શું ગંભીરનું પત્તું કપાવાનું છે અને લક્ષ્મણ નવા કોચ બનવાના છે? BCCIએ આપ્યો જવાબ

ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરના કોચિંગ હેઠળ ટીમનું ટેસ્ટ ક્રિકેટમાં પ્રદર્શન ખાસ કઈ સારું રહ્યું નથી. તાજેતરમાં જ, ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામેની ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં 0-2થી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યાં સુધી કે, ગયા વર્ષે ભારત ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સામે પણ 0-3થી હારી ગયું હતું.

ગૌતમ ગંભીરની કોચિંગ શૈલી પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. કેટલાક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે, તેમને ટેસ્ટ કોચ તરીકે દૂર કરવામાં આવી શકે છે. તેની સાથે જ, જો 2026ના T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું પ્રદર્શન અપેક્ષાઓ પર ખરું ન ઉતરે, તો તેમના કરાર પર પુનર્વિચાર કરવામાં આવશે. ગંભીરનો કરાર 2027ના વનડે વર્લ્ડ કપ સુધી ચાલવાનો છે.

Gautam-Gambhir3
rvcj.com

હવે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ગૌતમ ગંભીરને લગતી ચાલી રહેલી આ અટકળો અંગે એક મોટું નિવેદન બહાર પાડ્યું છે. BCCIના સચિવ દેવજીત સૈકિયાએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ગૌતમ ગંભીરને રેડ-બોલ (ટેસ્ટ) કોચના પદ પરથી દૂર કરવા અંગે કોઈ ચર્ચા થઈ નથી અને આ અહેવાલો માત્ર અફવાઓ છે.

મીડિયા સૂત્રો સાથે વાત કરતા, દેવજીત સૈકિયાએ આ અહેવાલોને ફગાવી દેતા કહ્યું કે, 'ગૌતમ ગંભીરના ટેસ્ટ કોચિંગ પદ અંગે કોઈ ચર્ચા થઈ નથી, કે અન્ય કોઈ કોચનો સંપર્ક કરવામાં આવ્યો નથી. આવી બધી અટકળો માત્ર એક અફવા છે.'

Gautam-Gambhir1
crictracker.com

BCCI સચિવે એ પણ સ્પષ્ટતા કરી કે, ગૌતમ ગંભીર તેમના વર્તમાન કરાર હેઠળ ટીમ ઈન્ડિયા સાથે કામ કરવાનું ચાલુ રાખશે. બોર્ડ હાલમાં કોચિંગ સ્ટાફમાં કોઈ ફેરફાર કરવાની કોઈ યોજના ધરાવતું નથી. તેમણે જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર ફરતી ચર્ચાઓ અને ગંભીરના રિપ્લેસમેન્ટ અંગેના કેટલાક અહેવાલો પાયાવિહોણા છે.

એક સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો છે કે, દક્ષિણ આફ્રિકા સામેની બે ટેસ્ટ શ્રેણીમાં કારમી હાર પછી તરત જ, BCCIના એક અધિકારીએ VVS લક્ષ્મણનો અનૌપચારિક સંપર્ક કર્યો હતો, જેથી કરીને તપાસ કરી શકાય કે શું તેમને ટેસ્ટ ટીમના કોચિંગ કરવા માટે છે. અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે લક્ષ્મણ તેમની વર્તમાન જવાબદારીઓથી ખૂબ ખુશ છે. અહીં તમને બતાવી દઈએ કે, લક્ષ્મણ બેંગલુરુમાં BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સમાં ક્રિકેટના વડા તરીકે સેવા આપે છે.

Gautam-Gambhir3
rvcj.com

BCCIના આ નિવેદનથી સ્પષ્ટ થઇ ગયું છે કે, બોર્ડ ગૌતમ ગંભીરમાં સંપૂર્ણ વિશ્વાસ ધરાવે છે અને કોચિંગ સેટઅપમાં કોઈપણ પ્રકારના ફેરફારની જરૂર જોતું નથી. ગંભીર હાલ ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાના કોચ રહેશે, અને તેમના ભવિષ્યને લગતી બધી અટકળો પાયાવિહોણી છે.

About The Author

Related Posts

Top News

એક સત્ર, બે મહાભિયોગ પ્રસ્તાવ... સરકાર કેવી રીતે પાર પાડશે નૈયા?

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી અગાઉ, મુખ્યમંત્રી મમતા બેનર્જી ફૂલ ફોર્મમાં દેખાય રહ્યા છે. તેઓ મોદી સરકારને રાજકીય કઠેડામાં ઊભી...
Politics 
એક સત્ર, બે મહાભિયોગ પ્રસ્તાવ... સરકાર કેવી રીતે પાર પાડશે નૈયા?

‘સમાન નાગરિક સંહિતા લાગૂ કરવાનો સમય આવી ગયો’, સુપ્રીમ કોર્ટની મોટી ટીપ્પણી

સુપ્રીમ કોર્ટે મંગળવારે મુસ્લિમ પર્સનલ લૉ હેઠળ મહિલાઓના અધિકારોના કથિત ઉલ્લંઘનને પડકારતી અરજીની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે દેશમાં સમાન નાગરિક...
National 
‘સમાન નાગરિક સંહિતા લાગૂ કરવાનો સમય આવી ગયો’, સુપ્રીમ કોર્ટની મોટી ટીપ્પણી

એલોવેરા પાવડરના નામે ખેલ, 22 કિલો પ્રતિબંધિત જપ્ત, 3 આરોપીઓની ધરપકડ

ગુજરાત ATSએ વિદેશમાં પ્રતિબંધિત સાયકોટ્રોપિક પદાર્થ એટોમિડેટના 22 કિલોગ્રામનો જથ્થો જપ્ત કર્યો છે. સાથે જ આ મામલે વધુ બે...
Gujarat 
એલોવેરા પાવડરના નામે ખેલ, 22 કિલો પ્રતિબંધિત જપ્ત, 3 આરોપીઓની ધરપકડ

LPGની અછત, ઝાંસીમાંથી ચોરાયો 524 ગેસ સિલિન્ડર ભરેલો ટ્રક, હાઇવે પરથી મળ્યો ખાલી!

મધ્ય પૂર્વમાં ઈરાન અને અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધે પેટ્રોલિયમ ઉત્પાદનોના પુરવઠા અંગે વિશ્વભરમાં ચિંતા ઉભી કરી છે....
National 
LPGની અછત, ઝાંસીમાંથી ચોરાયો 524 ગેસ સિલિન્ડર ભરેલો ટ્રક, હાઇવે પરથી મળ્યો ખાલી!
Copyright (c) Khabarchhe All Rights Reserved.