ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી શકે છે. તેમણે 17-24 ડિસેમ્બર દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં માવઠાની આગાહી કરી છે. અંબાલાલની માવઠાની આગાહીથી ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઈ છે.

ગુજરાત હાલમાં બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યું છે; ડિસેમ્બર અડધો ભાગ થઈ ગયો છે, પરંતુ ઠંડીના ચમકારાના કોઈ સંકેત નથી. હવામાન વિભાગે પણ આગામી અઠવાડિયામાં તાપમાનમાં કોઈ ઘટાડો થવાનો સંકેત આપ્યો નથી. તેનાથી વિપરીત હવામાન વિભાગે 1-2 ડિગ્રીનો વધારો થવાનો સંકેત આપ્યો છે, જેથી આગામી અઠવાડિયામાં ઠંડી વધવાના કોઈ સંકેત નથી.

ambalal patel
tv9gujarati.com

આ બધા વચ્ચે હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે 17 ડિસેમ્બરથી ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં માવઠાની ચેતવણી આપી છે. તેમણે ડિસેમ્બરમાં ગુજરાતમાં ફરી એક વખત માવઠાના વધુ એક પ્રહારની પ્રબળ શક્યતા વ્યક્ત કરી છે. આગાહીકાર અંબાલાલ પટેલે 17-24 ડિસેમ્બર દરમિયાન હવામાનમાં ફેરફાર અને માવઠાની શક્યતાની આગાહી કરી છે.

અંબાલાલ પટેલની આગાહી મુજબ, 18-24 ડિસેમ્બર દરમિયાન એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ સર્જાશે અને દરમિયાન બંગાળની ખાડીમાં એક ડિપ્રેશન બનશે. આના કારણે ગુજરાતમાં હવામાનમાં ફેરફાર થશે અને માવઠાની શક્યતા વધશે.

અંબાલાલ પટેલના આકલન મુજબ, અરબી સમુદ્રમાં આ ભેજ અને હળવા ભેજના પ્રભાવને કારણે મજબૂત પશ્ચિમી વિક્ષેપને કારણે ચક્રવાતી પરિભ્રમણ બનશે. તેના કારણે ડિસેમ્બરના મધ્યમાં ગુજરાતમાં માવઠાની શક્યતા છે. અંબાલાલ પટેલે ખેડૂતોને ચેતવણી પણ આપી છે કે આ માવઠાને કારણે ખાસ કરીને ઘઉં, તુવેર અને જીરાના પાકને નુકસાન પહોંચાડી શકે છે.

ambalal patel
tv9gujarati.com

હવામાન વિભાગે પશ્ચિમી વિક્ષેપને કારણે રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગે આગામી 4  દિવસમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની આગાહી કરી છે, જેના કારણે ઠંડીમાં ઘટાડો થશે. હાલમાં પૂર્વ દિશા તરફ પવનો હોવાને કારણે સામાન્ય ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. આજે રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 9.8 ડિગ્રી હતું, જ્યારે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી નોંધાયું હતું.

અંબાલાલ પટેલનું કહેવું છે કે, 22 ડિસ્મેબરથી 12 ફેબ્રુઆરી સુધી ઠંડી પડશે અને લઘુતમ તાપમાન 8 ડિગ્રીથી પણ નીચું જશે, નવેમ્બરમાં પશ્ચિમી વિક્ષેપની શક્યતા રહેલી છે અને વિક્ષેપના કારણે ન્યૂનતમ-મહત્તમ તાપમાન ઘટશે. 22 ડિસેમ્બર દરમિયાન દેશના ઉત્તરીય પ્રદેશોમાં હિમવર્ષા થઈ શકે છે, આ વખતે ગાત્રો થીજવતી ઠંડી દેશભરમાં પડવાની શકયતા છે અને દિવાળીના સમય દરમિયાન પ્રોપર ઠંડી બેસી જશે અને તેનો અહેસાસ શહેરીજનોને થઈ શકે છે.

About The Author

Related Posts

Top News

હાર્વર્ડ યુનિવર્સિટીથી સંસ્કૃતમાં એવો શું લોચો લાગી ગયો કે હિન્દુ સમુદાયની માફી માંગવી પડી?

યુનાઇટેડ સ્ટેટ્સના મેસેચ્યુસેટ્સ સ્થિત કેમ્બ્રિજ સ્થિત હાર્વર્ડ યુનિવર્સિટીને એક સંસ્કૃત પોસ્ટના કારણે હિન્દૂ સમાજ સામે શરમજનક સ્થિતિમાં મૂકવું પડ્યું હતું...
Education 
હાર્વર્ડ યુનિવર્સિટીથી સંસ્કૃતમાં એવો શું લોચો લાગી ગયો કે હિન્દુ સમુદાયની માફી માંગવી પડી?

T20 વર્લ્ડ કપ વચ્ચે BCCIની મોટી જાહેરાત, ભારત આ ટીમ સામે પહેલીવાર ODI સીરિઝમાં રમશે, શેડ્યૂલ આવ્યું સામે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન એક મોટી જાહેરાત કરી છે. IPL 2026 બાદ, ભારતીય ટીમ...
Sports 
T20 વર્લ્ડ કપ વચ્ચે BCCIની મોટી જાહેરાત, ભારત આ ટીમ સામે પહેલીવાર ODI સીરિઝમાં રમશે, શેડ્યૂલ આવ્યું સામે

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 04-03-2026 વાર - બુધવાર મેષ - આજે કામ કાજમાં વધારે મહેનતનો દિવસ, આવકમાં વધારો થાય, શનિદેવના દર્શન કરવાથી...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ, તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

એક તરફ, અમેરિકા ટ્રેડ વૉર અને ભારે ટેરિફ દ્વારા પોતાની અર્થવ્યવસ્થાને સમેટી રહ્યું છે, જ્યારે બીજી તરફ, ...
National 
ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ,  તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.