લો,તાલાલા ગીરની કેસર કેરી આવી ગઇ, જાણો બોક્સનો ભાવ કેટલો છે

ગરમીની સિઝન શરૂ થાય એટલે ફળોનો રાજા કેરી યાદ આવ્યા વગર રહે નહીં. આ એક ફળ એવું છે જે આબાલ વૃદ્ધ સૌને પંસદ હોય છે અને કેરી બજારમાં આવે તેની લોકો આતુરતા પૂર્વક રાહ જોતા હોય છે. આ વખતે કમોસમી વરસાદને કારણે ખેડુતોને ચિંતા હતી કે કેરીનો પાક મોડો આવશે. પરંતુ ગુજરાતના તાલાલા ગીરની કેસર કેરી માર્કેટમાં આવી ગઇ છે.

જાણવા મળેલી માહિતી મુજબ ગીર તાલાલાની જે કેરી અત્યારે બજારમાં આવી રહી છે તેના 10 કિલોના બોકસ દીઠ ભાવ લગભગ 1,000થી 1200 રૂપિયા ચાલી રહ્યો છે.

કેરીની આમ તો અનેક જાતો હોય છે, પરંતુ કેસર, હાફુસ, જેવી કેરી લોકોને વધારે પ્રિય છે. તેમાં પણ સૌરાષ્ટ્રની કેસરની તો વાત જ કઇંક ઔર હોય છે. આ વખતે માવઠાને કારણે ખેડુતોને કેરીનો પાક બગડવાની ચિંતા હતી, પરંતુ અમરેલીની સરખામણીએ તાલાલા ગીરમાં કેરીના પાકને નુકશાન ઓછું  થયું હતું. ખેડુતો કહી રહ્યા છે કે આ વખતે કેરીની સિઝન લાંબી ચાલશે.

તાલાલાના ખેડુતોનું કહેવું છે કે આ વખતે કેરીનો પાક 3 તબક્કામાં આવી રહ્યો છે. એ જોતા એવું લાગે છે કે પુષ્કળ પ્રમાણમાં કેરી આવશે, સિવાય કે માવઠું મજા ન બગાડે તો. ખેડુતોનું કહેવું છે કે અત્યારે તો કેસર બધી અલગ અલગ યાર્ડમાં મોકલવામાં આવી રહી છે, પરંતુ તાલાલા  કેરીની હરાજી બજારમાં 18 એપ્રિલે થશે.

જો ખેડુતો જે પ્રમાણે કેરીની પુષ્કળ આવકની વાત કરી રહ્યા છે તે જોતા ડિમાન્ડ સપ્લાયના નિયમ મુજબ કેરીના ભાવો નીચા આવશે.

જાણવા મળેલી વિગત મુજબ જુનાગઢ જિલ્લાના તાલાલા માર્કેટ યાર્ડમાં કેરીની આવકો શરૂ થઇ ગઇ છે અને અત્યારે દરરોજ 3000 બોક્સ કેરીની આવક થઇ રહી છે. ધીમે ધીમે બમ્પર આવક શરૂ થશે અને લોકોને સસ્તી કેસર કેરી ખાવા મળી શકે છે.

માર્ચ મહિનાની શરૂઆતમાં કેસર કેરીના ભાવ લાકડા જેવો હતો. તે વખતે કેરીની આવક સાવ ઓછી હતી એટલે 10 કિલો બોક્સના 2500 રૂપિયાથી 3000 રૂપિયા બોલાઇ ગયા હતા. તાલાલા ગીરને કેસર કેરીને જેમ વલસાડની હાફુસ કેરીની પણ ભારે ડિમાન્ડ રહેતી હોય છે.

સૌરાષ્ટ્ર સિવાય મહારાષ્ટ્રના ગામડાઓમાંથી પણ જુદી જુદી કેરીઓ બજારમાં આવતી થશે<

Top News

નવરાત્રિ માટે ખોડલધામ સમિતિનો ક્રાંતિકારી નિર્ણય, 28 જગ્યાએ ગરબા થશે

નવલી નવરાત્રીના પવિત્ર ઉત્સવનો 22 સપ્ટેમ્બર સોમવારથી પ્રારંભ થઇ રહ્યો છે તે પહેલા સુરત ખોડલધામ સમિતિનો નિર્ણય ચર્ચાનો વિષય બન્યો...
Gujarat 
નવરાત્રિ માટે ખોડલધામ સમિતિનો ક્રાંતિકારી નિર્ણય, 28 જગ્યાએ ગરબા થશે

PM મોદી જયા ગયા તે અમદાવાદના નેશનલ મેરિટાઇમ હેરિટેજ મ્યુઝિયમ વિશે જાણો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે ગુજરાતની મુલાકાતે આવેલા છે. ગુજરાતમાં અનેક કાર્યક્રમોમાં ભાગ લેવાના છે. અમે નેશનલ મેટીટાઇમ હેરીટેજ મ્યુઝીયમ વિશે...
Gujarat 
PM મોદી જયા ગયા તે અમદાવાદના નેશનલ મેરિટાઇમ હેરિટેજ મ્યુઝિયમ વિશે જાણો

ભરૂચની દૂધધારા ડેરીમાં ભાજપના 2 દિગ્ગજો વચ્ચે કોની જીત થઇ?

ભરૂચ દુધધારા ડેરીની ચૂંટણીના પરિણામ શનિવારે જાહેર થઇ ગયા અને ભાજપે જેમને મેન્ડેટ આપેલા હતા તે બધા ઉમેદવારો ચૂંટણી જીતી...
Gujarat 
ભરૂચની દૂધધારા ડેરીમાં ભાજપના 2 દિગ્ગજો વચ્ચે કોની જીત થઇ?

H-1B વિઝા નિયમોમાં ફેરફાર થયા પછી માઇક્રોસોફ્ટે તેના વિદેશી કર્મચારીઓને US પાછા ફરવા જણાવ્યું

શનિવારે, ટેક જાયન્ટ માઇક્રોસોફ્ટે તેના H-1B અને H-4 વિઝા ધારકોને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાહેર કરાયેલ 21 સપ્ટેમ્બરની સમયમર્યાદા...
Business 
H-1B વિઝા નિયમોમાં ફેરફાર થયા પછી માઇક્રોસોફ્ટે તેના વિદેશી કર્મચારીઓને US પાછા ફરવા જણાવ્યું

Opinion

એ વાત સાચી છે કે... વનતારા વન્યજીવન સંરક્ષણ માટે નિઃસ્વાર્થ કઠોર મહેનત કરે છે એ વાત સાચી છે કે... વનતારા વન્યજીવન સંરક્ષણ માટે નિઃસ્વાર્થ કઠોર મહેનત કરે છે
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના જામનગરમાં વસતું વનતારા એક અદ્ભુત અને પ્રેરણાદાયી સેવાકીય પ્રકલ્પ છે જે અંબાણી પરિવારની નિઃસ્વાર્થ મહેનત અને વિઝનનું...
સુરતની સચિન GIDCના ઉદ્યોગકારોને બ્લેકમેલિંગ, લાઇઝનિંગ અને લાંચખોરીથી કોણ બચાવશે?
વેસુ કેનાલ વોકવે ખાઉધરાગલીમાં પરિવર્તિત થઈ રહ્યો છે: શું આરોગ્યની ભેટ હવે વેપારીકરણનું માધ્યમ બની રહી છે?
GIDCના લાંચીયા અધિકારીઓથી સમગ્ર ગુજરાતના ઉદ્યોગકારો ત્રાહિમામ
શું કુંવરજી બાવળિયા કોળી સમાજના એક એવા નેતા છે કે જે કોંગ્રેસમાં હોય કે ભાજપમાં ફરક પડતો નથી?
Copyright (c) Khabarchhe All Rights Reserved.