માત્ર 2 સેકન્ડમાં કરોડપતિ બની ગયો આ વ્યક્તિ, પરંતુ પછી તેને જવું પડ્યું જેલમાં

દુબઈમાં એક ભારતીય વ્યક્તિનુ નસીબ એવું ચમક્યું કે તે માત્ર 2 સેકન્ડમાં જ કરોડપતિ બની ગયો. જેનાથી વ્યક્તિના ભાગ્ય ખુલી ગયા. અચાનક તેના ખાતામાં 1.28 કરોડ રૂપિયા આવવાનો મેસેજ આવ્યો. મોબાઈલ પર મેસેજ આવતા જ વ્યક્તિ ખુશીથી ઉછળી પડ્યો. તેણે ઘણી ખરીદી કરી. શાન-શોખ પાછળ ઘણો ખર્ચ કર્યો. બાદમાં જાણવા મળ્યું કે પૈસા કોઈ બીજાના ખાતામાંથી ભૂલથી વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર થઈ ગયા. મોકલનારે સંપર્ક કર્યો તો, વ્યક્તિએ પૈસા પરત કરવાનો ઇનકાર કર્યો. હવે તે જેલની હવા ખાઈ રહ્યો છે.

માહિતી અનુસાર, સંયુક્ત અરબ અમીરાતના દુબઈમાં ઓક્ટોબર 2021માં મેડિકલ બિઝનેસ કંપનીની ભૂલથી ખાતામાં ટ્રાન્સફર કરાયેલા 5.70 લાખ દિરહમ (લગભગ 1.28 કરોડ રૂપિયા) પરત કરવાનો ઇનકાર કરવા બદલ એક ભારતીયને એક મહિના માટે જેલમાં મોકલવામાં આવ્યો છે. ધ નેશનલ અખબારના સમાચારના જણાવ્યા અનુસાર આ વ્યક્તિ, જેની ઓળખ જાહેર કરવામાં આવી નથી, તેને તાજેતરમાં દુબઈની ફોજદારી અદાલતે દંડ તરીકે સમાન રકમ ચૂકવવા અને તેની સજા પૂરી કર્યા પછી દેશનિકાલ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. મેડિકલ બિઝનેસ કંપનીના અધિકારીએ ન્યાયાધીશને કહ્યું કે તે તેના એક બિઝનેસ ગ્રાહકને 5.70 લાખ દિરહમ મોકલી રહ્યો હતો, પરંતુ તે રકમ ભૂલથી આરોપી વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર થઈ ગઈ.

અખબારે અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે વ્યક્તિએ પુષ્ટિ કરી હતી કે તેને ખાતામાં રકમ જમા થવાની માહિતી મળી હતી, પરંતુ તેને તેના સ્ત્રોતની ચકાસણી કરી નહી. રિપોર્ટમાં આરોપીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, “મને ત્યારે આશ્ચર્ય થયું જ્યારે ખબર પડી કે ખાતામાં 5.70 લાખ દિરહમ જમા કરવામાં આવ્યા છે. મેં તેનાથી ભાડું ચૂકવ્યું અને અન્ય ખર્ચાઓ કર્યા.” આરોપીએ ભૂલથી કરાયેલી રકમ ટ્રાન્સફર હોવાનું જાણવા છતાં બેંકમાં રકમ પરત કરવાનો ઇનકાર કર્યો હતો. સમાચાર અનુસાર, દુબઈના સરકારી વકીલે તેની સામે ગેરકાયદેસર રીતે રકમ મેળવવા માટે કેસ ચલાવ્યો હતો. અખબાર અનુસાર આરોપીએ ચુકાદાને પડકાર્યો છે અને આવતા મહિને તેની અપીલની સુનાવણી થવાની અપેક્ષા છે.

About The Author

Top News

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

તપાસ સમિતિએ અમદાવાદની ક્રિશ્ચિયન ટ્રસ્ટ સંચાલિત જાણીતી 'સેવન્થ-ડે સ્કૂલ'નો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો છે. જેમાં...
Gujarat 
સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!

કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. તેમણે તાજેતરમાં પક્ષના નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી અને કહ્યું હતું...
National 
'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.