ગરમીની સાથે માવઠાની અંબાલાલ પટેલે કરી આગાહી, આ 3 દિવસ કમોસમી વરસાદની શક્યતા

ફરી એકવાર અંબાલાલ પટેલે માર્ચ સહિત એપ્રિલ અને મે મહિનામાં પણ માવઠાનો માર પડવાની આગાહી કરી છે. અંબાલાલ પટેલે હવામાન અંગે ફરી આગાહી કરીને  લોકોને સ્વાસ્થ્યની કાળજી રાખવાની પણ સલાહ આપી છે.

હવામાનમાં મોટા પલટાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. સાથે જ ગરમીનું પ્રમાણ વધવાની પણ તેમણે સંભાવના વ્યક્ત કરી છે. વધુમાં તેમણે કહ્યું છે કે, ગરમીનું જોર વધવાની સાથે સ્વાસ્થ્યની કાળજી રાખવી પણ જરુરી છે. તેમજ આ સમયગાળામાં તેમણે લોકોને ન્યૂમોનિયા સહિતના રોગોથી બચવા માટેનું ધ્યાન રાખવાની સલાહ આપી છે તેમજ તેમણે સ્વાસ્થ્યની કાળજી રાખવાની વાત પણ કરી છે. આ સાથે જ અંબાલાલ પટેલ માર્ચ મહિના બાદ એપ્રિલ અને મે મહિનામાં પણ વાતાવરણમાં પલટાની આગાહી કરી રહ્યા છે.

અંબાલાલે હાલ રાજ્યમાં આવેલા હવામાનના પલટાને લઈને વાત કરતાં આગાહી કરી છે, તેમજ તેમણે માવઠું 19 માર્ચ સુધી રહેવાની શક્યતા હોવાનું પણ જણાવ્યું છે. અંબાલાલ દ્વારા આગામી એપ્રિલ મહિનાની શરુઆતમાં પણ હવામાનમાં માવઠું થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખેડૂતોને પણ સાવધાની રાખવાની તેમણે સલાહ આપી છે.

8મી મે પછી અંબાલાલ પટેલે આંધી વંટોળનું પ્રમાણ વધવાની આગાહી કરી છે. જે દરમિયાન તેઓ તેવી સંભાવના પણ વ્યક્ત કરી રહ્યા છે કે આગામી સમયમાં વરસાદ પણ થશે . આ સમય દરમિયાન બાગાયતી પાકની કાળજી ખેડૂતોએ રાખવી પડશે. તેમજ આ વર્ષ વિસમ હવામાનવાળું રહેવાની વકી પણ અંબાલાલ કરી રહ્યા છે.

આ વર્ષમાં ખેતીની સાથે લોકોના સ્વાસ્થ્ય પર પણ હવામાનમાં સતત આવી રહેલા પલટાની અસર પડી રહી છે. જે અંગે તેઓ કહે છે કે, આ વર્ષ વિષમ હવામાનવાળું રહેવાની શક્યાઓ છે જેથી પોતાના સ્વાસ્થ્યની ખાસ કાળજી લોકોએ રાખવી પડશે. તેમજ અંબાલાલ પટેલ ગરમી વધવાની આગાહી કરતા જણાવી રહ્યા છે કે, તંદુરસ્તીની ખાસ કાળજી તારીખ 18મી માર્ચથી 20મી એપ્રિલ દરમિયાન લોકોએ રાખવી પડશે. કફ ઓગળવાથી કફ જન્ય રોગો થવાની વસંત ઋતુમાં શક્યતાઓ રહેલી હોય છે. ન્યૂમોનિયા જેવા રોગ ઋતુના સંધીકાળમાં થતા હોય છે તેવું પણ અંબાલાલ પટેલે કહ્યું હતું.

આગામી 5 દિવસ સુધી રાજ્યના અલગ અલગ ભાગોમાં માવઠું રહેવાની સંભાવના રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીમાં વ્યક્ત કરાઇ છે. જેમાં દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, નર્મદા, તાપી, વલસાડ, દમણ, દાદારા નગર હવેલીમાં હળવો કે પવન સાથે કમોસમી વરસાદ થવાની પણ શક્યતા છે.

આ સિવાય રાજ્યમાં આગામી પાંચ દિવસ કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં 15, 16, 17 માર્ચ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.w

About The Author

Top News

શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનો નવો કાયદો રજૂ કર્યો. આ કાયદાનો હેતુ...
Education 
શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

મંગળવારે ભારે હોબાળા વચ્ચે વિકસિત ભારત-ગેરન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન બિલ 2025 એટલે કે ‘VB-G RAM G’ બિલને લોકસભામાં...
Politics 
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.