ગુજરાતના આ જિલ્લામાં મંજૂરી વિના બનાવેલી 12 માળની 50 ઈમારતો સામે કાર્યવાહી

મોરબીમાં રવાપરા ગામમાં 12 માળની ઈમારતના નિર્માણના વિવાદ મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા હાઈકોર્ટમાં જવાબ રજૂ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં 12 માળની ઈમારતને આપવામાં આવેલી મંજૂરી રદ કરવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારોમાં મંજૂરી વિના બનાવેલી 12 માળની 50 ઈમારતો સામે કાર્યવાહી કરવામાં આવશે.

રવાપરા ગામે અગાઉ 12 માળની બિલ્ડીંગ મામલે હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી. ત્યારે આ મામલે હાઈકોર્ટમાં પણ અરજીમાં ઉલ્લેખ કરાયો હતો કે, ગ્રામ્ય વિસ્તારમાં આ પ્રકારે 12 માળની બિલ્ડીંગની મંજૂરી શા માટે? આ સાથે ફાયર સેફ્ટીની ઈમજરન્સી જેવી ઘટનામાં શું અહીં કોઈ ઈક્વિપમેન્ટ મળી રહેશે કે કેમ તેમ પણ સવાલો ઉભા કરાયા હતા. ત્યારે અગાઉ થયેલી સુનાવણી બાદ હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ થતા આજે આ મામલે સુનાવણી હાથ ધરાઈ હતી અને મંજૂરી રદ કરવામાં આવી છે.

આ ઘટનાની વિગતો જોવા જઈએ તો મોરબી પાસે રવાપરા ગામ આવેલું છે. જ્યાં 12 માળની 50 જેટલી ઈમારતો ઉભી થઈ હતી. ત્યારે સરપંચથી લઈને કલેક્ટર તેમજ પક્ષકારોને જવાબ રજૂ કરવા આદેશ કરાયો હતો. સ્પષ્ટ પણ આજે થયેલી એફીડેવીટમાં જિલ્લા કલેક્ટર દ્વારા મંજૂરી અપાઈ છે તેમ પણ ઉલ્લેખ કરાયો હતો. આજે સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે મહત્વની જાણકારી આપી હતી. જેમાં સંપૂર્ણ મંજૂરી રદ કરી દેવામાં આવી છે. જેથી આ 12 માળની બિલ્ડીંગ પર સંકટ ઘેરાયું છે. આગામી દિવસોમાં કોઈ નવો વળાંક આવે તો નવાઈ નહીં પરંતુ આ મામલે અત્યારે આ મંજૂરી રદ કરવામાં આવી છે.

Related Posts

Top News

જો કોઈ વ્યક્તિ રસ્તા પર નમાઝ અદા કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે

ઉત્તર પ્રદેશના મેરઠમાં ઈદ-ઉલ-ફિત્રની નમાઝને લઈને પોલીસે કડક વલણ અપનાવ્યું છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વ્યક્તિ સડક...
National 
જો કોઈ વ્યક્તિ રસ્તા પર નમાઝ અદા કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે

જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી

ગુજરાતના પહેલા મુખ્યમંત્રી જીવરાજ નારાયણ મહેતા હતા. તેઓ સ્વાભાવિક રીતે રાજ્યના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેમણે ગુજરાતના વહીવટી...
Opinion 
જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી

'બ્રેસ્ટ પકડવું રેપ નથી...' અલ્હાબાદ HCની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક

26 માર્ચ 2025ના રોજ સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં અલ્હાબાદ હાઈકોર્ટના તે વિવાદાસ્પદ નિર્ણય પર રોક લગાવી દીધી જેમાં...
National 
'બ્રેસ્ટ પકડવું રેપ નથી...' અલ્હાબાદ HCની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક

બીજી બેંકના ATMમાંથી પૈસા ઉપાડવા મોંઘા થશે, RBIએ કહ્યું- દરેક ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વસૂલાશે

દેશના ખૂણે ખૂણે લોકો હવે પૈસા ઉપાડવા માટે ATMનો ઉપયોગ કરી રહ્યા છે. જો તમે પણ ATMમાંથી પૈસા...
Business 
બીજી બેંકના ATMમાંથી પૈસા ઉપાડવા મોંઘા થશે, RBIએ કહ્યું- દરેક ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વસૂલાશે

Opinion

જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી
ગુજરાતના પહેલા મુખ્યમંત્રી જીવરાજ નારાયણ મહેતા હતા. તેઓ સ્વાભાવિક રીતે રાજ્યના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેમણે ગુજરાતના વહીવટી...
હરેન પંડ્યા: હૈયું જ્યાં સુધી ધબક્યું ત્યાં સુધી સમાજ સેવા, ભાજપ અને કાર્યકર્તાઓને સમર્પિત રહ્યું
કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા
ગોપાલ ઇટાલિયા: વાયદા અને તોછડી નીંદા વિના વિસાવદરથી ચૂંટણી જીતી બતાવે તો ખરા નેતા બનશે
આમ આદમી પાર્ટી ગુજરાતના આગેવાનો વાયદા અને નિંદા કરવામાંથી ઊંચા ના આવ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.