આ દેશના PM છે ખૂબ જ અંધવિશ્વાસુ, દુર્ભાગ્યથી બચવા માટે શોધ્યો અનોખો ઉપાય

કંબોડિયાના (Cambodia) પ્રધાનમંત્રી હૂન સેને પોતાની સત્તાવાર જન્મતિથિને બદલવાનો નિર્ણય લીધો છે. હવે તેઓ પોતાના જન્મની નવી તારીખ ચાઇનીસ રાશિ કેલેન્ડર મુજબ રાખશે.

ચાઇનીસ કેલેન્ડર મુજબ રાખશે નવી તારીખ

સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ, તેની જાહેરાત પ્રધાનમંત્રી હૂન સેને પાંચ મેના રોજ પોતાના મોટા ભાઈના મૃત્યુ પછી કરી. આ દરમિયાન તેમને ખૂબ જ અંધવિશ્વાસુ કહેવામાં આવ્યા. પ્રધાનમંત્રી હૂન સેનને શંકા છે કે તેના ભાઇનું મૃત્યુ ખોટી જન્મ તારીખના કારણે થયું, જે ચાઇનીસ રાશિ કેલેન્ડરની સાથે મેચ થતી નથી. સિંગાપુરથી પરત ફર્યાના દસ દિવસ પછી તેમના ભાઈનું હાર્ટ અટેકના કારણે મૃત્યુ થઈ ગયું. જ્યાં તેમણે પોતાની સારવાર કરાવી હતી.

PMની છે બે જન્મ તારીખ

પ્રધાનમંત્રી હૂન સેને કહ્યું કે, તેમની બે જન્મ તારીખો હતી, એક 4 એપ્રિલ 1951 અને બીજી 5 ઓગસ્ટ 1952. તેઓનું કહેવું છે કે, 5 ઓગસ્ટની તારીખ સાચી છે. તેમણે ખોટી જન્મ તિથિનો ઉપયોગ કરવા માટે એક વહીવટી ભૂલને જવાબદાર ગણાવી હતી.

ચાઇનીસ રાશિ અવગણશો નહીં

પ્રધાનમંત્રી હૂન સેને કહ્યું કે, ચાઇનીસ રાશિને અવગણવામાં નહીં આવવી જોઈએ. મલેશિયા સ્થિત એક અખબારના જણાવ્યા અનુસાર, તેમણે કહ્યું કે મેં પહેલા જ ન્યાય મંત્રી કોઉત રિથની સાથે ચર્ચા કરી છે અને હું મારી સાચી જન્મ તારીખનો ઉપયોગ કરવા માટે પરત ફરીશ. પ્રધાનમંત્રી હૂન સેને કહ્યું કે એકવાર પોતાની જન્મ તિથિ બદલવાની પ્રક્રિયા પૂરી થઈ ગયા પછી, સાર્વજનિક રૂપથી એક જાહેરાત કરશે અને એક રાજદ્વારી નોટના માધ્યમથી મિત્ર દેશોને જણાવશે.

50 વર્ષથી વધુ ઉંમરના લોકોની છે બે જન્મ તારીખ

કંબોડિયાના લોકો માટે કે જે લોકો 50થી વધુ ઉંમરના છે, તેઓની બે જન્મ તારીખ હોવી એ સાધારણ વાત છે, કારણ કે ઘણા લોકોએ 1975 થી 1979 સુધી ખમેર રુસ શાસન દરમિયાન પોતાના સત્તાવાર રેકોર્ડ ગુમાવી દીધા હતા. ઘણા લોકોએ 1980ના દશકમાં સૈન્ય ભરતીને છેતરવા આપવા માટે પોતાના રેકોર્ડ પણ બદલી નાખ્યા હતા.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.