NZ સામેની બીજી T20મા 1 બોલ બાકી રહેતા જીત મળવા પર હાર્દિક પંડ્યાએ જુઓ શું કહ્યું

હાર્દિક પંડ્યાના નેતૃત્વવાળી ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને લખનૌના ઇકાના સ્ટેડિયમમાં રમાયેલી બીજી T20 મેચમાં 6 વિકેટે જીત હાંસલ કરી હતી. આ મેચમાં જીત હાંસલ કરીને ભારતીય ટીમે સીરિઝ 1-1થી બરાબર કરવામાં સફળતા મેળવી છે. મેચ બાદ કેપ્ટન હાર્દિક પંડ્યાએ પોસ્ટ મેચ પ્રેઝન્ટેશન દરમિયાન પોતાની પ્રતિક્રિયા આપી હતી. આ દરમિયાન હાર્દિક પંડ્યાએ જણાવ્યું કે, તે મેચના સમયે ડરેલો હતો. ચાલો તો આ આર્ટિકલમાં જાણીએ કે હાર્દિક પંડ્યાએ એમ શા માટે કહ્યું.

ભારતીય ટીમે બીજી T20 મેચ 6 વિકેટે પોતાના નામે કરી હતી. લો સ્કોરિંગ લક્ષ્યનો પીછો કરતા ભારતીય ટીમે છેક છેલ્લી ઓવરમાં જીત મેળવી. આ જીત બાદ હાર્દિક પંડ્યાએ પોસ્ટ મેચ પ્રેઝન્ટેશન દરમિયાન પ્રતિક્રિયા વ્યક્તિ કરી. તેણે કહ્યું કે, ‘મને હંમેશાંથી જ વિશ્વાસ હતો કે અમે આ મેચ જીતીશું. જો કે, આ મેચ ખૂબ ડીપમાં જતી રહી. આ પ્રકારની મેચમાં હંમેશાં એ મહત્ત્વપૂર્ણ હોય છે કે વધારે પેનિક ન કરો. અમે રિસ્ક ન લીધું અને સિંગલ લેતા રહ્યા. આ પ્રકારની વિકેટ T20 માટે સારી નથી.’

તેણે આગળ કહ્યું કે, ‘એવું નથી કે અમને સંઘર્ષ કરવામાં કોઇ સમસ્યા છે. જો અહીં 120-130 રન બની જતા તો કદાચ એ વિનિંગ સ્કોર હોત. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડની ટીમ સીમિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 99 રન જ બનાવી શકી હતી. ન્યૂઝીલેન્ડનો કોઇ પણ બેટ્સમેન 20 કે તેનાથી ઉપરનો આંકડો સ્પર્શી ન શક્યો. બ્લેક કેપ્સ તરફથી સૌથી વધુ રન કેપ્ટન મિચેલ સેન્ટનર (19 રન)એ બનાવ્યા. હતા.

ભારત માટે બોલિંગ કરતા અર્શદીપ સિંહને સૌથી વધુ 2 વિકેટ મળી હતી, જ્યારે હાર્દિક પંડ્યા, વૉશિંગટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, દીપક હુડા અને કુલદીપ યાદવને 1-1 વિકેટ મળી હતી. 100 રનનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત પણ સારી ન રહી અને તેણે 70 રન પર જ 4 વિકેટ ગુમાવી દીધી હતી. જો કે, ત્યારબાદ ભારતીય કેપ્ટન હાર્દિક પંડ્યા અને વિસ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર યાદવે ભારતીય ઇનિંગ સંભાળી અને એક બૉલ બાકી રહેતા ભારતીય ટીમને જીત અપાવી હતી. હવે સીરિઝ 1-1થી બરાબર થતા ત્રીજી અને અંતિમ મેચ નિર્ણાયક સાબિત થશે અને એ મેચ જે જીતશે તે સીરિઝ પણ પોતાના નામે કરી લેશે.

About The Author

Top News

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.