દેશની આ મોટી સરકારી બેંકે બે મહિનામાં બીજીવાર FD પર વ્યાજનો દર ઘટાડી દીધો

દેશની અગ્રણી સરકારી બેંકોમાંની એક, પંજાબ નેશનલ બેંક (PNB)એ ફરી એકવાર ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પરના વ્યાજ દરમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. નવા વ્યાજ દરો 1 મે, 2025થી લાગુ થઇ ચુક્યા છે. જોકે, આ ફેરફાર એવા રિટેલ ગ્રાહકોને લાગુ પડશે જેમની થાપણો 3 કરોડ રૂપિયાથી ઓછી છે. આ રીતે, હવે સામાન્ય ગ્રાહકોને FD પર 3.50 ટકાથી 7.10 ટકા સુધીનું વ્યાજ મળશે.

PNB
india.com

અગાઉ એપ્રિલ 2025માં પણ, બેંકે 3 કરોડ રૂપિયાથી ઓછી રકમની થાપણો પર FD વ્યાજમાં ફેરફાર કર્યો હતો. આ વખતે, બેંકે કેટલાક ટૂંકા ગાળાના અને મધ્યમ ગાળાના FD પરના વ્યાજ દરમાં મહત્તમ 25 બેસિસ પોઈન્ટ (0.25 ટકા)નો ઘટાડો કર્યો છે.

આ ફેરફાર પછી, સામાન્ય નાગરિકોને પંજાબ નેશનલ બેંક (PNB)માં 7 દિવસથી 10 વર્ષ સુધીની FD પર 3.50 ટકાથી 7.10 ટકા સુધીનું વ્યાજ મળશે. 390 દિવસની FD પર સૌથી વધુ વ્યાજ આપવામાં આવશે જે 7.10 ટકા છે.

180 થી 270 દિવસના સમયગાળા માટે વ્યાજ દર હવે 6.25 ટકાથી ઘટાડીને 6 ટકા કરવામાં આવ્યો છે. જ્યારે, 271 થી 299 દિવસના સમયગાળા માટે, વ્યાજ દર હવે 6.5 ટકાથી ઘટીને 6.25 ટકા થઈ ગયો છે. જ્યારે 303 દિવસની FD માટે વ્યાજ દર હવે 6.4 ટકાથી ઘટીને 6.15 ટકા થઈ ગયો છે. આ ઉપરાંત, 304 દિવસથી 1 વર્ષથી ઓછા સમયગાળા માટે, વ્યાજ દર 6.5 ટકાથી ઘટીને 6.25 ટકા થયો છે. જ્યારે, 1 વર્ષની FD માટે વ્યાજ દર હવે 6.8 ટકાથી ઘટીને 6.7 ટકા થઈ ગયો છે.

60 વર્ષથી વધુ અને 80 વર્ષથી ઓછી ઉંમરના વરિષ્ઠ નાગરિકોને 5 વર્ષ સુધીના સમયગાળા માટે 3 કરોડ રૂપિયાથી ઓછી રકમની થાપણો માટે સામાન્ય દરો કરતાં 0.50 ટકા વધુ વ્યાજ દર અને 5 વર્ષથી વધુ સમયગાળા માટે 0.80 ટકા વધુ વ્યાજ દર મળશે. આ રીતે, વરિષ્ઠ નાગરિકો માટે વ્યાજ દર 4.00 ટકાથી 7.60 ટકા સુધીના છે.

PNB1
india.com

પંજાબ નેશનલ બેંક 80 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોને તમામ FD પર સામાન્ય દર કરતાં 0.80 ટકા વધુ વ્યાજ આપે છે. આ રીતે, સુપર સિનિયર સિટીઝનને 4.30 ટકાથી 7.90 ટકા સુધીનું વ્યાજ મળશે.

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 10-9-2025 વાર- બુધવાર મેષ - પેટને લગતી બીમારીઓમાં રાહત મળે, કોર્ટ કચેરીના કામમાં સાચવવું, આજે કોઈની સલાહ વગર કામ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

નેપાળની આ 5 કંપનીઓ દુનિયાભરમાં પ્રખ્યાત, આ વસ્તુની દરેક ઘરમાં છે ડિમાન્ડ!

નેપાળ સરકારે ફેસબુક, યુટ્યુબ, X (ટ્વીટર), ઇન્સ્ટાગ્રામ સહિત લગભગ 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ લગાવી દીધો...
Business 
નેપાળની આ 5 કંપનીઓ દુનિયાભરમાં પ્રખ્યાત, આ વસ્તુની દરેક ઘરમાં છે ડિમાન્ડ!

પત્રકાર સામે મની લોન્ડરિંગના કેસમાં જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે ED અને ગુજરાત સરકાર પાસે માગ્યો જવાબ

સુપ્રીમ કોર્ટે સોમવારે પત્રકાર મહેશ લાંગાની જામીન અરજી પર ગુજરાત સરકાર અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પાસેથી જવાબ માગ્યો છે....
Gujarat 
પત્રકાર સામે મની લોન્ડરિંગના કેસમાં જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે ED અને ગુજરાત સરકાર પાસે માગ્યો જવાબ

ઓસ્ટ્રેલિયન સંસદે ભારતીયોને 'વોટ બેંક' બતાવ્યા! નિવેદન પર PM એન્થોની અલ્બેનીઝ થયા ગુસ્સે...

ઓસ્ટ્રેલિયામાં ભારતીય ઇમિગ્રન્ટ્સની વધતી સંખ્યા અંગે જમણેરી વિપક્ષી સાંસદના નિવેદન પછી રાજકીય વિવાદ ઉભો થયો છે. એક તરફ, જ્યાં...
World 
ઓસ્ટ્રેલિયન સંસદે ભારતીયોને 'વોટ બેંક' બતાવ્યા! નિવેદન પર PM એન્થોની અલ્બેનીઝ થયા ગુસ્સે...

Opinion

શું કુંવરજી બાવળિયા કોળી સમાજના એક એવા નેતા છે કે જે કોંગ્રેસમાં હોય કે ભાજપમાં ફરક પડતો નથી? શું કુંવરજી બાવળિયા કોળી સમાજના એક એવા નેતા છે કે જે કોંગ્રેસમાં હોય કે ભાજપમાં ફરક પડતો નથી?
કુંવરજીભાઈ મોહનભાઈ બાવળિયા ગુજરાતના અગ્રણી રાજકારણી છે જેમણે કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. કોળી સમાજના પ્રભાવશાળી...
PM મોદી, શાહ, પાટીલ અને સંઘવીની આકરી ટીકા કરનાર ગોપાલને લવજી બાદશાહ માટે કેમ પ્રેમ છલકાય આવે છે?
રૂપાલા, સંઘાણી અને રાદડીયાની ત્રિપુટી સૌરાષ્ટ્ર ભાજપના રાજકારણની એક નવી ધરી સાબિત થશે
ગુજરાત ભાજપના પ્રદેશના નેતાઓ અને ધારાસભ્યો જ PM મોદી અને અમિત શાહનું ધોવાણ કરી રહ્યા છે
ગુજરાત સરકારથી નારાજ અને PM મોદી સાથે લાગણીથી જોડાયેલા મતદારો અવઢવમાં છે કે હવે ભાજપને સાથ અને મત આપવો કે નહીં
Copyright (c) Khabarchhe All Rights Reserved.