NASAએ જણાવ્યું- કંઇ રીતે વધી રહ્યું છે સમુદ્રી જળસ્તર, ક્યારે ડૂબી જશે દુનિયા?

અમેરિકી અંતરિક્ષ એજન્સી NASAએ એક એનિમેશન વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે, કઇ રીતે છેલ્લાં 30 વર્ષોમાં સમુદ્રી જળસ્તર 10 સેન્ટીમીટર વધી ગયુ. એટલે કે આશરે 3.5 ઇંચ. આ એક ખતરનાક સ્થિતિ છે. જો આ જ રીતે સમુદ્રી જળસ્તર વધતુ રહ્યું તો આપણી દુનિયાના ઘણા દેશ, દ્વીપ અને તટીય વિસ્તાર ડૂબી જશે. NASA સાયન્ટિફિક વિઝ્યુલાઇઝેશન સ્ટુડિયોના ડેટા વિઝ્યુલાઇઝર એન્ડ્ર્યૂ જે. ક્રિસ્ટેનસેને NASAના ડેટાના આધાર પર બનાવ્યો છે. તેણે ઘણા સેટેલાઇટ્સના ડેટાનું એનાલિસીસ કર્યું છે. આ ડેટા 1993થી લઇને 2022 સુધીના છે. આ કોઈ સાધારણ વીડિયો એનિમેશન નથી. તેમા વર્ષોના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.

30 વર્ષમાં 10 સેન્ટીમીટર સમુદ્રી જળસ્તર વધવુ વધુ નથી લાગતું. પરંતુ, આ સ્થિતિ સારી નથી. સતત બદલાઈ રહેલા જળવાયુ અને વધતા તાપમાનની અસર ગ્લેશિયરો પર પડે છે. ઉત્તરી અને દક્ષિણી ધ્રુવો પર પડે છે, જેને કારણે ત્યાંનો બરફ પીગળે છે. પહાડોના ગ્લેશિયર પીઘળીને નદીઓ દ્વારા સમુદ્રનું જળસ્તર વધી રહ્યું છે. તટીય વિસ્તારોમાં રહેતા લોકો માટે આ વીડિયો ખૂબ જ ખતરનાક છે. આવનારા કેટલાક વર્ષોમાં લાખો લોકોને મુશ્કેલી થશે, જે તટીય વિસ્તારોમાં રહે છે. આપણા સમુદ્ર માણસો દ્વારા પેદા કરવામાં આવી રહેલા ગરમ તાપમાનનો 90 ટકા હિસ્સો શોષી લે છે. સમગ્ર દુનિયામાં સમુદ્રી જળસ્તર બેગણુ ઝડપથી વધી રહ્યું છે. આ ચેતવણી સંયુક્ત રાષ્ટ્રએ પણ આપી હતી.

વર્ષ 1993થી 2002ની વચ્ચે જેટલું જળસ્તર વધ્યુ, તેનાથી બે ગણી ઝડપથી 2013થી 2022ની વચ્ચે વધ્યુ છે. ગત વર્ષે તો આ રેકોર્ડ ઉચ્ચ સ્તર પર પહોંચી ગયો હતો. ચેતવણી એ પણ છે કે, આ સદીના અંત સુધી તે આ દરથી અથવા તેના કરતા ઝડપથી વધી શકે છે. સંયુક્ત રાષ્ટ્રની એજન્સી વિશ્વ મૌસમ વિજ્ઞાન સંગઠન (WMO)એ જણાવ્યું કે, તેનું મોટું કારણ વધુ તાપમાન છે. જેનાથી ગ્લેશિયર પીઘળી રહ્યા છે સમુદ્રની ગરમી વધી રહી છે. જેને કારણે પાણી ફેલાઈ રહ્યું છે. 2013થી 2022ની વચ્ચે સમુદ્રી જળસ્તર દર વર્ષે 4.62 મિલિમીટરના દરથી વધી રહ્યું છે. તે 1993થી 2002ની ગતિથી બેગણુ છે.

WMOના સેક્રેટરી-જનરલ પેટેરી ટાલસે કહ્યું કે, ગ્લેશિયરોનું પીઘળવુ અને સમુદ્રી જળસ્તરનું ઝડપથી વધવુ ખૂબ જ ખતરનાક પ્રક્રિયા છે. તેના કારણ વધુ માત્રામાં ગ્રીન હાઉસ ગેસોનું નીકળવુ છે. જળસ્તરનું વધવુ આ સદીમાં તો થતુ રહેશે. ત્યારબાદ પણ આવનારા હજારો વર્ષો સુધી સમુદ્રી જળસ્તરમાં વધારો થતો રહેશે. તવાલૂ જેવા દ્વીપોને સૌથી વધુ જોખમ છે. સમુદ્રી જળસ્તરના વધવાથી આ પ્રકારના દ્વીપ દુનિયાના નકશામાંથી નીકળી જશે. એન્ટાર્કટિકાનો બરફ ગત વર્ષે જૂન અને જુલાઈમાં ખૂબ જ ઝડપથી પીઘળ્યો છે. સમુદ્રી હીટવેવ જમીનની સરખામણીમાં 58 ટકા વધુ હતી. જેના કારણે ધ્રુવીય વિસ્તારોમાં બરફ ઝડપથી પીઘળી રહ્યો છે.

ગત વર્ષે યૂરોપમાં 15 હજાર લોકોના મોત હીટવેવના કારણે થયા. ટાલસે જણાવ્યું કે, આ પ્રકારના ખતરનાક હવામાનની સ્થિતિ 2060 સુધી બની રહેશે. જો ઉત્સર્જન ઓછું ના કરવામાં આવ્યું તો સ્થિતિ વધુ ખરાબ બનશે. જોકે, હજુ પણ તેને સુધારી શકાય છે. જેથી, આવનારી પેઢીને કોઇ મુશ્કેલી ના થાય. દોઢ ડિગ્રી સેલ્સિયસ તાપમાન પણ જો આવનારા થોડાં દાયકાઓમાં વધશે તો મુસીબત આવશે. મૌસમમાં એટલું પરિવર્તન થશે કે ઘણા દેશોએ મુશ્કેલીનો સામનો કરવો પડશે. WMOએ કહ્યું કે, 2022 પાંચમું અથવા છઠ્ઠું સૌથી ગરમ વર્ષ હતું. વૈશ્વિક તાપમાન પ્રી-ઇન્ડસ્ટ્રિયલ સમયથી 1.5 ડિગ્રી સે. વધુ હતું. એ પણ ત્યારે જ્યારે ત્રણ વર્ષ સુધી લા-નીના ક્લાઇમેટ ચાલી રહ્યું હતું. એટલે કે હવામાનને ઠંડુ રાખવાની વ્યવસ્થા પ્રકૃતિએ પોતે રાખી હતી. જોકે, મૌસમ વિજ્ઞાનીઓએ ચેતવણી આપી છે કે, 2023 અથવા 2024માં સરેરાશ તાપમાનનો રેકોર્ડ તૂટી શકે છે. આ કારણે જળવાયુ પરિવર્તન અને અલ-નીનો થઈ શકે છે.

About The Author

Related Posts

Top News

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.