ચીનના વૈજ્ઞાનિકોનો દાવો-ચંદ્ર પર કાચના મોતીઓમાં જમા છે 30000 કરોડ લીટર પાણી

ચીનના વૈજ્ઞાનિકોએ ચંદ્રની સપાટી નીચે હજારો કરોડ લીટર પાણીની શોધ કરવાનો દાવો કર્યો છે. તેમના દાવામાં હેરાની એ વાતની છે કે પાણી કાંચના મોતીઓમાં બંધ છે એટલે કે આટલા લીટર પાણીને પોતાનામાં છુપાવવા માટે હજારો કરોડ મોતીઓ પણ છે, એ પણ કાંચના. આ કાંચના મોતીઓ કે નાના બૉલની અંદર પાણી છુપાયેલું હોવાની વાત ચીનના વૈજ્ઞાનિકો કહી રહ્યા છે. હકીકતમાં ચીનની સ્પેસ એજન્સી ચંદ્રની સપાટીનું સેમ્પલ લાવવા માટે ચાંગઇ-5 મોકલ્યું હતું. મિશન સફળ રહ્યું.

રોવરે ડિસેમ્બર 2020માં માટીનું સેમ્પલ લીધું હતું. તેને લઈને ધરતી પર પરત આવી ગયું. જ્યારે પાટીના સેમ્પલની તપાસ કરવામાં આવી તો ખબર પડી કે તેમ માઇક્રોસ્કોપિક કાંચના મોતી છે. આ મોતીઓ અંદર પાણી હોવાના પુરાવા મળ્યા છે કેમ કે તે કાંચની મોટી અલગ-અલગ ધાતુઓ પીગળવાના કારણે બન્યા છે. આ મોતીઓને અપોલો લૂનર સેમ્પલ દરમિયાન લેવામાં આવેલી માટીમાં પણ ઓવા મળ્યા. હવે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ભવિષ્યમાં ચંદ્ર પર માણસની વસ્તી વસાવવા માટે આ મોતીઓમાંથી પાણી કાઢી શકાય છે.

અહીં લગભગ 30 હજાર લીટર પાણી છે, તેનો રિપોર્ટ 27 માર્ચ 2023ના રોજ Nature Geosciences જર્નલમાં પ્રકાશિત થયો છે. આ કાંચના મોતીઓને ગ્લાસ સ્ફેરુલ્સ કે ઇમ્પેક્ટ ગ્લાસિસ કે માઇક્રોટેક્ટાઈટિસ કહેવામાં આવે છે. એ ત્યારે બને છે જ્યારે લાખો કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી ઉલ્કાપિંડ ચંદ્ર સાથે ટકરાય છે. ચંદ્રયાન વાયુમંડળમાં માટી ઝડપથી ઊડે છે. અહી ટક્કરથી ખૂબ ગરમી ઉત્પન્ન થાય છે. જેથી સિલિકેટ ખનીજ પીગળે છે. પછી ઠંડા થઈને કાંચના ગોળ મોતીઓમાં બદલાઈ જાય છે.

નેચર જિયોસાયન્સિસમાં છપાયેલા રિપોર્ટ મુજબ, આ મોતીઓની અંદર હાઇડ્રોજનની માત્ર ખૂબ જ વધારે હોય છે. એમ કહેવાય કે તે પોતાની અંદર હાઈડ્રોજન ફસાવી લે છે. માટીમાં દબાતા જાય છે. જ્યારે સૂર્યની હવા ચાલે છે એટલે કે સૌર હવા. ત્યારે આ હાઈડ્રોજન પાણીનું નિર્માણ કરે છે, પરંતુ જમીનની સપાટી નીચે. કાંચના દરેક મોતીની અંદર 2000 માઇક્રોગ્રામ પાણી સ્ટોર થવાની સંભાવના છે. જ્યારે વૈજ્ઞાનિકોએ હાઇડ્રેશન સિગ્નેચર એનાલિસિસ કર્યું તો ખબર પડી કે મોટી થોડા જ વર્ષોમાં પોતાની અંદર પાણી બનાવવાની ક્ષમતા ઉત્પન્ન કરી લે છે.

એટલે કે ભવિષ્યમાં માણસોના મૂન મિશન દરમિયાન તેમને પાણીની જરૂરિયાત હશે તો આ મોતીઓમાંથી કાઢીને તેમનો ઉપયોગ કરી શકાય છે. જો કે અત્યારે વૈજ્ઞાનિકોએ આશા છે કે આ કાંચના મોતીઓમાં જેમા પાણી સિવાય અન્ય કોઈ નવા ખુલાસા થઈ શકે છે. ચાઇનીઝ અકાદમી ઓફ સાયન્સિસના જિયોફિઝિસ્ટ હૂ સેને કહ્યું કે, ચંદ્ર પર આ કાંચના મોતીઓ સિવાય પણ ઘણી એરલેસ બોડી છે એટલે કે એવી વસ્તુઓ જેમાં હવા નથી, પરંતુ સૂરજની હવા લગાવ પર તે પાણી ઉત્પન્ન કરી શકે છે.અમે એવી જ વસ્તુઓની શોધ કરી રહ્યા છીએ જેથી ભવિષ્યમાં ચંદ્ર પર એસ્ટ્રોનોટ્સને પાણીની અછત ન અનુભવાય.

About The Author

Related Posts

Top News

કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટીએ ફરીએકવાર બધાને ચોંકાવતા નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. નીતિન નબીન વિશે ભાગ્યે...
National 
કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

માનવતા નેવે મૂકાઈ... ટ્રકનો ડ્રાઇવર પીડાથી કણસતો રહ્યો પણ લોકો ટેન્કરમાંથી ડીઝલ લૂંટતા રહ્યા

ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાં પ્રયાગરાજ-કાનપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ 2 પર એક ટ્રક ડીઝલ ટેન્કર સાથે અથડાઈ હતી. ડ્રાઈવર અને હેલ્પર ગંભીર...
National 
માનવતા નેવે મૂકાઈ... ટ્રકનો ડ્રાઇવર પીડાથી કણસતો રહ્યો પણ લોકો ટેન્કરમાંથી ડીઝલ લૂંટતા રહ્યા

300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

રણવીર સિંહની નવી જાસૂસી થ્રિલર ફિલ્મ 'ધુરંધર' ભારતમાં ધૂમ મચાવી રહી છે, પરંતુ તેની આંતરરાષ્ટ્રીય રિલીઝને ખાસ...
Entertainment 
300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે

બિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર અને મર્યાદિત જાહેર સમર્થન છતાં, કોંગ્રેસ પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે તે 'મત...
કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.