જૂનાગઢ યાર્ડમાં ખટમીઠી તુરી ખાખડીના શ્રીગણેશ, સીઝનની પ્રથમ ખાખડીની 100 કિલો આવક

કેરીના શોખીનો માટે આનંદદાયક સમાચાર હોય તેમ જૂનાગઢ શાકભાજી યાર્ડમાં આજે કાચી કેરીની વિધિવત આવક નોંધાઈ હતી. જૂનાગઢમાં અમુક વિસ્તારોમાં ખાખડીનું વેચાણ થતું જોવા મળતું હતું, પરંતુ માર્કેટિંગ યાર્ડમાં આજે સિઝનની પ્રથમ ખાખડીની 100 કિલો આવક નોંધાઈ હતી.

આજે પ્રતિ કિલો 250 થી 350 ના ભાવે હરાજી કરવામાં આવી હતી. જૂનાગઢમાં એકલ લોકલ વિસ્તારોમાં ખાખડીનું વેચાણ થયું હતું, પરંતુ પૂરતો સ્ટોક ન હોવાને લીધે ખાખડીના શોખીનો ખરીદી કરી શકતા ન હતા. યાર્ડમાં ખાખડીનું વિધિવત આગમન થતા શહેરીજનોને ખરીદી કરવામાં સરળતા મળશે સિઝનની પ્રથમ ખાખડીનું માર્કેટિંગ યાર્ડમાં 350 રૂપિયા કિલો સસ્તા ભાવે વેચાણ થયું હતું, પરંતુ બજારમાં લોકોની માંગને પગલે શાકભાજીના વેપારીઓ દોઢથી બે ગણા વધુ ભાવે નફાખોરી કરતા લોકોને ગરજનો ભાવ આપવા પણ મજબૂર થવું પડ્યું હતું.

શાકભાજી યાર્ડના સેક્રેટરીના જણાવ્યા મુજબ આજે સિઝનની પ્રથમ ખાખડીનું તાલાળા ગીર વિસ્તારમાંથી આવી હતી. પ્રતિ કિલો 250 થી 350 ના ભાવે હરાજી કરવામાં આવી હતી. તેમજ આગામી દિવસોમાં ખાખડીની આવક વધુ થશે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.