ચોરીના આરોપમાં ધરપકડ થયેલી મહિલાને મળશે 15 કરોડ રૂપિયા

ક્યારેક ક્યારેક જિંદગીમાં કોઈ દાવ ઊલ્ટો પડી જાય છે અને કંઈક એવું જ મલ્ટિનેશનલ કંપની વૉલમાર્ટ સાથે પણ થયું છે. આ ઘટના અમેરિકાની છે જ્યાં વર્ષ 2016મા વૉલમાર્ટના કર્મચારીઓએ એક મહિલા પર ચોરીનો આરોપ લગાવ્યો હતો. આ ઘટનામાં ધરપકડ થયા બાદ મહિલાએ કંપની પર કેસ કરી દીધો હતો એવામાં કોર્ટે મહિલાના પક્ષમાં નિર્ણય સંભળાવતા કંપનીએ 15 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.

મલ્ટિનેશનલ કંપની વૉલમાર્ટે એક મહિલાને વળતર તરીકે 15 કરોડ રૂપિયા આપવા પડશે. કંપનીના કર્મચારીઓએ એ સમયે 48 ડૉલર (લગભગ 3600 રૂપિયા)ના સામાનને ચોરી કરવાનો આરોપ લગાવ્યો હતો જેની વિરુદ્ધ મહિલાએ કોર્ટમાં કેસ કરી દીધો હતો જ્યાં નિર્ણય તેના પક્ષમાં આવ્યો અને વૉલમાર્ટને વળતર આપવાનો આદેશ આપ્યો છે. ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ મુજબ આ ઘટના વર્ષ 2016મા થઈ હતી. લેસ્લી નર્સ નામની મહિલા વૉલમાર્ટમાં ખરીદી કરવા ગઈ હતી પરંતુ જેવી જ તે સામાન લઈને બહાર નીકળી ત્યાં કર્મચારીઓએ તેને રોકો લીધી.

તેમણે મહિલા પર સામાન ચોરી કરીને સ્ટોરથી બહાર નીકળવાનો આરોપ લગાવી દીધો જ્યારે મહિલાનું કહેવું હતું કે તેણે 3600 રૂપિયાની ખરીદી કરી હતી જેની ચુકવણી તેણે કરી દીધી હતી છતા તેની ધરપકડ કરી લેવામાં આવી. એટલું જ નહીં ત્યારબાદ તેની વિરુદ્ધ કેસ દાખલ કરાવવાની ધમકી આપવામાં આવવા લાગી. એક લો ફર્મ તરફથી તેને નોટિસ મોકલવામાં આવી. લેસ્લી નર્સે દાવો કર્યો કે આ નોટિસ વૉલમાર્ટ દ્વારા મોકલવામાં આવી રહી હતી. કંપની દ્વારા 3600 રૂપિયાના સામાનની જગ્યાએ 15 હજાર રૂપિયા ચૂકવવાનો દબાવ બનાવવામાં આવ્યો.

આખરે તંગ આવીને વર્ષ 2018મા લેસ્લીએ પણ વૉલમાર્ટ વિરુદ્ધ કેસ દાખલ કરાવી દીધો. આ કેસમાં સ્થાનિક કોર્ટે લેસ્લીના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો. જેથી વૉલમાર્ટને 2.1 લાખ ડૉલર (15 કરોડ રૂપિયા કરતા વધુ)નું વળતર ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. જોકે વૉલમાર્ટ તેને ઉપલી કોર્ટમાં ચેલેન્જ કરશે. લેસ્લીએ કહ્યું કે વૉલમાર્ટ આ પહેલા પણ ગ્રાહકો પર સમાન ચોરીનો આરોપ લગાવીને તેમની પાસે પૈસા વસૂલ કરી રહ્યું છે પરંતુ મેં તેની વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો જેથી બીજાઓને તેનાથી બચાવી શકાય.

About The Author

Top News

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

જમ્મુ-કાશ્મીરના પહલગામની બેસરન ખીણમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા એક ભયાનક આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 26 લોકોના મોતની આશંકા વ્યક્ત...
National 
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

દેશમાં પહેલીવાર ગુજરાતાં સોનાનો ભાવ 1 લાખને પાર કરી ગયો છે. આંતરરાષ્ટ્રીય બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ ઔંસ દીઠ 3430 ડોલર...
Business 
ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

તાજેતરમાં સુરતના ઇન્ડોર સ્ટેડીયમમાં SRK ડાયમંડ કંપની દ્રારા પરિવારોત્સવ 2025ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કંપનીના 61 વર્ષ પુરા...
Gujarat 
'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ

ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને તેમના સમયના મહાન બેટ્સમેન મોહમ્મદ અઝહરુદ્દીનને હવે પસ્તાવો થાય છે કે, તેઓ ક્રિકેટ રમ્યા...
Sports 
મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ
Copyright (c) Khabarchhe All Rights Reserved.