રાજકોટમાં ડુંગળી વેચવા ગયેલા ખેડૂતોને સામેથી રૂપિયા ચૂકવવા પડ્યા, બિલ વાયરલ

રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતો ડુંગળી વેચવા ગયા પરંતુ રૂપિયા વધુ મળવા જોઈએ તેના બદલે સામે ચૂકવવા પડ્યા હતા. ઘાટ કરતા ઘડામણ મોંઘી થઈ જેવો ઘાટ સર્જાયો હતો. ડૂંગળીના રૂપિયા કરતા ભાડું ટેમ્પોનું વધુ થયું હોવાની સ્થિતિ ઉત્પન્ન થઈ છે.

ડુંગળી અત્યારે રાતા પાણીએ ખેડૂતોને રડાવી રહી છે. ભાવ ના મળવાના કારણે આ સ્થિતિ જોવા મળી રહી છે. જેના બિલ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને જે બિલ મળ્યું તે બિલ પણ વાયરલ થતા પરિસ્થિતિ ખેડૂતોની સામે આવી છે. આ પ્રકારની સ્થિતિમાં ખેડૂત કેવી રીતે ઉભો થઈ શકે છે. ખેડૂતોની આવક ડબલ કરવાની જગ્યાએ ખેડૂતોને આખું વર્ષ મહેનત કરવા બદલ પાકના ભાવ સામાન્ય મળી રહ્યા છે.

માર્કેટ યાર્ડમાં 1 રૂપિયા આસપાસ કિલો ડૂંગળી

ડૂંગળી પકવતા ખેડૂતોની હાલત કફોડી બની છે. રાજકોટમાં ખેડૂતો માર્કેટ યાર્ડમાં ડૂંગળી વેચવા ગયા હતા. 1 રૂપિયાના ભાવે માર્કેટ યાર્ડમાં કિલો ડૂંગળી ખરીદવામાં આવી રહી છે. ગુજરાતમાં વિવિધ યાર્ડોમાં આ સ્થિતિ જોવા મળી રહી છે.

ડુંગળી પકવતા ખેડૂતોનું વેચાણનું બિલ પણ આ મામલે વાયરલ એટવા માટે થઈ રહ્યું છે કેમ કે, એક રૂપિયાના ભાવે કિલો ડુંગળી વેચી હતી. 472 કિલો ડુંગળીના ભાવ 495 રૂપિયા મળ્યા હતા. જ્યારે ભાડુ ટેમ્પામાં લાવ્યા હોવાથી 626 થયું હતું. ભાડું સહીત અન્ય ખર્ચ મળીને થયો 626 થતા લેવાના બદલે 131 ચૂકવવા પડ્યા હતા જેથી આ બિલ પણ વાયરલ થયું હતું. આ પ્રકારના મફતના ગણ્યા ગાંઠ્યા ભાવ મળતા ખેડૂતોમાં પણ સખત નારાજગી જોવા મળી રહી છે. રૂપિયા લેવાના બદલે ચૂકવતો જગતનો તાત હેરાન થઈ રહ્યો છે. જેની સામે મોંઘવારી ખૂબ વધી રહી છે. તો ખેડૂતોને તેનું વળતર શા માટે નથી મળી રહ્યું.

ડૂંગળીની જેમ બટાકાના ભાવો પણ ઓછા મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. જેથી આ મામલે સરકારે અત્યારે પુરતો દિલાશો આપીને આ મામલે વિચારણા કરીશું તેવું ચોક્કસથી કહ્યું છે પરંતુ નિર્ણય ના લેવાય ત્યાં સુધી આ સ્થિતિ જોવા મળી છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.