સૌને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ છેઃ મંત્રી કુંવરજી બાવળીયા

પાણી પુરવઠા અને જળસંપત્તિ વિભાગના મંત્રી કુંવરજી બાવળીયાએ આજરોજ કામરેજ તાલુકાના ધોરણ પારડી ખાતે રૂ. 126 કરોડના ખર્ચે નિર્માણ થઇ રહેલી મહુવેજ જુથ પાણી પુરવઠા યોજના હેઠળ ઈન્ટેકવેલના કામની મુલાકાત લીધી હતી.

તેમણે જણાવ્યું હતું કે, સૌને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ છે. રાજય સરકાર આગામી દાયકાઓની વસ્તીને પાણીની જરૂરીયાતને ધ્યાને લઈને યોજનાઓ તૈયાર કરી રહી છે.

તાપી નદીમાંથી મહુવેજ જુથ પાણી પુરવઠા હેઠળ 35 MLD પાણીની ક્ષમતા ધરાવતી યોજના સાકારિત થઇ રહી છે. જેનાથી માંગરોળ, માંડવી અને ઓલપાડના 20 ગામોને 11 MLD પાણી રો-વોટર તથા માંગરોળ તાલુકાના 15 ગામોને 24 MLD ફિલ્ટર પાણી આપવામાં આવશે. જે માટે ધામડોદ ખાતે પ્લાન્ટનુ કાર્ય પ્રગતિ હેઠળ છે. આ મહુવેજ યોજનાનુ 78 ટકા કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. ડિસેમ્બર-2023ના અંતિત સુધીમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે. આમ આ યોજનાથકી 1.68 લાખની વસ્તીને પીવાના પાણીની મળી રહેશે. આ અવસરે પાણી પુરવઠાના કાર્યપાલક ઈજનેર જતીન પટેલ, જિલ્લા પુરવઠા અધિકારી સાવલીયા, સરપંચ તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.