ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી શકે છે. તેમણે 17-24 ડિસેમ્બર દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં માવઠાની આગાહી કરી છે. અંબાલાલની માવઠાની આગાહીથી ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઈ છે.

ગુજરાત હાલમાં બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યું છે; ડિસેમ્બર અડધો ભાગ થઈ ગયો છે, પરંતુ ઠંડીના ચમકારાના કોઈ સંકેત નથી. હવામાન વિભાગે પણ આગામી અઠવાડિયામાં તાપમાનમાં કોઈ ઘટાડો થવાનો સંકેત આપ્યો નથી. તેનાથી વિપરીત હવામાન વિભાગે 1-2 ડિગ્રીનો વધારો થવાનો સંકેત આપ્યો છે, જેથી આગામી અઠવાડિયામાં ઠંડી વધવાના કોઈ સંકેત નથી.

ambalal patel
tv9gujarati.com

આ બધા વચ્ચે હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે 17 ડિસેમ્બરથી ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં માવઠાની ચેતવણી આપી છે. તેમણે ડિસેમ્બરમાં ગુજરાતમાં ફરી એક વખત માવઠાના વધુ એક પ્રહારની પ્રબળ શક્યતા વ્યક્ત કરી છે. આગાહીકાર અંબાલાલ પટેલે 17-24 ડિસેમ્બર દરમિયાન હવામાનમાં ફેરફાર અને માવઠાની શક્યતાની આગાહી કરી છે.

અંબાલાલ પટેલની આગાહી મુજબ, 18-24 ડિસેમ્બર દરમિયાન એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ સર્જાશે અને દરમિયાન બંગાળની ખાડીમાં એક ડિપ્રેશન બનશે. આના કારણે ગુજરાતમાં હવામાનમાં ફેરફાર થશે અને માવઠાની શક્યતા વધશે.

અંબાલાલ પટેલના આકલન મુજબ, અરબી સમુદ્રમાં આ ભેજ અને હળવા ભેજના પ્રભાવને કારણે મજબૂત પશ્ચિમી વિક્ષેપને કારણે ચક્રવાતી પરિભ્રમણ બનશે. તેના કારણે ડિસેમ્બરના મધ્યમાં ગુજરાતમાં માવઠાની શક્યતા છે. અંબાલાલ પટેલે ખેડૂતોને ચેતવણી પણ આપી છે કે આ માવઠાને કારણે ખાસ કરીને ઘઉં, તુવેર અને જીરાના પાકને નુકસાન પહોંચાડી શકે છે.

ambalal patel
tv9gujarati.com

હવામાન વિભાગે પશ્ચિમી વિક્ષેપને કારણે રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગે આગામી 4  દિવસમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની આગાહી કરી છે, જેના કારણે ઠંડીમાં ઘટાડો થશે. હાલમાં પૂર્વ દિશા તરફ પવનો હોવાને કારણે સામાન્ય ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. આજે રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 9.8 ડિગ્રી હતું, જ્યારે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી નોંધાયું હતું.

અંબાલાલ પટેલનું કહેવું છે કે, 22 ડિસ્મેબરથી 12 ફેબ્રુઆરી સુધી ઠંડી પડશે અને લઘુતમ તાપમાન 8 ડિગ્રીથી પણ નીચું જશે, નવેમ્બરમાં પશ્ચિમી વિક્ષેપની શક્યતા રહેલી છે અને વિક્ષેપના કારણે ન્યૂનતમ-મહત્તમ તાપમાન ઘટશે. 22 ડિસેમ્બર દરમિયાન દેશના ઉત્તરીય પ્રદેશોમાં હિમવર્ષા થઈ શકે છે, આ વખતે ગાત્રો થીજવતી ઠંડી દેશભરમાં પડવાની શકયતા છે અને દિવાળીના સમય દરમિયાન પ્રોપર ઠંડી બેસી જશે અને તેનો અહેસાસ શહેરીજનોને થઈ શકે છે.

About The Author

Related Posts

Top News

દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના સાબરકાંઠામાં ડિટર્જન્ટ, યુરિયા અને અન્ય રસાયણોનો ઉપયોગ કરીને નકલી દૂધ અને છાશ બનાવતી એક ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો...
Gujarat 
દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

ભાવનગર જિલ્લાના વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણે આઠ વર્ષ પહેલાં પ્રાકૃતિક ખેતી અપનાવીને એક અલગ જ માર્ગ પસંદ કર્યો. રાસાયણિક...
Gujarat 
ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લામાંથી સામે આવેલો આ કિસ્સો થ્રીલર ફિલ્મ જેવો લાગે છે, પરંતુ વાસ્તવમાં તે એક એવું નાટક...
National 
નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

કચ્છના તળાવોને મળ્યો મજબૂત આધાર: કલેક્ટર અને મહેસૂલ ટીમનું એક અભિનંદનીય પગલું

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના કચ્છ જિલ્લામાં પાણી એ જીવનરેખા રૂપ છે. સૂકી ધરતી પર વરસાદી પાણીનું એકએક ટીપું અમૂલ્ય...
Gujarat 
કચ્છના તળાવોને મળ્યો મજબૂત આધાર: કલેક્ટર અને મહેસૂલ ટીમનું એક અભિનંદનીય પગલું

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.