આ પૂર્વ દિગ્ગજ ખેલાડી બોલ્યો- કોહલી વિના મારી વાપસી સંભવ નહોતી

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે ભારતને 2 વખત ચેમ્પિયન બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. વર્ષ 2007માં થયેલા T20 વર્લ્ડ કપ દરમિયાન તેણે ઇંગ્લેન્ડ વિરુદ્ધ કરો યા મરોવાળી મેચમાં અડધી સદી ફટકારી હતી અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સેમીફાઈનલ મેચમાં પણ તેણે અડધી સદી ફટકારી હતી. વર્ષ 2011ના વર્લ્ડ કપમાં તે સતત સારું પ્રદર્શન કરતા પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ રહ્યો હતો. જો કે, વર્ષ 2011ના વર્લ્ડ કપ બાદ યુવરાજ સિંહે પોતાના કેન્સર બાબતે જાણકારી મળી, જેના કારણે તેને ક્રિકેટથી બ્રેક લેવો પડ્યો અને જ્યારે તેણે એક વર્ષ બાદ વાપસી કરી તો તેને ટીમમાં જગ્યા બનાવી રાખવા માટે સંઘર્ષ કરવો પડ્યો.

યુવરાજ સિંહે હાલમાં જ પોતાની વાપસી સાથે જોડાયેલા ખુલાસા કર્યા છે. તેણે જણાવ્યું કે, જો વિરાટ કોહલી ન હોત તો તે ભારતીય ટીમમાં વાપસી ન કરી શકતો. યુવરાજ સિંહે ભારત માટે અંતિમ વન-ડે વર્ષ 2017માં વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ રમી હતી. એ જ વર્ષે તેણે ઇંગ્લેન્ડ વિરુદ્ધ પોતાના વન-ડે કરિયરનો હાઈએસ્ટ સ્કોર બનાવ્યો હતો. ઇંગ્લેન્ડ વિરુદ્ધ 150 રન બનાવ્યા હતા. T20 ઇન્ટરનેશનલમાં પણ તેને ઘણા ચાંસ મળ્યા હતા, પરંતુ તેનો તે ફાયદો ન ઉઠાવી શક્યો. યુવરાજ સિંહે એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કે, જ્યારે મેં વાપસી કરી, વિરાટ કોહલીએ મારો સપોર્ટ કર્યો.

તેણે કહ્યું કે, જો તેણે મારું સમર્થન ન કર્યું હોત તો હું વાપસી ન કરી શકતો, પરંતુ ત્યારે મહેન્દ્ર સિંહ ધોની હતો, જેણે મને વર્ષ 2019ને લઈને યોગ્ય તસવીર દેખાડી. તેણે જણાવ્યું કે, સિલેક્ટર્સ તેની બાબતે વિચારી રહ્યા નથી. તેણે મને યોગ્ય તસવીર દેખાડી. તેણે મને સ્પષ્ટતા આપી. તેણે એટલું કર્યું જેટલું તે કરી શકતો હતો. તેણે આગળ કહ્યું કે, વર્ષ 2011ના વર્લ્ડ કપ સુધી મહેન્દ્ર સિંહ ધોનીને મારામાં ખૂબ વિશ્વાસ હતો અને કહેતો હતો કે તું મારો ખાસ ખેલાડી છે, પરંતુ બીમારી બાદ પરત આવ્યા બાદ ગેમ બદલાઈ ગઈ હતી અને ટીમમાં ઘણા બદલાવ થઈ ગયા હતા. જ્યાં સુધી વર્ષ 2015ના વન-ડે વર્લ્ડ કપની વાત છે તો તમે કોઈ એક વસ્તુ પર સવાલ નહીં ઉઠાવી શકો. તે એક ખૂબ જ પર્સનલ કૉલ છે.

યુવરાજ સિંહના ક્રિકેટ કરિયરની વાત કરીએ તો તેણે ભારત માટે 40 ટેસ્ટ, 304 વન-ડે અને 58 T20 ઇન્ટરનેશનલ મેચ રમી છે. તેણે ટેસ્ટ 40 ટેસ્ટની 62 ઇનિંગમાં 33.93ની એવરેજ અને 57.98ની સ્ટ્રાઈક રેટથી 1,900 રન બનાવ્યા છે, જેમાં તેના નામે 3 સદી અને 11 અડધી સદી છે. 304 વન-ડેની 278 ઇનિંગમાં તેણે 36.56ની એવરેજ અને 87.68ની સ્ટ્રાઈક રેટથી 8,701 રન બનાવ્યા છે જેમાં તેના નામે 14 સદી અને 52 અડધી સદી છે, તો 58 T20 ઇન્ટરનેશનલમાં તેના નામે 1,177 રન છે, જેમાં તેના નામે 8 અડધી સદી નોંધાયેલી છે.

Related Posts

Top News

રત્નકલાકારોને રાહતની સમય મર્યાદા પુરી, જાણો કેટલા કારીગરોએ ફોર્મ ભર્યા?

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં 3 વર્ષથી કારમી મંદી અને રત્નકલાકારો બેરોજગાર થઇ રહ્યા હોવાની બુમરાણ વચ્ચે ગુજરાત સરકારે 24 મે 2025...
Gujarat 
રત્નકલાકારોને રાહતની સમય મર્યાદા પુરી, જાણો કેટલા કારીગરોએ ફોર્મ ભર્યા?

લોકો સસ્તું સોનું ખરીદી શકે તેના માટે સરકારે કાઢ્યો આ રસ્તો

સોનાના ભાવો છેલ્લાં કેટલાંક સમયથી આસમાને પહોંચી ગયા છે. 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1 લાખ રૂપિયાને પાર...
Business 
લોકો સસ્તું સોનું ખરીદી શકે તેના માટે સરકારે કાઢ્યો આ રસ્તો

કમર્શિયલ પર્પઝ માટે બેંકની સેવા મેળવનાર બેંકના ગ્રાહક ગણાય નહીં: ગ્રાહક કમિશન

સુરત. લોનની નિર્ધારીત મુદત પુરી થાય તે પહેલા લોન ખાતા બંધ કરતી વખતે બેંક દ્વારા વસૂલ કરવામાં આવેલ ફોર ક્લોઝર...
Gujarat 
કમર્શિયલ પર્પઝ માટે બેંકની સેવા મેળવનાર બેંકના ગ્રાહક ગણાય નહીં: ગ્રાહક કમિશન

બીગ બી-શાહરૂખ, અજય દેવગણે જેમાં રોકાણ કરેલું છે તે કંપનીનો IPO આવી રહ્યો છે

આગામી દિવસોમાં એક રીઅલ એસ્ટેટ કંપનીનો IPO આવી રહ્યો છે, જેમાં બોલિવુડ અભિનેતા અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, રિતિક...
Business 
બીગ બી-શાહરૂખ, અજય દેવગણે જેમાં રોકાણ કરેલું છે તે કંપનીનો IPO આવી રહ્યો છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.