પોરબંદર અને ગારિયાધાર માટે નવા રૂટ શરૂ કરાયા, 20 બસને લીલી ઝંડી

સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે, એસટી નિગમ (GSRTC-ગુજરાત રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન)ની અદ્યતન નવી 10 સુપર એકસપ્રેસ અને 10 સેમી સ્લીપર કોચ મળી 20 બસોનું ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. અડાજણ ડેપો ખાતે આયોજિત બસોના લોકાર્પણ કાર્યક્રમમાં કેન્દ્રીય વસ્ત્ર અને રેલ્વે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ અને શહેરના મેયર દક્ષેશ માવાણી ઉપસ્થિત રહ્યા હતા.

https://khabarchhe.com/uploads/mc_path/16992775444.jpg

ગૃહરાજ્યમંત્રીએ આ બસોનું પૂજન કરી નિગમના ડ્રાઇવરોને ચાવી અર્પણ કરી હતી. મુસાફરોની સુવિધા અને સુખાકારીમાં વધારો થાય તેવા ઉદ્દેશ્યથી 20 બસો ગુજરાત એસટી વિભાગને ફાળવવામાં આવી છે. 10 સેમી સ્લીપર (2×1)ની 30 સીટ ફુલ્લી રિક્લાઈન અને 15 બર્થ અને 10 સુપર એકસપ્રેસ (3×2) 52 સીટ બેઠક વ્યવસ્થા સાથેની અદ્યતન સુવિધાજનક બસોનો સીધો લાભ છેવાડાના ગ્રામજનો, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને આમ નાગરિકોને સરળતાથી પ્રાપ્ત થશે. પોરબંદર અને ગારીયાધારના નવા 2 રૂટો પણ શરૂ કર્યા છે.

https://khabarchhe.com/uploads/mc_path/16992775446.jpg

આ પ્રસંગે ધારાસભ્ય મનુ પટેલ, સુરત મનપાના દંડક ધર્મેશ વાણિયાવાળા, એસ.ટી. નિગમના વિભાગીય નિયામક પી.વી. ગુર્જર, વિભાગીય પરિવહન અધિકારી, એમ.વી. વાંઢેર, વિભાગીય યાંત્રિક ઈજનેર એમ.એચ. ગામીત, અડાજણ ડેપો મેનેજર વી.આર. ગામીત , સિટી ડેપો મેનેજર એમ.વી.ચૌધરી, સુરત ગ્રામ્યના મેનેજર બી.આર. પટેલ, અધિકારીઓ, સંગઠન હોદ્દેદારો સહિત શહેરીજનો હાજર રહ્યા હતા.

About The Author

Related Posts

Top News

મમતા બેનર્જીએ જણાવ્યું- યૂસુફ પઠાણને પાકિસ્તાનની પોલ ખોલનારી ટીમમાં કેમ નહીં મોકલે TMC?

પાકિસ્તાનની કરતૂતોનો પર્દાફાશ કરવા માટે સરકાર તરફથી વિવિધ દેશોમાં મોકલવામાં આવનાર ઓલ પાર્ટી ડેલિગેશનને લઈને એક નવો વિવાદ શરૂ થઈ...
National  Politics 
મમતા બેનર્જીએ જણાવ્યું- યૂસુફ પઠાણને પાકિસ્તાનની પોલ ખોલનારી ટીમમાં કેમ નહીં મોકલે TMC?

અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે

ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે મે મહિનામાં ઘણી બધી બાબતોની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 24-25મેના દિવસે રોહિણી...
Gujarat 
અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે

પાકિસ્તાન સાથે 'નો ક્રિકેટ' એશિયા કપનો હિસ્સો નહીં બને ભારતીય ટીમ, BCCIનો મોટો નિર્ણય

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ એશિયા કપથી બહાર થવાનો નિર્ણય લીધો છે. BCCIએ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (...
Sports 
પાકિસ્તાન સાથે 'નો ક્રિકેટ' એશિયા કપનો હિસ્સો નહીં બને ભારતીય ટીમ, BCCIનો મોટો નિર્ણય

CJIએ અધિકારીઓને ખખડાવ્યા તો પોલીસ કમિશનર અને ચીફ સેક્રેટરી આગામી કાર્યક્રમમાં દોડતા પહોંચ્યા

મુંબઈમાં રવિવારે કંઈક એવું થયું, જે અધિકારીઓને હંમેશાં યાદ રહેશે. ભારતના મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈએ જ્યારે એક સાર્વજનિક મંચ...
National 
CJIએ અધિકારીઓને ખખડાવ્યા તો પોલીસ કમિશનર અને ચીફ સેક્રેટરી આગામી કાર્યક્રમમાં દોડતા પહોંચ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.