રોહિત શર્માએ મેચની સાથે જીતી લીધું દિલ, આઉટ છતા શ્રીલંકાના કેપ્ટનની સદી થવા દીધી

ભારત અને શ્રીલંકા (IND vs SL) વચ્ચેની વન-ડે સીરિઝની પ્રથમ મેચ ગુવાહાટીમાં રમાઈ હતી. ભારતીય ટીમે આ મેચ 67 રને જીતી લીધી હતી. પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ સતત બીજી સદી ફટકારતા 113 રનની ઇનિંગ રમી હતી. તો રોહિત શર્માએ પણ 83 રનનું યોગદાન આપ્યું હતું. બોલિંગમાં ઉમરાન મલિકે ત્રણ વિકેટ ઝડપી હતી. આ બધાની વચ્ચે રોહિત શર્માએ મેચની છેલ્લી ઓવરમાં કંઈક એવું કર્યું જેની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે.

શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકા 98 રન બનાવીને રમી રહ્યા છે. છેલ્લી ઓવરના ચોથા બોલ પર, મોહમ્મદ શમીએ નોન-સ્ટ્રાઈકર એન્ડ પર બોલ ફેંકતા પહેલા દાસુન શનાકાને રનઆઉટ કર્યો હતો. શનાકા ક્રિઝની બહાર હતો અને તેથી જ શમીએ આવું કર્યું. તેણે અપીલ કરી અને મેદાન પરના અમ્પાયરે ત્રીજા અમ્પાયરની મદદ લીધી. આ દરમિયાન કેપ્ટન રોહિતે આવીને બધા સાથે વાત કરી અને અપીલ પાછી ખેંચવાનો નિર્ણય લીધો. અંતે, શનાકાએ ચોગ્ગો ફટકારીને તેની સદી પૂરી કરી.

રોહિત શર્માને મેચ બાદ પણ આ અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો. તેના જવાબમાં ભારતીય કેપ્ટને કહ્યું- મને ખબર ન હતી કે શમીએ આવું કર્યું, તે 98 રન પર બેટિંગ કરી રહ્યો હતો. તેણે જે રીતે બેટિંગ કરી તે શાનદાર હતી, અમે તેને આ રીતે આઉટ ન કરી શકીએ. અમે એવું નહોતું વિચાર્યું. તેમને ખરેખર સારી રીતે રમ્યા.

જ્યારે પણ બેટ્સમેન બોલર નોન-સ્ટ્રાઈક એન્ડ પર બોલ ફેંકે તે પહેલા રનઆઉટ થાય છે ત્યારે વિવાદ ઊભો થાય જ છે. ICCએ ગયા વર્ષે તેને ખેલદિલીની કેટેગરીમાંથી હટાવી દીધી હતી. આ પછી પણ જ્યારે કોઈ બોલર આવા બેટ્સમેનને આઉટ કરવાનો પ્રયાસ કરે છે ત્યારે તેની ટીકા થાય છે. દીપ્તિ શર્માએ ઈંગ્લેન્ડ સામે છેલ્લા બેટ્સમેનને આ રીતે આઉટ કરીને ભારતને જીત અપાવી હતી.

ભારતના રવિચંદ્રન અશ્વિને પણ આ રીતે બેટ્સમેનને આઉટ કર્યા છે. અશ્વિનની સાથે સાથે ઘણા ક્રિકેટ નિષ્ણાતો માને છે કે જ્યારે બોલર ક્રિઝની બહાર હોય ત્યારે નો-બોલ આપવામાં આવે છે. તેવી જ રીતે, જો બેટ્સમેન આઉટ થાય તો રન આઉટ કરવું સંપૂર્ણ રીતે યોગ્ય છે. તો ઘણા તેને રમતની ભાવના વિરુદ્ધ માને છે.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.