અમેરિકામાં ઉડતા વિમાનમાં આગ લાગી, વીડિયો થયો વાયરલ

કેટલીક વખત વિમાનોમાં કોઇ ટેક્નિકલ ખામીના કારણે વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડે છે. પણ હાલમાં હવામાં ઉડતી એક યાત્રિઓ ભરેલી ફ્લાઇટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. તેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેને જોઇને રૂંવાટા ઉભા થઇ જશે.

રવિવારના રોજ અમેરિકન એરલાઇનના એક વિમાનના એન્જિનમાં હવામાં જ આગ લાગી ગઇ હતી. એક પક્ષી વિમાન સાથે અથડાયું અને પછી આગ લાગી ગઇ હતી અને મોટી ઘટના બની શકતી હતી. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને ન્યુઝ એજન્સીને કહ્યું કે, આગ લાગવા પર વિમાનને ગયા રવિવારે ઉડાણના 30 મીનિટની અંદર જ સવારે 8 વાગે ઝોન ગ્લેન કોલંબસ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ કરાવાયું હતું. ઘટનામાં કોઇના ઘાયલ થવાની કોઇ જાણકારી નથી. એરપોર્ટ પ્રશાસને ટ્વીટર દ્વારા જાણકારી આપી કે વિમાન સુરક્ષિત લેન્ડ કરી લેવામાં આવ્યું છે.

પ્લેનના સુરક્ષિત લેન્ડ કરવા પર જ્યારે તેમાં યાત્રિઓને આગની ઘટનાની જાણકારી મળી તો તેમના હોંશ ઉડી ગયા અને દુર્ઘટના ટળી જવાને લઇને જીવમાં જીવ આવ્યો. એરલાઇને ન્યુઝ એજન્સીને કહ્યું કે, વિમાનના મેનટેન્સ માટે હાલ તેને આઉટ ઓફ સર્વિસ કરી દેવામાં આવ્યું છે અને ટીમે યાત્રિઓને તેમના ડેસ્ટિનેશન પર સુરક્ષિત પહોંચાડી દીધા છે. સુરક્ષા તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને અમે પોતાના યાત્રિઓને એવા સમયમાં ધૈર્ય રાખવા માટે ધન્યવાદ આપીએ છીએ.

ગયા વર્ષે ભારતમાં પણ આવી જ દુર્ઘટના બની હતી. અહીં બિહારની રાજધાની પટનામાં એક મોટી વિમાન દર્ઘટના થતા થતા રહી ગઇ હતી. સ્પાઇસ જેટના વિમાનની વિંગમાં આગ લાગ્યા પછી પટના એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. આ વિમાન સ્પાઇસ જેટનું હતું. પટનાથી દિલ્લી જઇ રહેલા આ વિમાનમાં 185 યાત્રિઓ સવાર હતા. જાણકારી અનુસાર, સ્પાઇસ જેટના આ વિમાને દિવસમાં 12 વાગીને 10 મિનિટે પટનાના જયપ્રકાશ ઇન્ટરનેશનલ એરપોર્ટથી ઉડાણ ભરી હતી.

ઉડાણ ભર્યાના થોડા સમય પછી વિમાનની એક પાંખમાં આગ લાગી ગઇ હતી. પટનાના ફુલવારી શરીફ વિસ્તારના લોકોએ કોઇ અણબનાવની આશંકા વ્યક્ત કરતા આ જાણકારી તત્કાલ જિલ્લા પ્રશાસનને આપી. સામાન્ય નાગરિકોએ જેવી આ વિમાનની પાંખમાં આગ લાગવાની જાણકારી જિલ્લા પ્રશાસનને આપી, પ્રશાસનિક અધિકારી એક્ટિવ મોડમાં આવી ગયા અને દુર્ઘટનાને ટાળી શક્યા.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.