પશુપતિનાથ મંદિરથી ગાયબ થયું 10 કિલો સોનું, ઇનવેસ્ટિગેશન અધિકારીઓએ કર્યું જલહરી..

નવ સ્થાપિત આભૂષણના નિર્માણમાં અનિયમિતતાઓના વધતા દાવાઓ વચ્ચે નેપાળના ઉચ્ચ ભ્રષ્ટાચાર નિરોધક એજન્સીએ પશુપતિનાથ મંદિરની અંદર ‘જલહરી’માં ગાયબ સોનાની તપાસ શરૂ કરી દીધી છે. મીડિયામાં પ્રકાશિત રિપોર્ટ્સમાં સોમવારે આ જાણકારી આપવામાં આવી છે. ‘જલહરી’ એ પાયો છે, જેના પર શિવલિંગ સ્થાપિત કરવામાં આવે છે. કાઠમાંડુના સૌથી જૂના હિન્દુ મંદિર પશુપતિનાથ મંદિરના આંતરિક ગર્ભગૃહમાં તે છે.

જલહરીથી 10 કિલોગ્રામ સોનું ગાયબ થવાના રિપોર્ટની તપાસ કરવા માટે સરકાર દ્વારા અધિકારનો દુરુપયોની તપાસ કરનારા આયોગ (CIAA)ને નિર્દેશ અપાયા બાદ રવિવારે મંદિર ભક્તો માટે બંધ કરી દેવામાં આવ્યું હતું. CIAAની એક વિશેષ ટીમે સફળતાપૂર્વક સોનાનું વજન કર્યું. વજન કરવાની પ્રક્રિયા સાંજે 6:00 વાગ્યે શરૂ થઈ અને સોમવારે સવારે 2:00 વાગ્યે સમાપ્ત થઈ હતી.

‘માય રિપબ્લિક’ વેબસાઇટ મુજબ એક સત્તાવાર અધિકારીએ જાણકારી આપતા કહ્યું કે, જલહરીને તોળવાની પ્રક્રિયા પૂરી થઈ ચૂકી છે અને જલહરીની ખંડિત સંરચનને ધ્યાનમાં રાખતા અમે વર્તમાનમાં તેનું કુલ વજન નિર્ધારિત કરવા માટે અંતિમ મૂલ્યાંકન કરી રહ્યા છીએ. અધિકારીએ સંકેત આપ્યા કે, પ્રાથમિક માપ મુજબ જલહરીના વજન ઓછું હોવાની જાણકારી મળી છે, પરંતુ વજનમાં કમીની સ્પષ્ટ સીમાની પુષ્ટિ કરવામાં આવી નથી.

રિપોર્ટ્સમાં અધિકારીના સંદર્ભે કહેવામાં આવ્યું છે કે, અંતિમ મૂલ્યાંકન પૂરું થયા બાદ જ અમે આગળની જાણકારી આપી શકીએ છીએ. સમારકામ બાદ જલહરીને પશુપતિનાથ મંદિરમાં ફરી સ્થાપિત કરવામાં આવશે. CIAAની તપાસ જલહરીની આસપાસ અનિયમિતતાઓને લઈને કરવાંઆ આવેલી એક ફરિયાદ બાદ થઈ. પશુપતિ ક્ષેત્ર વિકાસ ઓથોરિટીએ દાવો કર્યો કે, તેણે જલહરી બનાવવા માટે 103 કિલોગ્રામ સોનું ખરીદ્યું હતું, પરંતુ આભૂષણથી 10 કિલોગ્રામ સોનું ગાયબ હતું. તપાસ પ્રક્રિયા માટે પશુપતિ મંદિર પરિસરમાં નેપાળ સેનાના જવાનો સહિત ઘાણ સુરક્ષાકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા હતા.

પશુપતિ ક્ષેત્ર વિકાસ ટ્રસ્ટના કાર્યકારી ડિરેક્ટર ઘનશ્યામ ખાતીવાડા મુજબ, ગાયબ થયેલા સોના પર ઉઠેલા સવાલો બાદ પશુપતિનાથની સોનથી બનેલી જલહરીને ભ્રષ્ટાચાર નિરોધક ઓથોરિટી તેની ગુણવત્તા અને વજન નક્કી કરવા માટે લઈ લીધા હતા. પશુપતિનાથ મંદિર કાઠમાંડુનું સૌથી જૂનું હિન્દુ મંદિર છે. જલહરી એક સોનાનું આભૂષણ છે જે ગયા વર્ષે મહાશિવરાત્રિ દરમિયાન મંદિર અંદર શિવલિંગની ચારેય તરફ સ્થાપિત કરવામાં આવ્યું હતું. આ શિવલિંગના આભૂષણમાંથી 10 કિલોગ્રામ સોનું ગાયબ થવાના રિપોર્ટ બાદ સંસદમાં સવાલ ઉઠાવ્યા બાદ સરકારે ઓથોરિટીના દુરુપયોગની CIAAને તપાસ શરૂ કરવાના નિર્દેશ આપ્યા હતા.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.