લક્ઝરી બસ સંચાલકોની દાદાગીરી સામે MLA કાનાણીએ CMને પત્ર લખી હવે આ માગ કરી

વરાછા વિસ્તારના ભાજપના ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખીને લક્ઝરી બસ સંચાલકોની દાદાગીરી સામે સરકારી સ્લીપિંગ એસટી બસ સેવા શરૂ કરવાની માંગ કરી છે.

કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં કહ્યું છે કે, સુરત શહેરમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, કચ્છથી લાખો લોકો ધંધા રોજગાર માટે સુરત આવીને વસેલા છે. તેમની વતનમાં અવર-જવર થતી હોય છે અને ગામડે સુધી પહોંચવા માટે તેમણે લક્ઝરી બસોનો આધાર લેવો પડતો હોય છે. પ્રાઇવેટ લક્ઝરી બસ માલિકો મનમાની રીતે ભાડું વસુલે છે. લોકોની એવી માંગણી છે કે, ખાનગી બસોના રૂટોનો સર્વે કરીને તે જ રૂટ પર સરકારી સ્લીપિંગ બસો શરૂ કરવી જોઇએ. કાનાણીએ કહ્યુ કે, મારી પણ આવી જ માંગણી છે. તાત્કાલિક ધોરણે સ્લીપિંગ બસ શરૂ કરવાની મારી વિનંતી છે.

આ આખી બબાલ ત્યારે શરૂ થઇ હતી જ્યારે ભાજપના ધારાસભ્ય કુમાર  કાનાણીએ સુરત શહેર, DCP ટ્રાફીક અમીતા વાનાણીને પત્ર લખ્યો હતો કે, સુરત શહેરમાં પોલીસ કમિશ્નનરના જાહેરનામા મુજબ લક્ઝરી બસો માટે સવારે 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી અને ભારે વાહનો માટે સવારે 8થી બપોરે 1 અને સાંજે 5વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી પ્રતિબંધ છે. પરંતુ આ પ્રતિબંધિત સમયની અંદર જાહેરનામાનો ભંગ કરીને કોઇ પણ ડર વગર બેફામ વાહનો ચાલે છે અને ટ્રાફીકની સમસ્યામાં વધારો કરે છે. પરંતુ આવા વાહનો સામે પોલીસ દ્રારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. તો આવા વાહનોને પ્રતિબંધિત સમયની અંદર પ્રવેશવા ન દેવા માટેની સખત કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી? તેનો લેખિતમાં 7 દિવસમાં જવાબ આપશો.

કાનાણીનો એ પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થવાને કારણે લકઝરી બસ ઓપરેટર એસોસિયેશને નિર્ણય લીધો હતો કે, 21 ફેબ્રુઆરીથી એક પણ લક્ઝરી બસ સુરત શહેરની હદમાં પ્રવેશશે નહી, અને ઉપડશે પણ નહીં. એ પ્રમાણે 21 ફેબ્રુઆરીએ લક્ઝરી બસોમાં આવેલા મુસાફરોને વાલક પાટીયા પાસે ઉતારી દેવામાં આવ્યા હતા અને લોકોએ તેમના ડેસ્ટીનેશન સુધી પહોંચવા માટે ભારે રીક્ષા ભાડું કે કાર ભાડું ચુકવવું પડ્યું હતું. વાલક પાટીયાથી વરાછાના લગભગ 5થી 7 કિ.મી વિસ્તારમાં જવા માટે રીક્ષાચાલકોએ પણ ગરજનો લાભ ઉઠાવ્યો હતો અને 500થી 700 રૂપિયા ભાડું વસુલી લીધું હોવાનું જાણવા મળ્યું છે.

About The Author

Top News

શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનો નવો કાયદો રજૂ કર્યો. આ કાયદાનો હેતુ...
Education 
શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

મંગળવારે ભારે હોબાળા વચ્ચે વિકસિત ભારત-ગેરન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન બિલ 2025 એટલે કે ‘VB-G RAM G’ બિલને લોકસભામાં...
Politics 
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.