ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલને બ્રેઇન સ્ટ્રોક, હોસ્પિટલમાં દાખલ કરાયા

ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલ શનિવારે એક ગામમાં કાર્યક્રમ માટે ગયા હતા, રાત્રિ રોકાણ દરમિયમાન તેમને બ્રેઇન સ્ટ્રોક આવતા તાત્કાલિક રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મંત્રીને હોસ્પિટલામાં દાખલ કરાયા હોવાના સમાચારને પગલાં ભાજપ નેતાઓ, મંત્રીઓનો હોસ્પિટલોમાં જમાવડો થયો છે.તબીબોનું કહેવું છે કે અત્યારે રાઘવજી પટેલની તબિયત સારી છે, પરંતુ સાતેક દિવસ હોસ્પિટલમાં રાખવા પડશે.

રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ શનિવારે જામનગર તાલુકાના પસાયા ગામે ‘ગામ ચલો અભિયાન’ કાર્યક્રમમમાં હાજરી આપવા માટે ગયા હતા. પસાયાના બેરાજમાં કાર્યક્રમ હતો અને મંત્રીએ ત્યાં રોકાણ કર્યું હતું. મોડી રાત્રે તેમને છાતીમાં દુખાવો ઉપડતા રાજકોટની સિનર્જિ હોસ્પિટલમાં ICUમાં દાખલ કરવામાં આવ્યા છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ બનાસકાંઠાના ડિસા તાલુકામાં છે, રાઘવજી પટેલની તબિયતના સમાચારની જાણ થતા પટેલે ડિસાથી રાઘવજીભાઈના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો અને હિંમત આપી હતી. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ પણ સતત સંપર્કમાં છે. ભાજપના તમામ નેતાઓ રાઘવજીભાઈના ખબર અંતર પૂછી રહ્યા છે.

રાજકોટની સિનર્જિ હોસ્પિટલમાં ફુલ ટાઇમ Senior Pulmonary & Critical Care Specialist ડોકટર જયેશ ડોબરિયાએ રાઘવજી પટેલના આરોગ્ય બાબતે કહ્યુ હતું કે,મંત્રી રાઘવજી પટેલની તબીયત સુધારા પર છે. કોઈ વધારે તકલીફ અત્યારે નથી. AAIMSના ત્રણ ડૉક્ટરો અને અમારી સિનર્જી હોસ્પિટલના ત્રણ ડૉક્ટરોની પેનલ બનાવી ચર્ચા કરી તેમજ AAIMS દિલ્હીના ડૉક્ટર સાથે પણ ચર્ચા કરી આગળના ત્રણ દિવસ માટેનો રોડ મેપ તૈયાર કર્યો છે. જેમાં કઈ કઈ તકલીફો થઈ શકે અને તેનું કેવી રીતે નિરાકરણ કરી શકાય તે અંગે પણ ચર્ચા કરી હતી, અત્યારે તબીયત ઘણી સારી છે અને આશા રાખીએ કે ઝડપથી તેઓની તબીયત સારી થાય. આવા કેસમાં ત્રણ દિવસ વધારે સારવારની જરૂર હોય છે.

મંત્રી રાઘવજી પટેલની સારવાર કરી રહેલા ન્યૂરો સર્જન ડો. સંજય ટીલાળાએ કહ્યું હતું કે, રાઘવજીને બ્રેઇન હેમરેજથયું છે, અત્યારે તેમની હાલત સ્થિર છે અને ICUમાં સારવાર ચાલી રહી છે.

જ્યારે કૃષિ મંત્રીની સારવાર કરી રહેલા ન્યુરો સર્જન ડૉ. સંજય ટીલાળાએ જણાવ્યું હતું કે, કૃષિ મંત્રી રાઘવજી પટેલને બ્રેઇન હેમરેજ થયું છે. હાલ તેઓ સ્ટેબલ છે અને આઈસીયુમાં તેમની સારવાર ચાલી રહી છે. ટીલાળાએ કહ્યું કે માઈનોર હેમરેજ આવ્યું છે તેવું કહી શકાય કારણ કે બીપી વધી જતા મગજ ઉપર તેની સીધી અસર થાય છે અને મગજમાંથી થોડું લોહી વહી જતાં હેમેરેજ થઈ ગયું છે.

રાજકોટની હોસ્પિટલમાં ધારાસભ્ય રિવાબા જાડેજા, કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, આર.સી. ફળદુ, રાઘવજી પટેલના મિત્ર કાંતિ અમૃતિયા, કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, ધારાસભ્ય રમેશ ટીલાળા અને ઉદય કાનગડ, જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી, મંત્રી ભાનુબેન બાબરીયા અને પૂર્વ મેયર ડો. પ્રદીપ ડવ સહિતના અનેક લોકો હોસ્પિટલ પહોંચી ગયા છે. સંભવત આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હોસ્પિટલ પહોંચશે તેવું જાણવા મળ્યું છે.

Related Posts

Top News

શુભમન ગિલ અને ગૌતમ ગંભીરની પ્રેસ કોન્ફરન્સની 5 મોટી વાતો, કોહલી-રોહિત વિશે પણ કરી વાત

ભારતીય ટીમ 5 ટેસ્ટ, 3 વન-ડે અને 3 T20 મેચોની સીરિઝ માટે ઇંગ્લેન્ડના પ્રવાસે જવાની છે. વિરાટ કોહલી...
Sports 
શુભમન ગિલ અને ગૌતમ ગંભીરની પ્રેસ કોન્ફરન્સની 5 મોટી વાતો, કોહલી-રોહિત વિશે પણ કરી વાત

એલોન મસ્કની સ્ટારલિંકનો ભારતમાં રસ્તો સાફ, સેટેલાઇટ ઇન્ટરનેટ માટે મહત્ત્વનું લાયસન્સ મળ્યું

એલોન મસ્કની સેટેલાઇટ-આધારિત ઇન્ટરનેટ સેવા સ્ટારલિંકને ભારતમાં જરૂરી લાઇસન્સ મળ્યું છે. મસ્કની કંપની છેલ્લા ઘણા વર્ષોથી ભારતમાં તેની સેવા શરૂ...
Tech and Auto 
એલોન મસ્કની સ્ટારલિંકનો ભારતમાં રસ્તો સાફ, સેટેલાઇટ ઇન્ટરનેટ માટે મહત્ત્વનું લાયસન્સ મળ્યું

વિસાવદરની પેટાચૂંટણીમાં પાટીદાર સામે પાટીદાર

ગુજરાત વિધાનસભા 2022માં વિસાવદરની બેઠક પરથી આમ આદમી પાર્ટીની ટિકીટ પરથી ચૂંટાયેલા ભૂપત ભાયાણી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા જેને...
Gujarat 
વિસાવદરની પેટાચૂંટણીમાં પાટીદાર સામે પાટીદાર

એલિટ હીમેટ ઓન્કો કેર સેન્ટર દ્વારા 'ટૂ મિનિટ એક્શન ફોર ઓરલ કેન્સર પ્રોટેક્શન' કેમ્પેઇન શરૂ કરાયું

સુરત, 6 જૂન 2025: ભારતમાં કેન્સર ડિટેક્શનની આસપાસનું નેરેટિવ બદલવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતા, એલિટ હીમેટ ઓન્કો કેર સેન્ટર...
Gujarat 
એલિટ હીમેટ ઓન્કો કેર સેન્ટર દ્વારા 'ટૂ મિનિટ એક્શન ફોર ઓરલ કેન્સર પ્રોટેક્શન' કેમ્પેઇન શરૂ કરાયું
Copyright (c) Khabarchhe All Rights Reserved.