વર્ષીય રજત પાટીદારે મધ્ય પ્રદેશ તરફથી રમતા છેલ્લી 5 ફર્સ્ટ ક્લાસ મેચોની 8 ઇનિંગમાં એક સદી સિવાય 4 અડધી સદી બનાવી છે. આ શાનદાર પ્રદર્શનના આધાર પર તેને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વન-ડે સીરિઝ માટે પસંદ કરવામાં આવ્યો છે.

ભારતીય ટીમ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 3 મેચોની વન-ડે સીરિઝની શરૂઆત બુધવાર (18 જાન્યુઆરી)થી થશે. પહેલી મેચ 18 જાન્યુઆરીના રોજ હૈદરાબાદમાં થશે. જ્યારે બીજી વન-ડે મેચ 21 જાન્યુઆરીના રોજ રાયપુર અને ત્રીજી અને છેલ્લી મેચ 24 જાન્યુઆરીના રોજ ઈન્દોરમાં થશે. બધી મેચ ભારતીય સમય મુજબ બપોરે 1:30 વાગ્યાથી રમાવાની છે.

ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ભારતની વન-ડે ટીમ:                                      

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઇશાન કિશન (વિકેટકીપર), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કે.એસ. ભરત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (ઉપકેપ્ટન), રજત પાટીદાર, વૉશિંગટન સુંદર, શાહબાજ અહમદ, શાર્દૂલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી અને ઉમરાન મલિક.

About The Author

Top News

ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજનગર એક્સટેન્શનમાં આવેલી પૉશ ઔરા ચિમેરા...
National 
ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.