ભારતીય ન્યૂઝ ચેનલોને પાકિસ્તાનમાં બંધ કરવાનું આવ્યું ફરમાન

પાકિસ્તાનની ઇલેક્ટ્રોનિક મીડિયા પર નજર રાખનારી સંસ્થાએ શુક્રવારે આખા દેશમાં સ્થાનિક કેબલ ટી.વી. ઓપરેટરોને ભારતીય ચેનલોનું પ્રસારણ બંધ કરવાનો આદેશ આપ્યો છે અને તેનું ઉલ્લંઘન થવા પર સખત કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે. પાકિસ્તાન ઇલેક્ટ્રોનિક મીડિયા નિયામક ઓથોરિટી (PEMRA)એ એક નિવેદનમાં કહ્યું કે, અલગ-અલગ ઓપરેટર પહેલા પણ તેમના અને સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત નિયમોનું ઉલ્લંઘન કરતા જોવા મળ્યા છે.

શુક્રવારે PEMRAએ પોતાના સ્થાનિક કાર્યાલયોને આદેશ આપ્યો હતો કે તે કેબલ ઓપરેટરો દ્વારા ભારતીય ચેનલોનું પ્રસારણ કરીને નિયમોનું ઉલ્લંઘન કરવાના ખબરોની તપાસ કરે. PEMRAએ એક નિવેદનમાં કહ્યું કે, ‘ઓથોરિટીના લાઇસન્સ પ્રાપ્ત ચેનલો સિવાય કોઈ પણ ચેનલને કેબલ ટી.વી. નેટવર્ક પર પ્રસારણની મંજૂરી નહીં આપવામાં આવે અને જો કોઈ ઓપરેટર આદેશની અવગણના કરતા જોવા મળે છે તો તેમની વિરુદ્ધ ઓથોરિટી કાયદા મુજબ સખત કાર્યવાહી કરશે.

કરાચી ક્ષેત્રીય કાર્યાલયે અલગ-અલગ વિસ્તારમાં અચાનક નિરીક્ષણ કર્યું અને ડિજિટલ કેબલ નેટવર્ક, હોમ મીડિયા કમ્યુનિકેશન્સ (પ્રાઇવેટ) લિમિટેડ, શાહજેબ કેબલ નેટવર્ક અને સ્કાઈ કેબલ વિઝન જેવા કેબલ ઓપરેટરો પર છાપેમારી કરી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ઓથોરિટીની પ્રવર્તન ટીમોએ સિંધના હૈદરાબાદ અને પંજાબના મુલ્તાન ક્ષેત્રમાં આ જ પ્રકારના છાપેમારી કરીને ગેરકાયદેસર ઉપકરણ જપ્ત કર્યા અને ઉલ્લંઘનકર્તાઓને કારણ બતાઓ નોટિસ જાહેર કરી છે.

પાકિસ્તાન અગાઉ પણ ઘણી વખત ભારતીય ફિલ્મો અને ટી.વી. ચેનલો પર પ્રતિબંધ લગાવી ચૂક્યું છે. પહેલી વખત તેણે વર્ષ 1965ના યુદ્ધ બાદ ભારતીય ફિલ્મો પર પ્રતિબંધ લગાવ્યો હતો, જે દશક સુધી ચાલુ રહ્યો. જો કે, વર્ષ 2008માં દ્વિપક્ષીય સંબંધમાં સુધાર બાદ તેને હટાવી દેવામાં આવ્યો. કાશ્મીર મુદ્દા પર બંને દેશો વચ્ચે તણાવ બાદ વર્ષ 2016માં પાકિસ્તાનમાં ભારતીય કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. લાહોર હાઇ કોર્ટે વર્ષ 2018માં પ્રતિબંધ વિરુદ્ધ નિર્ણય આપ્યો, પરંતુ ઓક્ટોબર 2018માં સુપ્રીમ કોર્ટે હાઇ કોર્ટના નિર્ણયને પલટી દીધો અને ફરી પ્રતિબંધ લગાવી દીધો.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.