NZ સામેની બીજી T20મા 1 બોલ બાકી રહેતા જીત મળવા પર હાર્દિક પંડ્યાએ જુઓ શું કહ્યું

હાર્દિક પંડ્યાના નેતૃત્વવાળી ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને લખનૌના ઇકાના સ્ટેડિયમમાં રમાયેલી બીજી T20 મેચમાં 6 વિકેટે જીત હાંસલ કરી હતી. આ મેચમાં જીત હાંસલ કરીને ભારતીય ટીમે સીરિઝ 1-1થી બરાબર કરવામાં સફળતા મેળવી છે. મેચ બાદ કેપ્ટન હાર્દિક પંડ્યાએ પોસ્ટ મેચ પ્રેઝન્ટેશન દરમિયાન પોતાની પ્રતિક્રિયા આપી હતી. આ દરમિયાન હાર્દિક પંડ્યાએ જણાવ્યું કે, તે મેચના સમયે ડરેલો હતો. ચાલો તો આ આર્ટિકલમાં જાણીએ કે હાર્દિક પંડ્યાએ એમ શા માટે કહ્યું.

ભારતીય ટીમે બીજી T20 મેચ 6 વિકેટે પોતાના નામે કરી હતી. લો સ્કોરિંગ લક્ષ્યનો પીછો કરતા ભારતીય ટીમે છેક છેલ્લી ઓવરમાં જીત મેળવી. આ જીત બાદ હાર્દિક પંડ્યાએ પોસ્ટ મેચ પ્રેઝન્ટેશન દરમિયાન પ્રતિક્રિયા વ્યક્તિ કરી. તેણે કહ્યું કે, ‘મને હંમેશાંથી જ વિશ્વાસ હતો કે અમે આ મેચ જીતીશું. જો કે, આ મેચ ખૂબ ડીપમાં જતી રહી. આ પ્રકારની મેચમાં હંમેશાં એ મહત્ત્વપૂર્ણ હોય છે કે વધારે પેનિક ન કરો. અમે રિસ્ક ન લીધું અને સિંગલ લેતા રહ્યા. આ પ્રકારની વિકેટ T20 માટે સારી નથી.’

તેણે આગળ કહ્યું કે, ‘એવું નથી કે અમને સંઘર્ષ કરવામાં કોઇ સમસ્યા છે. જો અહીં 120-130 રન બની જતા તો કદાચ એ વિનિંગ સ્કોર હોત. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડની ટીમ સીમિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 99 રન જ બનાવી શકી હતી. ન્યૂઝીલેન્ડનો કોઇ પણ બેટ્સમેન 20 કે તેનાથી ઉપરનો આંકડો સ્પર્શી ન શક્યો. બ્લેક કેપ્સ તરફથી સૌથી વધુ રન કેપ્ટન મિચેલ સેન્ટનર (19 રન)એ બનાવ્યા. હતા.

ભારત માટે બોલિંગ કરતા અર્શદીપ સિંહને સૌથી વધુ 2 વિકેટ મળી હતી, જ્યારે હાર્દિક પંડ્યા, વૉશિંગટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, દીપક હુડા અને કુલદીપ યાદવને 1-1 વિકેટ મળી હતી. 100 રનનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત પણ સારી ન રહી અને તેણે 70 રન પર જ 4 વિકેટ ગુમાવી દીધી હતી. જો કે, ત્યારબાદ ભારતીય કેપ્ટન હાર્દિક પંડ્યા અને વિસ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર યાદવે ભારતીય ઇનિંગ સંભાળી અને એક બૉલ બાકી રહેતા ભારતીય ટીમને જીત અપાવી હતી. હવે સીરિઝ 1-1થી બરાબર થતા ત્રીજી અને અંતિમ મેચ નિર્ણાયક સાબિત થશે અને એ મેચ જે જીતશે તે સીરિઝ પણ પોતાના નામે કરી લેશે.

Top News

પાકિસ્તાને ભારતનો રસ્તો અપનાવ્યો! ન્યૂયોર્ક મોકલ્યું ડેલિગેશન, પણ શા માટે...

પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા વિશ્વના મુખ્ય દેશોમાં બે સરકારી પ્રતિનિધિમંડળો મોકલવામાં આવશે. આ પ્રતિનિધિમંડળો પર જવાબદારી હશે કે, ભારત સાથે...
World 
પાકિસ્તાને ભારતનો રસ્તો અપનાવ્યો! ન્યૂયોર્ક મોકલ્યું ડેલિગેશન, પણ શા માટે...

ટીમ ઈન્ડિયાના પૂર્વ સિલેક્ટરે ગિલને આપ્યો જીતનો મંત્ર, ઈંગ્લેન્ડ સીરિઝ માટે આ ખેલાડીને X ફેક્ટર ગણાવ્યો

ટીમ ઈન્ડિયા 20 જૂનથી ઈંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમશે. આ શ્રેણી ઘણી રીતે ખાસ બનવાની છે. આગામી ઈંગ્લેન્ડ...
Sports 
ટીમ ઈન્ડિયાના પૂર્વ સિલેક્ટરે ગિલને આપ્યો જીતનો મંત્ર, ઈંગ્લેન્ડ સીરિઝ માટે આ ખેલાડીને X ફેક્ટર ગણાવ્યો

કોરોનાની નાકની રસીનું શું થયું? શું હમણાંની નવી લહેરમાં ઉપયોગી થશે? જાણો કંઈ કંપનીઓએ તેને તૈયાર કરી છે

દેશમાં ફરી એકવાર કોરોના ધીમે ધીમે ફેલાઈ રહ્યો છે. સોમવાર સુધીમાં, દેશભરમાં કોરોનાના લગભગ ચાર હજાર કેસ નોંધાયા છે...
National 
કોરોનાની નાકની રસીનું શું થયું? શું હમણાંની નવી લહેરમાં ઉપયોગી થશે? જાણો કંઈ કંપનીઓએ તેને તૈયાર કરી છે

સ્મૃતિ ઇરાની ફરી એક્ટીંગ તરફ વળ્યા, શું તેમણે રાજકારણ છોડી દીધું છે?

વર્ષ 2000થી 2008 સુધી પ્રસારિત થયેલી અને લોકપ્રિય બનેલી સીરિયલ ક્યોંકી સાંસભી કભી બહું થીની સિઝન-2 શરૂ થવા જઇ રહી...
Entertainment 
સ્મૃતિ ઇરાની ફરી એક્ટીંગ તરફ વળ્યા, શું તેમણે રાજકારણ છોડી દીધું છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.