ગુજરાતના આ જિલ્લામાં મંજૂરી વિના બનાવેલી 12 માળની 50 ઈમારતો સામે કાર્યવાહી

મોરબીમાં રવાપરા ગામમાં 12 માળની ઈમારતના નિર્માણના વિવાદ મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા હાઈકોર્ટમાં જવાબ રજૂ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં 12 માળની ઈમારતને આપવામાં આવેલી મંજૂરી રદ કરવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારોમાં મંજૂરી વિના બનાવેલી 12 માળની 50 ઈમારતો સામે કાર્યવાહી કરવામાં આવશે.

રવાપરા ગામે અગાઉ 12 માળની બિલ્ડીંગ મામલે હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી. ત્યારે આ મામલે હાઈકોર્ટમાં પણ અરજીમાં ઉલ્લેખ કરાયો હતો કે, ગ્રામ્ય વિસ્તારમાં આ પ્રકારે 12 માળની બિલ્ડીંગની મંજૂરી શા માટે? આ સાથે ફાયર સેફ્ટીની ઈમજરન્સી જેવી ઘટનામાં શું અહીં કોઈ ઈક્વિપમેન્ટ મળી રહેશે કે કેમ તેમ પણ સવાલો ઉભા કરાયા હતા. ત્યારે અગાઉ થયેલી સુનાવણી બાદ હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ થતા આજે આ મામલે સુનાવણી હાથ ધરાઈ હતી અને મંજૂરી રદ કરવામાં આવી છે.

આ ઘટનાની વિગતો જોવા જઈએ તો મોરબી પાસે રવાપરા ગામ આવેલું છે. જ્યાં 12 માળની 50 જેટલી ઈમારતો ઉભી થઈ હતી. ત્યારે સરપંચથી લઈને કલેક્ટર તેમજ પક્ષકારોને જવાબ રજૂ કરવા આદેશ કરાયો હતો. સ્પષ્ટ પણ આજે થયેલી એફીડેવીટમાં જિલ્લા કલેક્ટર દ્વારા મંજૂરી અપાઈ છે તેમ પણ ઉલ્લેખ કરાયો હતો. આજે સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે મહત્વની જાણકારી આપી હતી. જેમાં સંપૂર્ણ મંજૂરી રદ કરી દેવામાં આવી છે. જેથી આ 12 માળની બિલ્ડીંગ પર સંકટ ઘેરાયું છે. આગામી દિવસોમાં કોઈ નવો વળાંક આવે તો નવાઈ નહીં પરંતુ આ મામલે અત્યારે આ મંજૂરી રદ કરવામાં આવી છે.

Related Posts

Top News

'જીમમાં મુસ્લિમ ટ્રેનર્સ નહીં', આદેશ આપનાર ઇન્સ્પેક્ટરને થઇ સજા

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં સબ-ઇન્સ્પેક્ટર દિનેશ શર્માને લાઇન-હાજર કરવામાં આવ્યા છે. તાજેતરમાં, તેમણે શહેરના જીમ માલિકોને ધમકી આપી હતી. તેમણે...
National 
'જીમમાં મુસ્લિમ ટ્રેનર્સ નહીં', આદેશ આપનાર ઇન્સ્પેક્ટરને થઇ સજા

એડવોકેટ શ્રેયસ દેસાઇ અને ઇરમલા દયાળના સર્વોચ્ય અદાલતના ચુકાદાઓના વિશ્લેક્ષણાત્મક પુસ્તકનું વિમોચન

અઠવાલાઇન સ્થિતિ વી.ટી. ચોક્સી સાર્વજનિક લો કોલેજના કન્ઝ્યુમર ક્લબ દ્રારા રવિવારે એડવોકેટ શ્રેયસ દેસાઇ તથા લો કોલેજના પ્રિન્સિપાલ ડો. ઇરમલા...
Gujarat 
એડવોકેટ શ્રેયસ દેસાઇ અને ઇરમલા દયાળના સર્વોચ્ય અદાલતના ચુકાદાઓના વિશ્લેક્ષણાત્મક પુસ્તકનું વિમોચન

મેચ જીત્યા બાદ ઐયરે આ ખેલાડીને આપી ગાળ, હાથ પણ ન મળાવ્યો

પંજાબ કિંગ્સે IPL 2025ની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આ મેચમાં પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે શાનદાર...
Sports 
મેચ જીત્યા બાદ ઐયરે આ ખેલાડીને આપી ગાળ, હાથ પણ ન મળાવ્યો

ફૂગ લાગેલી ખાદ્યવસ્તુઓ અને ગંદકી વચ્ચે આ શહેરમાં Zeptoનું લાઇસન્સ રદ

મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ ફૂડ સેફટીના કડક ઉલ્લંઘનને પગલે Zeptoની પેરન્ટ કંપની Kiranakart Technologies Pvt Ltdનું ફૂડ લાઇસન્સ...
Business 
ફૂગ લાગેલી ખાદ્યવસ્તુઓ અને ગંદકી વચ્ચે આ શહેરમાં Zeptoનું લાઇસન્સ રદ
Copyright (c) Khabarchhe All Rights Reserved.