મોરબી દૂર્ઘટના કેસઃ જયસુખ પટેલના રિમાન્ડ પૂરા થતા પોલીસે વધુ રીમાન્ડ ના માગ્યા

મોરબી બ્રિજ દૂર્ઘટનામાં જયસુખ પટેલના રીમાન્ડ પૂર્ણ થતા પોલીસે વધુ રીમાન્ડ ના માંગતા આખરે જયસુખ પટેલને જેલ હવાલે ધકેલાયો છે. 7 દિવસના રીમાન્ડ બાદ કોર્ટમાં રજૂ કરાયા બાદ જેલમાં જયસુખ પટેલને ધકેલાયો છે.

મોરબી બ્રિજ દૂર્ઘટનામાં 9 આરોપીઓમાં 10મું નામ જયસુખ પટેલનું ઉમેરાયું છે ત્યારે આ સમગ્ર મામલે જયસુખ પટેલનું પણ ચાર્જસીટમાં નામ ઉમેરવામાં આવ્યું હતું ત્યારે જયસુખ અગાઉ મોરબી કોર્ટમાં ખૂદ હાજર રહેતા તેને જેલ હવાલે કરી રીમાન્ડ મંજૂર કરાયા હતા. 7 દિવસના રીમાન્ડ પૂર્ણ થયા બાદ આજે જયસુખ પટેલને જેલને હવાલે ધકેલાયો છે.

જયસુખ પટેલની ઓરેવા કંપનીએ મોરબી બ્રિજનું સમારકામ કર્યું હતું અને આ બ્રિજ સમારકામ બાદ ખુલ્લો મુકાયો હતો ત્યારે બ્રિજ પરથી નીચે પડી જવાથી 135 લોકોના મોત નિપજ્યા હતા આ મામલે તમામ આંગળીઓ જયસુખ પટેલ પર ઉઠી હતી ત્યારે જયસુખ પટેલની મોડે મોડે ધરપકડ કરવામાં આવી હતી. જો કે, અન્ય જે 9નું પોલીસ ફરીયાદમાં નામ છે તેમાંથી કોઈ મેનેજર છે તો કોઈ ટિકિટ કાપનાર પરંતુ જયસુખ પટેલ કે જે ઓરેવા કંપનીનો માલિક છે અને તેમને જ આ બ્રિજનુ ઉદઘાટન કર્યું હતું ત્યારે જયસુખનું નામ પણ ચાર્જસીટમાં ઉમેરાયું છે કેમ કે, બ્રિજના ફિટનેસ સર્ટિફિકેટ વિના બ્રિજ ચાલું કરાયો હતો. ત્યારે આ મામલે કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે જેમાં હાઈકોર્ટે પણ સુઓમોટોનું સંજ્ઞાન લીઘું છે.

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના કેસમાં ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલે કરેલી આગોતરા જામીન અરજી પૂર્વે તેઓએ કોર્ટમાં સરેન્ડર કર્યું હતું. આગોતરા જામીન અરજી વિડ્રો થઇ હતી. પોલીસે જયસુખ પટેલને કોર્ટમાં સપ્તાહ પહેલા રજુ કરતા કોર્ટે તા. 8 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા.

About The Author

Related Posts

Top News

300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

રણવીર સિંહની નવી જાસૂસી થ્રિલર ફિલ્મ 'ધુરંધર' ભારતમાં ધૂમ મચાવી રહી છે, પરંતુ તેની આંતરરાષ્ટ્રીય રિલીઝને ખાસ...
Entertainment 
300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે

બિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર અને મર્યાદિત જાહેર સમર્થન છતાં, કોંગ્રેસ પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે તે 'મત...
કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે

અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

ભારત સરકારના બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડસ (BIS)એ તાજેતરમાં દેશભરના રાજ્યોમાં સીસ્મીક ઝોનિંગમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. ગુજરાતના અમદાવાદને ઉચ્ચ...
Business 
અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.