ચંદ્રના એ ટુકડાને અમેરિકાના એસ્ટ્રોનેટ ધરતી પર લાવેલા અને NASAએ ભારતને આપેલો

ભારતે બુધવારે ઇતિહાસ રચી દીધો છે. 23 ઓગસ્ટ 2023ના દિવસે સાંજે 6 વાગ્યે અને 4 મિનિટે ભારતના ચંદ્રયાન-3 એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરી દીધું હતું. આ મૂન મિશન પર માત્ર ભારતની જ નહીં, પરંતુ દુનિયાભરના વૈજ્ઞાનિકોની નજર હતી.ચંદ્રના સાઉથ પોલ પર લેન્ડિંગ કરનારો ભારત પહેલો દેશ બની ગયો છે. પરંતુ અમે તમને એ વાતની જાણકારી આપીશું કે ચંદ્રના ટુકડાને સૌથી પહેલા અમેરિકાના એસ્ટ્રોનેટ ધરતી પર લાવેલા અને પછી એ મૂન સ્ટોનને ભારતને આપી દેવામાં આવ્યો હતો.

બધા જાણે છે કે ચંદ્ર પર પહેલું પગલું નીલ આર્મસ્ટ્રોંગ અને એડવિન એલ્ડ્રિને રાખ્યું હતું. જ્યારે તે પૃથ્વી પર પાછા ફર્યા ત્યારે તેમની સાથે 22 કિલો મૂનસ્ટોન અને માટી હતી. એ પછી અમેરિકાની સ્પેસ એજન્સી National Aeronautics and Space Administration (NASA)એ મૂન સ્ટોન અને માટીના સેમ્પલને દુનિયાની અલગ-અલગ સ્પેસ એજન્સીઓને આપી દીધા હતા. એમાં ભારતને પણ એક ટુકડો મળ્યો હતો. જેને મુંબઇની ટાટા ઇન્સ્ટિટયૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ(TIFR)માં રાખવામાં આવ્યો હતો.

અમેરિકાએ વર્ષ 1969માં એપોલો-11ને ચંદ્રના અભ્યાસ માટે મોકલ્યું હતું. જ્યારે બંને એસ્ટ્રોનેટ નીલ આર્મસ્ટ્રોંગ અને એડવિન એલ્ડ્રિન 24 જુલાઇએ ચંદ્ર પરથી પાછા આવ્યા ત્યારે તેમની સાથે 21.7 કિલોના સેમ્પલ હતા, જેને NASA બધી સ્પેસ એજન્સીઓને આપી દીધા હતા, જેમાં ભારતને 100 ગ્રામનો એક મૂન સ્ટોન મળ્યો હતો.

ભારતના વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે આ મૂન સ્ટોનની મદદથી તેઓ હાઇ એનર્જિ સેક્ટરનો સ્ટડી કરવામાં આવે છે. પહેલા આ મૂન સ્ટોનને મુંબઇની ટાટા ઇન્સ્ટિટયૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચમાં રાખવામાં આવ્યો હતો, પરંતુ અત્યારે આ સ્ટોન અમદાવાદની ફિઝિકલ રિસર્ચ લેબમાં રાખવામાં આવ્યો છે. ભારતે NASAને એક તૃત્યાંશ હિસ્સો પહેલાં જ પરત આપી દીધો હતો. આ મૂન સ્ટોનના સેમ્પલને કડી સુરક્ષા હેઠળ એક જારમાં રાખવામાં આવ્યો છે.

જ્યારે પણ NASA પાસેથી ચંદ્રનો સેમ્પલ લેવામાં આવે છે, ત્યારે તેને નિશ્ચિત સમય પછી પરત કરવાનો હોય છે. પરંતુ નાસાએ ભારતને તેને રાખવાની મંજૂરી આપી છે. પરંતુ ચંદ્રના આ ટુકડાને રાખવા માટે NASA દ્વારા ઘણા નિયમો બનાવવામાં આવ્યા છે. આ નમૂનાને કોઈ સીધો સ્પર્શ કરી શકે નહીં. દર ત્રણ વર્ષે નાસા તરફથી પરવાનગી રિન્યુ કરાવવી પડે છે. ભારત દર 3 વર્ષે  NASA પાસેથી પરમિશન રિન્યૂ કરાવે છે, જેથી વધારેને વધારે જાણકારી મેળવી શકાય. આજે જ્યારે ભારતનું ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પર સફળતા પૂર્વક લેન્ડ થઇ ગયું છે ત્યારે કેટલેક અંશે એ સફળતામાં આ મૂન સ્ટોનનો પણ હાથ છે.

About The Author

Related Posts

Top News

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

તપાસ સમિતિએ અમદાવાદની ક્રિશ્ચિયન ટ્રસ્ટ સંચાલિત જાણીતી 'સેવન્થ-ડે સ્કૂલ'નો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો છે. જેમાં...
Gujarat 
સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!

કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. તેમણે તાજેતરમાં પક્ષના નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી અને કહ્યું હતું...
National 
'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.