પોલીસનો દાવો- ઇમરાનના ઘરમાં સંતાયા છે 30-40 આતંકવાદી, મકાનને ઘેર્યું

પાકિસ્તાનમાં રોજ નવી બવાલ જોવા મળી રહી છે. પોલીસે દાવો કર્યો છે કે, ઇમરાન ખાનના જમન પાર્ક સ્થિત ઘરમાં 30-40 આતંકી સંતાયા છે. ત્યારબાદ પોલીસે ઇમરાન ખાનના ઘરને ચારેબાજુથી ઘેરી લીધુ છે. ઇમરાન ખાન પર લાહોરના કોર કમાન્ડરના ઘર પર હુમલાનો આરોપ છે. બુધવારે પંજાબ પ્રાંતની અંતરિમ સરકારે ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) ને 24 કલાકનું અલ્ટીમેટર આપતા ઇમરાન ખાનના ઘરે છૂપાયેલા 30-40 આતંકવાદીઓને સોંપવાનું ફરમાન જાહેર કરી દીધુ છે.

જિયો ન્યૂઝે પ્રાંતના કાર્યવાહક સૂચના મંત્રી આમિર મીરના હવાલાથી કહ્યું, PTI ક્યાં તો આ આતંકીઓને સરકારને સોંપે નહીં તો કાયદો પોતાનું કામ કરશે. તેમણે એવુ પણ કહ્યું કે, સરકાર આ આતંકીઓની હાજરી અંગે જાણતી હતી કારણ કે તેમની પાસે વિશ્વસનીય ગુપ્ત જાણકારી હતી. મીરે કહ્યું, જે ઇન્ટેલિજન્સ રિપોર્ટ મળ્યો, તે ચોંકાવનારો હતો. મીરે કહ્યું કે, 9 મેના રોજ થયેલી હિંસા સુનિયોજિત હતી. કોર કમાન્ડરના ઘર પર થયેલા હુમલામાં સામેલ ઘણા લોકો ઇમરાન ખાનના સંપર્કમાં હતા.

અલ કાદિર ટ્રસ્ટ મામલામાં કરપ્શનને લઇને પાકિસ્તાનના પૂર્વ PM ઇમરાન ખાન વિરુદ્ધ ઇસ્લામાબાદ હાઈકોર્ટમાં સુનાવણી હતી. તેઓ કોર્ટ પહોંચ્યા. બહાર હજારોની સંખ્યામાં તેમના સમર્થક હાજર હતા. પરંતુ, કોર્ટ જતા પહેલા જ નેશનલ અકાઉન્ટેબિલિટી બ્યૂરો (NAB) અને પાકિસ્તાન રેન્જર્સે તેમને અરેસ્ટ કરી લીધા હતા.

ધરપકડને ગેરકાયદેસર ગણાવતા ઇમરાન ખાનના સમર્થકોએ વિરોધ-પ્રદર્શન શરૂ કરી દીધા. ત્યારબાદ તેણે હિંસકરૂપ ધારણ કરી લીધુ. પેશાવર, કરાચી, ઇસ્લામાબાદ, મર્દન, ગુજરાંવાલા ઉપરાંત દેશના વિવિધ શહેરોમાં વિરોધ-પ્રદર્શન થયા. ઇમરાન ખાનના સમર્થકોએ ઘણા નાના-મોટાં વાહનોમાં આગ લગાવી દીધી અને તોડફોડ કરી. ત્યારબાદ તેમણે લાહોર સ્થિત PM આવાસ પર હુમલો કર્યો. ત્યાં પેટ્રોલ બોમ્બ ફેંક્યા અને ડઝનો વાહનોમાં આગ લગાવી દીધી. તેઓ લાહોર કેન્ટના કોર્પ્સ કમાન્ડરના ઘરમાં ઘૂસી ગયા અને ત્યાં આગ લગાવી. આ ઉપરાંત, રાવલપિંડીમાં તેમણે સેનાની હેડ ઓફિસ પર હુમલો કર્યો અને ત્યાં પણ પથ્થરમારો પણ કર્યો.

ઇમરાનના સમર્થકોની આ હરકતને પાકિસ્તાની સરકારે એક્ટ ઓફ ટેરરિઝ્મ ગણાવ્યું. પાકિસ્તાનના સેના પ્રમુખ અસીમ મુનીરે કહ્યું કે, હિંસાની પાછળ ઇમરાન ખાનનો હાથ છે અને હિંસાની યોજના બનાવનારા, ઉશ્કેરનારા અને ભડકાવનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

About The Author

Top News

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.