કોહલીએ લીધો પંગો! શું BCCI લેશે એક્શન? કોન્ટ્રાક્ટની એક શરત બની પરેશાનીનું કારણ

ભારતીય ટીમ એશિયા કપની તૈયારીમાં લાગી ગઈ છે. કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી સહિત એશિયા કપ માટે પસંદગી પામેલા મોટા ભાગના ખેલાડી બેંગ્લોર પહોંચી ગયા છે. કેમ્પ બાદ 30 ઑગસ્ટના રોજ શ્રીલંકા જવા રવાના થશે. 24 ઑગસ્ટ ગુરુવારે મોટા ભાગના ખેલાડીઓના યો-યો ટેસ્ટ થયા. તેમાં રોહિત શર્મા, વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા સહિત ઘણા ખેલાડી સામેલ થયા અને આ ત્રણેય ટેસ્ટ પાસ પણ કરી લીધી. આ દરમિયાન પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ યો યો ટેસ્ટનો સ્કોર સોશિયલ મીડિયા પર શેર કરી દીધો

તેને ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના કોન્ટ્રાક્ટના નિયમનું ઉલ્લંઘન માનવામાં આવી રહ્યું છે. બોર્ડ અધિકારીએ તેને લઈને હવે મોટી વાત કહી છે. એક અંગ્રેજી અખબાર સાથે વાત કરતા BCCIના સીનિયર અધિકારીએ કહ્યું કે, ખેલાડીઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોઈ પણ ગોપનીય મામલાને પોસ્ટ કરતા બચવા માટે મૌખિક રૂપે કહેવામાં આવ્યું છે. તેઓ ટ્રેનિંગ દરમિયાનની તસવીરો પોસ્ટ કરી શકે છે, પરંતુ સ્કોર પોસ્ટ કરવાથી કોન્ટ્રાક્ટના નિયમોનું ઉલ્લંઘન હશે.

એ અગાઉ વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર યો-યો ટેસ્ટ પાર પાસ કરવાની ખુશી જાહેર કરતા લખ્યું ,કે 'તેનો સ્કોર 17.2 રહ્યો.' ભારતીય ટીમની 6 દિવસની કન્ડિશનિંગ 24 ઑગસ્ટથી શરૂ થઈ. પહેલા દિવસે બધાનું યો-યો ટેસ્ટ થયું અને ફિટનેસના સ્ટાન્ડર્ડને ચેક કરવામાં આવ્યું. ખેલાડી સતત ક્રિકેટ રમી રહ્યા છે. એટલે યો-યો સ્કોર અલગ-અલગ હોય શકે છે. ટીમ મેનેજમેન્ટે ખેલાડીઓને કહ્યું કે, તેઓ ઓછામાં ઓછા નક્કી કરવામાં આવેલા ફિટનેસ સ્ટાન્ડર્ડને પૂરા કરે.

શ્રીલંકામાં એશિયા કપ અગાઉ, જે ખેલાડીઓનો 13 દિવસનો ફિટનેસ કાર્યક્રમ આપવામાં આવ્યો હતો, તેમનું બ્લડ ટેસ્ટ લેવામાં આવશે અને સાથે જ આખા શરીરનું ચેકઅપ પણ થશે. ટ્રેનર તેમની ફિટનેસને ચેક કરશે અને જે માનાંકો પર ખરા નહીં ઉતરે, તેમને રમતા રોકી શકાય છે, જેમ કે વર્લ્ડ કપ નજીક હોવાના કારણે BCCI કોઈ જોખમ લેવા માગતુ નથી. જે ખેલાડી વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસ પરથી ફર્યા છે અને આયરલેન્ડ પ્રવાસે ગયા નથી, તેમને 13 દિવસના ફિટનેસ પ્રોગ્રામને પૂરો કરવા કહેવામાં આવ્યું છે.

તેમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા સાથે સાથે ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમી પણ સામેલ છે. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ સતત ખેલાડીઓની ઇજાથી ઝઝૂમી રહી છે.ફાસ્ટ બોલર જસપ્રીત બૂમરાહ અને પ્રસિદ્ધ કૃષ્ણા સિવાય કે.એલ. રાહુલ અને શ્રેયસ ઐય્યર ઇજાથી વાપસી કરી રહ્યા છે. જો કે, કે.એલ. રાહુલ અત્યારે પણ પૂરી રીતે ફિટ નથી. એશિયા કપની મેચો 30 ઑગસ્ટથી શરૂ થઈ રહી છે. ભારતીય ટીમ પોતાની પહેલી મેચમાં 2 સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાન સામે રમશે.

ત્યારબાદ 4 સપ્ટેમ્બરના રોજ નેપાળ સાથે મેચ થવાની છે. ગ્રુપની ટોપ-2 ટીમો સુપર-4માં જશે એટલે જો ભારતીય ટીમ ફાઇનલમાં જગ્યા બનાવવામાં સફળ રહી તો તેને એશિયા કપમાં કુલ 6 મેચો રમવી પડી શકે છે. ફાઇનલ મેચ 17 સપ્ટેમ્બરના રોજ થવાની છે. ત્યારબાદ વર્લ્ડ કપ અગાઉ ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા સાથે 3 મેચોની વન-ડે સીરિઝ રમવાની છે.

About The Author

Related Posts

Top News

90 ડિગ્રીના પુલની ડિઝાઇનમાં ફેરફાર કરાશે, રેલવે વધારાની જમીન આપવા સહમત થઈ ગઈ

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં બનેલો ઐશબાગ રેલવે ઓવર બ્રિજ (ROB) તેના ઉદ્ઘાટન પહેલા જ વિવાદોમાં ફસાયેલો હતો, પરંતુ હવે...
National 
90 ડિગ્રીના પુલની ડિઝાઇનમાં ફેરફાર કરાશે, રેલવે વધારાની જમીન આપવા સહમત થઈ ગઈ

ટેસ્ટ મેચને વધુ લોકપ્રિય બનાવવા માટે 5ને બદલે 4 દિવસની રમાડશે પણ ભારત...

નાના દેશોમાં ટેસ્ટ ક્રિકેટને વ્યવહારુ અને લોકપ્રિય બનાવવા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એક મોટું પગલું ભરવા જઈ રહી...
Sports 
ટેસ્ટ મેચને વધુ લોકપ્રિય બનાવવા માટે 5ને બદલે 4 દિવસની રમાડશે પણ ભારત...

એવી કંપની સાથે અનિલ અંબાણીએ કરી ડીલ કે સ્ટોકમાં લાગી ગઈ અપર સર્કિટ

શેર બજારમાં ઘટાડા વચ્ચે પણ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના શેરમાં શાનદાર તેજી જોવા મળી રહી છે. બુધવારે બપોરે...
Business 
એવી કંપની સાથે અનિલ અંબાણીએ કરી ડીલ કે સ્ટોકમાં લાગી ગઈ અપર સર્કિટ

ગુજરાતના બાપ-દીકરાએ કોર્ટના બેંક ખાતામાંથી જ 64 લાખની ઉઠાંતરી કરી લીધી

મધ્યપ્રદેશના ઇન્દોરની જિલ્લા કોર્ટના બેંક ખાતામાં ચોરીનો એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. મધ્યપ્રદેશના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ...
National 
ગુજરાતના બાપ-દીકરાએ કોર્ટના બેંક ખાતામાંથી જ 64 લાખની ઉઠાંતરી કરી લીધી
Copyright (c) Khabarchhe All Rights Reserved.