નેપાળના કાઠમંડુમાં 'આદિપુરુષ' ફિલ્મ પર પ્રતિબંધ, કોઈ ભારતીય ફિલ્મ નહીં બતાવાય

'આદિપુરુષ'નો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. 'આદિપુરુષ' વિવાદ પછી નેપાળના કાઠમંડુમાં તમામ ભારતીય ફિલ્મોના સ્ક્રીનિંગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. નેપાળે સીતાના જન્મના તથ્યો પર નારાજગી વ્યક્ત કરી છે. જોકે આ એક જૂનો મુદ્દો છે, જ્યારે બંને દેશો વચ્ચે સમયાંતરે તેના વિષે ચર્ચા થતી રહી છે.

ઓમ રાઉતની ફિલ્મ 'આદિપુરુષ'નો વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. હવે આ ફિલ્મને નેપાળમાંથી પણ ઝટકો લાગ્યો છે. હકીકતમાં કાઠમંડુમાં 'આદિપુરુષ' પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી. ફિલ્મને લઈને ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યા હતા. આ કારણે ત્યાંની પોલીસે 'આદિપુરુષ'ને કાઠમંડુથી પ્રતિબંધિત કરવાનો નિર્ણય લીધો છે. માત્ર પ્રભાસ અને કૃતિ સેનનની ફિલ્મ જ નહીં, પણ સોમવારથી ત્યાંના તમામ સિનેમાઘરોમાં કોઈ પણ હિન્દી ફિલ્મ નહીં ચાલે. જાણો શું છે આ આખો મામલો.

કાઠમંડુના મેયર બાલેન શાહે 'આદિપુરુષ' વિશે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી. જ્યારથી રામાયણ પર બનેલી આ ફિલ્મ રિલીઝ થઈ છે ત્યારથી નેપાળમાં પણ તેનો વિરોધ થઈ રહ્યો છે. અહીં સીતાજીના જન્મના તથ્યોને લઈને હોબાળો થયો છે. આવી સ્થિતિમાં નેપાળમાં 'આદિપુરુષ'ના સ્ક્રિનિંગ પર પ્રતિબંધ લગાવવાના અહેવાલો સામે આવ્યા છે. હવે કાઠમંડુ મ્યુનિસિપલ કોર્પોરેશને નિર્ણય લીધો છે કે, તેઓ 'આદિપુરુષ' જ નહીં, પરંતુ કોઈ પણ હિન્દી ફિલ્મ નહીં ચલાવે.

કાઠમંડુના મેયર બાલેન શાહે ટ્વિટ કર્યું હતું કે, જ્યાં સુધી 'આદિપુરુષ'ના નિર્માતાઓ સીતાના જન્મની હકીકતને સુધારશે નહીં ત્યાં સુધી તેઓ ફિલ્મ નહીં ચલાવે. વાસ્તવમાં નેપાળ સરકારનું કહેવું છે કે, સીતાજીનો જન્મ નેપાળના તરાઈ વિસ્તારના જનકપુરમાં થયો હતો. જ્યારે ભારતમાં એવું માનવામાં આવે છે કે, સીતાનો જન્મ સીતામઢીમાં થયો હતો. આ મુદ્દે બંને દેશો વચ્ચે હંમેશા વિવાદ થતો રહ્યો છે.

એ નવાઈની વાત એ છે કે, કાઠમંડુમાં ભારતીય ફિલ્મો પર પ્રતિબંધ મુકવાની વાત સામે આવી છે. અહીં તમને જણાવી દઈએ કે, નેપાળમાં શરૂઆતથી જ ભારતીય ફિલ્મોને ઘણો પ્રેમ મળી રહ્યો છે. ત્યાં ભારતીય કલાકારોનો પણ ઘણો ક્રેઝ જોવા મળ્યો છે. આવી સ્થિતિમાં કાઠમંડુના 17 ફિલ્મ હોલમાં ભારતીય ફિલ્મો બતાવવાની ના પાડી દીધી છે. તે કહે છે કે, જ્યાં સુધી તે સીતાના જન્મની હકીકતને સુધારશે નહીં ત્યાં સુધી તે પોતાનો નિર્ણય બદલશે નહીં.

About The Author

Top News

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.