2500 વર્ષ જૂનું ટોયલેટ મળ્યું, પેટની બીમારી કરતા પેરાસાઇટ મળ્યા

જેરુસલેમમાં પુરાતત્વવિદોને ખનન દરમિયાન બે પ્રાચીન ટોયલેટ્સ મળી આવ્યા છે. તે 2500 વર્ષ જુના છે. તેની અંદર મળેલા પ્રાચીન મળમાં પેરાસાઇટ પણ મળ્યા છે. જેની તપાસ કર્યા બાદ જાણકારી મળી છે કે, આ પેરાસાઇટ ટ્રાવેલર ડાયરિયા નામની બીમારી પેદા કરતા હતા. આ એક પ્રકારનું પેચિસ એટલે કે ડિસેન્ટ્રી છે. જે સૂક્ષ્મ પેરાસાઇટ મળ્યા છે, તે એક પ્રોટોજોન છે. નામ છે જિયાર્ડિયા ડ્યૂઓડેનાલિસ તેના કારણે આંતરડામાં સંક્રમણ અને પેચિસ જેવી બીમારીઓ થાય છે. તે ગંભીર ડાયરિયા પેદા કરે છે. જેમા ભયાનક પેટમાં દુઃખાવો થાય છે. તાવ પણ આવે છે. તેના વિશે 26 મે, 2023ના રોજ જ પેરાસીટોલોજી જર્નલમાં એક સ્ટડી પ્રકાશિત થઈ છે.

સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ પેરાસાઇટ 2500 વર્ષ જુના છે. માણસોમાં પ્રોટોજોનના સંક્રમણનો આટલો જુનો કેસ પહેલીવાર મળ્યો છે. આ પેરાસાઇટ જે ટોયલેટમાં મળ્યો છે, તે પથ્થરમાંથી બનાવવામાં આવ્યો હતો. સીટ પર એક ગોળાકાર કાણું હતું. એવુ માનવામાં આવી રહ્યું છે કે, આવા ટોયલેટ્સ છઠ્ઠી સદીમાં ઈસ પૂર્વે ધનવાનોના ઘરમાં બનાવવામાં આવતા હતા. આ પથ્થરોની સપાટી થોડી ઢળાણવાળી હતી જેથી મળ-મુત્ર કેન્દ્ર તરફ રહે. કેન્દ્રની તરફ એક ગોળ ખાડો બનાવવામાં આવતો હતો. જેની નીચે સેસપિટ હતું. જેને સમય-સમય પર સાફ કરવામાં આવતું હશે. આ ટોયલેટ્સ હજુ પણ પોતાની જગ્યાએથી હલ્યા નથી. આથી વૈજ્ઞાનિકોને લાગે છે કે, આ સ્થાનો પરથી પ્રાચીન પેરાસાઇટ્સ શોધી શકાય છે. કારણ કે, આ સ્થાનો પર જમા થયેલું મળ હવે પથ્થરની જેમ સખત થઈ ગયુ છે.

આ અગાઉ પણ જે રિસર્ચ થયા છે, તેમા સેસપિટ્સમાંથી વ્હિપવોર્મ, રાઉન્ડવોર્મ, પિનવોર્મ અને ટેપવોર્મના ઇંડા મળ્યા હતા. આ ઇંડા ઘણી સદીઓ સુધી સુરક્ષિત રહી શકે છે. આથી તેમાથી સિસ્ટ શોધવા મુશ્કેલ હતા, જે પ્રોટોજોઆ પેદા કરે છે. આ ટોયલેટને શોધવામાં કેમ્બ્રિજ યુનિવર્સિટી, તેલ અવીવ યુનિવર્સિટી અને ઇઝરાયલ એન્ટીક્વીટીસ ઓથોરિટીના એક્સપર્ટ સાથે આવ્યા. તે લોકોએ ELISA ટેકનિકથી ડાયરિયા ફેલાવનારા પ્રાચીન પેરાસાઇટની શોધ કરી. જે ટોયલેટ્સ મળ્યા છે, તે જેરૂસલેમની દીવાલની પાસે જ છે. જે ઘરમાં મળ્યા છે, તેને હાઉસ ઓફ એહિલ કહે છે. આ ઉપરાંત, ત્રણ અન્ય સેમ્પલ જમા કરવામાં આવ્યા જે અરમોન હા-નાત્જીવના સેસપિટમાંથી લેવામાં આવ્યા છે. તે જેરૂસલેમના દક્ષિણમાં આશરે 1.6 કિલોમીટર દૂર છે. જ્યારે, ELISA ટેકનિકથી તપાસ કરી તો પેરાસાઇટ દ્વારા પેદા કરવામાં આવેલા સિસ્ટ મળી આવ્યા. આ સિસ્ટ એક ખાસ પ્રકારની પ્રોટીન દીવાલના બનેલા હોય છે.

જિયાર્ડિયા ડ્યૂઓડેનાલિસ ખૂબ જ નાના નાશપતિના આકારના પેરાસાઇટ હોય છે. તે ભોજન અને પાણીની સાથે શરીરમાં જાય છે. તેના ફેલાવાનો મુખ્ય સ્ત્રોત માણસો અને પ્રાણીઓના મળ હોય છે. આ પેરાસાઇટ માણસના આંતરડાના સુરક્ષા લેયરને બરબાદ કરી દે છે. તે શરીરમાં રહેલા પોષક તત્વોને ખાવા માંડે છે. જોકે, તેનાથી સંક્રમિત લોકોની તબિયત ઝડપથી સુધરી જાય છે. પરંતુ, જો તેમના દ્વારા સુરક્ષા લેયરને બરબાદ કર્યા બાદ કોઈ બેક્ટેરિયા તે રસ્તેથી શરીરમાં ચાલ્યા જાય તો પ્રોબ્લેમ વધી જાય છે.

કેમ્બ્રિજ યુનિવર્સિટીના પેલિયો-પેરાસાઇટ રિસર્ચના ડૉ. પીયર્સ મિશેલ કહે છે કે અમે એ નથી જણાવી શકતા કે છઠ્ઠી સદી ઇસ પૂર્વમાં આ પેરાસાઇટથી કેટલા લોકો સંક્રમિત હતા. પરંતુ, એ જરૂર છે કે તે સમયે આ પેરાસાઇટ ઘણા લોકોને બીમાર કરતા રહ્યા હશે. આ લોખંડયુગના સમયના પેરાસાઇટ છે. સાથે જ એ વાત ચોક્કસ છે કે જિયાર્ડિયા ડ્યૂઓડેનાલિસ પેરાસાઇટ ઓછામાં ઓછાં 4000 વર્ષથી માણસોને સંક્રમિત કરતા રહ્યા છે.

About The Author

Related Posts

Top News

કેનેડામાં 18 કરોડની ચોરીમાં 2 યુવતી સહિત 5 ગુજરાતીઓ પકડાયા, 2 વર્ષથી ચોરી કરતા હતા

કેનેડાના એજેક્સ (Ajax) સ્થિત એમેઝોન ફુલફિલમેન્ટ સેન્ટરમાંથી આશરે $2 મિલિયન (આશરે ₹18.5 કરોડ) ની કિંમતી વસ્તુઓની ચોરીનો મામલો સામે આવ્યો...
World 
કેનેડામાં 18 કરોડની ચોરીમાં 2 યુવતી સહિત 5 ગુજરાતીઓ પકડાયા, 2 વર્ષથી ચોરી કરતા હતા

સુરતના વિવાન શાહે રાષ્ટ્રીય બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં કાંસ્ય પદક જીત્યું

સુરત. સુરતનો ઉભરતો સિતારો બેડમિન્ટન ખેલાડી અને મનીત પાહુજા એકેડમી સાથે સંકળાયેલા વિવાન શાહે બિહારમાં યોજાયેલી પ્રતિષ્ઠિત યોનેક્સ સનરાઇઝ 37મી...
Gujarat 
સુરતના વિવાન શાહે રાષ્ટ્રીય બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં કાંસ્ય પદક જીત્યું

AM/NS Indiaએ NECA 2025 ખાતે ટોચનો ઈનોવેશન એવોર્ડ જીત્યો

હજીરા-સુરત, ડિસેમ્બર 17, 2025: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India) ને વીજ મંત્રાલય દ્વારા આયોજિત અને બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી...
Gujarat 
AM/NS Indiaએ NECA 2025 ખાતે ટોચનો ઈનોવેશન એવોર્ડ જીત્યો

હૈદરાબાદ જિલ્લામાં જાહેર સેવા કાર્યક્ષમતા વધારવા માટે દેશની પ્રથમ ક્યૂઆર કોડ ફીડબેક પ્રણાલીનો આરંભ

હૈદરાબાદ (તેલંગાણા) [ભારત], 15 ડિસેમ્બર: સેવા વિતરણ અને ઝડપી પ્રતિભાવમાં સુધારાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરીને, હૈદરાબાદ જિલ્લા કલેક્ટર હરિ...
National 
હૈદરાબાદ જિલ્લામાં જાહેર સેવા કાર્યક્ષમતા વધારવા માટે દેશની પ્રથમ ક્યૂઆર કોડ ફીડબેક પ્રણાલીનો આરંભ

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.