ગુજરાતમાં જેવી સરકાર તમામ રાજ્યોમાં બને તો તમામને સુરક્ષિત રાજ્ય બનાવીશુઃ રૂપાલા

અખિલ ભારતીય કુર્મી પાટીદાર સમાજનું 45મુ રાષ્ટ્રીય અધિવેશન વિસનગર સ્થિત એસ.કે.પટેલ યુનિવર્સિટી ખાતે યોજાયું હતું જેમાં કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા તથા કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ ઉપરાંત સાંસદ શારદાબેન પટેલ તથા નરહરિ અમીન તેમજ પૂર્વ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ તેમજ મથુર સવાણી, પૂર્વ ગૃહ પ્રધાન ગોરધન ઝડફિયા, અ.ભા.કુ.ક્ષ. મ.રાષ્ટ્રીય અધ્યક્ષ વિજયસિંહ નિરંજન ઉપસ્થિત રહ્યા હતા.

આ અધિવેશનમાં સમગ્ર દેશમાંથી 25 રાજ્યના કુર્મી લોકો ઉપસ્થિત રહ્યા હતા. વિસનગરમાં નેશનલ કનવેશન અને કુર્મી બિઝનેસ સમિટ પણ યોજવામાં આવી હતી તથા સીતા સ્વયંવર પણ યોજવામાં આવ્યો હતો

કેન્દ્રીય મત્સ્ય, ડેરી અને પશુપાલન મંત્રી પરશોત્તમ રૂપાલાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત છે ગુજરાતમાં જેવી સરકાર બની છે એવી સરકાર જો સમગ્ર દેશના રાજ્યોમાં બને તો અમે દરેક રાજ્યને ગુજરાત જેવું સુરક્ષિત રાજ્ય બનાવીશું. તેમણે કહ્યું હતું કે સરદાર સાહેબે દેશને એક બનાવ્યો આપણે એમના વંશજ છીએ અને હવે નવો નારો આવ્યો છે - એક ભારત મેં શ્રેષ્ઠ ભારત જે આપણે બનાવવાનું છે.

 રૂપાલાએ એક સૂચન આપતા કહ્યું હતું કે આવું મોટું સંમેલન સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ યોજવું જોઈએ, જેથી સરદાર પટેલ સાહેબની વિશાળ પ્રતિમાના સૌ દર્શન કરી શકે. આ સાથે તેમણે કુર્મી પાટીદાર સમાજના ગૌરવ માટેનો એક સ્પેશિયલ દિવસ નક્કી કરવાનું સૂચન પણ કર્યું હતું.

કેન્દ્રીય મંત્રી રૂપાલાએ જણાવ્યું કે આપણે આપણા PM નરેન્દ્ર મોદીના આઝાદીના અમૃત કાળની ઉજવણીના સ્વપ્નને ઉજવતી વખતે આપણો સમાજ કેવો અને ક્યાં હોવો જોઈએ એ લક્ષ્ય સાથે કામ કરવું પડશે. હવે સમય બદલાયો છે.પૂરી દુનિયા હવે ભારત સામે જોઈ રહી છે ભારત 5મી આર્થિક સતા બની રહ્યું છે. એટલું જ નહીં, ખેતી અને પશુપાલનના વ્યવસાયમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી આગળ આવવું પડશે.

આજના આ પ્રસંગે રાજ્યના કેબિનેટ મંત્રી અને વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે સમગ્ર દેશના પાટીદારોના વિકાસ માટે ભારતભરમાં તેઓને જોડવાનું આ સુંદર પ્લેટફોર્મ બની રહેશે શિક્ષણ માટે પણ સમાજ આગળ આવી રહ્યો છે. સમગ્ર દેશના પાટીદાર સમાજ દરેક જગ્યાએ પોતાનો અવાજ અને દાયિત્વ નિભાવશે.

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.