રાજકોટઃ 108ની ટીમે ઈજાગ્રસ્ત બાઈકચાલક પાસે મળેલી 50000 રોકડ પરત કરી

જાહેર માર્ગો પર અક્સ્માત સમયે સત્વરે દોડી જતી 108 એમ્બ્યુલન્સ ઈજાગ્રસ્ત વ્યક્તિની સારવાર વેળાએ તેમની પાસે રહેલ કિંમતી મુદામાલ સાચવીને દર્દીના પરિવારજનોને રૂબરૂ બોલાવી પરત કરી ઈજાગ્રસ્ત દર્દીઓના જીવ બચાવવાની સાથે પ્રમાણિકતા અને નૈતિકતા પણ નિભાવે છે.

પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડતા રાજકોટનાં એક પ્રેરણાત્મક કિસ્સા વિશે વિગતો આપતા 108 ટીમના જિલ્લા સુપરવાઈઝર દર્શિત પટેલએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ભાયુના દોમડા ગામના 55 વર્ષીય દિનેશ રામોલિયા પોતાનું ટુ વ્હીલર લઈને મેટોડા જવા નીકળ્યા હતા ત્યારે નગર પીપળીયા ગામ પાસે આવેલી ગોલાઇમાં અકસ્માત સર્જાયો હતો અને એક વ્યક્તિને ઈજા પહોંચી હતી. 108ની ટીમને જાણ થતાં જ ઈ.એમ.ટી. અસ્મિતા ગોહિલ અને પાયલોટ મનુ જોટવા તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી સત્વરે ઈજાગ્રસ્ત દર્દીને સારવાર પુરી પાડી હતી. વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.

ઈજાગ્રસ્તની ઓળખ માટે તપાસ કરતાં તેમનાં ખિસ્સામાંથી અંદાજિત રૂ. 50,000/- જેટલી રોકડ રકમ તથા એક મોબાઈલ અંદાજિત રૂ 15,000/- મળી અંદાજિત રૂ. 65,000/- તથા અન્ય અગત્યના ડોક્યુમેન્ટ્સ મળી આવ્યા હતા, જે ઈજાગ્રસ્તના ભાઇ હરેશ રામોલીયાનો સંપર્ક કરી મેટોડા 108ની ટીમના ઈ.એમ.ટી. અસ્મિતા ગોહિલ અને પાયલોટ મનુ જોટવાએ સહી સલામત પરત કરી પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. 108 ની ટીમના પ્રમાણિકતા બદલ ઈજાગ્રસ્તનાં પરિવારજનોએ સમગ્ર ટીમનો આભાર માન્યો હતો.

About The Author

Related Posts

Top News

પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

તેલંગાણાના નિર્મલ જિલ્લાના આ ચૂંટણીના સમાચાર સાબિત કરે છે કે, દરેક લોકોએ મત આપવો કેટલો મહત્વપૂર્ણ હોય છે. અહીં...
National 
પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.