શું ગંભીરનું પત્તું કપાવાનું છે અને લક્ષ્મણ નવા કોચ બનવાના છે? BCCIએ આપ્યો જવાબ

ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરના કોચિંગ હેઠળ ટીમનું ટેસ્ટ ક્રિકેટમાં પ્રદર્શન ખાસ કઈ સારું રહ્યું નથી. તાજેતરમાં જ, ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામેની ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં 0-2થી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યાં સુધી કે, ગયા વર્ષે ભારત ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સામે પણ 0-3થી હારી ગયું હતું.

ગૌતમ ગંભીરની કોચિંગ શૈલી પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. કેટલાક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે, તેમને ટેસ્ટ કોચ તરીકે દૂર કરવામાં આવી શકે છે. તેની સાથે જ, જો 2026ના T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું પ્રદર્શન અપેક્ષાઓ પર ખરું ન ઉતરે, તો તેમના કરાર પર પુનર્વિચાર કરવામાં આવશે. ગંભીરનો કરાર 2027ના વનડે વર્લ્ડ કપ સુધી ચાલવાનો છે.

Gautam-Gambhir3
rvcj.com

હવે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ગૌતમ ગંભીરને લગતી ચાલી રહેલી આ અટકળો અંગે એક મોટું નિવેદન બહાર પાડ્યું છે. BCCIના સચિવ દેવજીત સૈકિયાએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ગૌતમ ગંભીરને રેડ-બોલ (ટેસ્ટ) કોચના પદ પરથી દૂર કરવા અંગે કોઈ ચર્ચા થઈ નથી અને આ અહેવાલો માત્ર અફવાઓ છે.

મીડિયા સૂત્રો સાથે વાત કરતા, દેવજીત સૈકિયાએ આ અહેવાલોને ફગાવી દેતા કહ્યું કે, 'ગૌતમ ગંભીરના ટેસ્ટ કોચિંગ પદ અંગે કોઈ ચર્ચા થઈ નથી, કે અન્ય કોઈ કોચનો સંપર્ક કરવામાં આવ્યો નથી. આવી બધી અટકળો માત્ર એક અફવા છે.'

Gautam-Gambhir1
crictracker.com

BCCI સચિવે એ પણ સ્પષ્ટતા કરી કે, ગૌતમ ગંભીર તેમના વર્તમાન કરાર હેઠળ ટીમ ઈન્ડિયા સાથે કામ કરવાનું ચાલુ રાખશે. બોર્ડ હાલમાં કોચિંગ સ્ટાફમાં કોઈ ફેરફાર કરવાની કોઈ યોજના ધરાવતું નથી. તેમણે જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર ફરતી ચર્ચાઓ અને ગંભીરના રિપ્લેસમેન્ટ અંગેના કેટલાક અહેવાલો પાયાવિહોણા છે.

એક સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો છે કે, દક્ષિણ આફ્રિકા સામેની બે ટેસ્ટ શ્રેણીમાં કારમી હાર પછી તરત જ, BCCIના એક અધિકારીએ VVS લક્ષ્મણનો અનૌપચારિક સંપર્ક કર્યો હતો, જેથી કરીને તપાસ કરી શકાય કે શું તેમને ટેસ્ટ ટીમના કોચિંગ કરવા માટે છે. અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે લક્ષ્મણ તેમની વર્તમાન જવાબદારીઓથી ખૂબ ખુશ છે. અહીં તમને બતાવી દઈએ કે, લક્ષ્મણ બેંગલુરુમાં BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સમાં ક્રિકેટના વડા તરીકે સેવા આપે છે.

Gautam-Gambhir3
rvcj.com

BCCIના આ નિવેદનથી સ્પષ્ટ થઇ ગયું છે કે, બોર્ડ ગૌતમ ગંભીરમાં સંપૂર્ણ વિશ્વાસ ધરાવે છે અને કોચિંગ સેટઅપમાં કોઈપણ પ્રકારના ફેરફારની જરૂર જોતું નથી. ગંભીર હાલ ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાના કોચ રહેશે, અને તેમના ભવિષ્યને લગતી બધી અટકળો પાયાવિહોણી છે.

About The Author

Related Posts

Top News

દિલ્હીમાં એક દિવસનું હોટલનું ભાડું 32 લાખ સુધી કેમ પહોંચી ગયું?

દેશની રાજધાની દિલ્હીમાં લકઝુરિયસ હોટલોમાં રૂમના ભાવો ભડકે બળી રહ્યા છે. તેની પાછળનું કારણ એવું છે કે દિલ્હીના પ્રગતિ મેદાન...
National 
દિલ્હીમાં એક દિવસનું હોટલનું ભાડું 32 લાખ સુધી કેમ પહોંચી ગયું?

હવે માણસોની જેમ તમારી જમીનનું પણ બનશે ‘આધાર કાર્ડ’, એક નંબરથી પકડાઈ જશે અસલી માલિક!

ઘણી વાર જોવા મળે છે કે એક ઇંચ જમીન માટે પણ વર્ષો સુધી કોર્ટના ચક્કર લગાવવા પડે છે. ક્યારેક નકશાની...
National 
હવે માણસોની જેમ તમારી જમીનનું પણ બનશે ‘આધાર કાર્ડ’, એક નંબરથી પકડાઈ જશે અસલી માલિક!

15 વર્ષની ઉંમરે ઉઠાવી લઈ ગયા હતા ડાકુઓ, 65 વર્ષ બાદ ઘરે પરત ફરેલી મીઠાનીની કહાની

ઉત્તર પ્રદેશના હરદોઈથી એક ઈમોશનલ કહાની સામે આવી છે. 6 દાયકા અગાઉ ડાકુઓએ જે મહિલાનું અપહરણ કર્યું હતું તે આખરે ...
National 
15 વર્ષની ઉંમરે ઉઠાવી લઈ ગયા હતા ડાકુઓ, 65 વર્ષ બાદ ઘરે પરત ફરેલી મીઠાનીની કહાની

જે રીતે ચિરાગ ગોટીના કાળા કારનામા ખૂલી રહ્યા છે આટલા વર્ષ સુધી તો એ જેલમાંથી બહાર નહીં આવે

સુરતનો કુખ્યાત ચિરાગ ગોટી સામે હવે લોકો ફરિયાદ કરવા માટે આગળ આવી રહ્યા છે અને પોલીસ સૂત્રોના કહેવા મુજબ ચિરાગ...
Gujarat 
જે રીતે ચિરાગ ગોટીના કાળા કારનામા ખૂલી રહ્યા છે આટલા વર્ષ સુધી તો એ જેલમાંથી બહાર નહીં આવે
Copyright (c) Khabarchhe All Rights Reserved.