પદ્માબાપા, જે મદ્રાસથી મગફળી ગુજરાત લાવ્યા

ચોમાસામાં વાવણીના સમયે વાવેલી મગફળીની લણણી શરુ થઇ ગઇ છે અને ગુજરાતના વિવિધ માર્કેટીગ યાર્ડોમાં મગફળીની આવક થવા લાગી છે.  અંદાજે આ વર્ષે ગુજરાતમાં 15 લાખ હેક્ટર જમીનમાં મગફળીનું વાવેતર થયું છે. જો કે દર વર્ષની જેમ આ વર્ષે પણ સૌરાષ્ટ્ર મગફળીના વાવેતરમાં અગ્રેસર છે. એ પણ નોંધવું જોઈએ કે સૌરાષ્ટ્રના ખેડૂતોને આર્થિક રીતે મજબૂત કરનાર કોઈ હોય તો તે મગફળી છે.  આ સિવાય સૌરાષ્ટ્ર સહિત સંપૂર્ણ ગુજરાતમાં કરોડો રૂપિયાનો મગફળીના તેલનો ઉદ્યોગ પણ ચાલે છે. તમને જણાવી દઈએ કે સૌરાષ્ટ્રમાં મગફળીના આગમનના કંઈ વધુ વર્ષો નથી થયા.

આજથી 150 વર્ષ પહેલા પદ્માબાપા કાલરીયા નામના એક ગર્ભ શ્રીમંત અને પ્રગતિશીલ ખેડૂત મગફળીને મદ્રાસથી લાવ્યા હતા.

પદ્માબાપા ધોરાજી-માટી મારડ તાબેનાના પીપળીયા ગામના વતની હતા. પદ્માબાપા એકવાર મદ્રાસ ગયા હતા ત્યાં તેમને પ્રથમવાર મગફળીનો પાક જોયો હતો. જ્યાં પદ્માબાપાએ મગફળીના પાક વિશે માહિતી મેળવી અને તેના કેડિયાના બંને ખિસ્સામાં સમાય તેટલી મગફળી લઈને ગુજરાત પરત ફર્યા. બાપાએ મદ્રાસથી લાવેલી મગફળીનું પ્રથમ વખત વાવેતર કર્યું અને તેનાથી બે સુંડલા જેટલી મગફળીનું ઉત્પાદન થયું.

પદ્માબાપાએ ઉત્પાદન થયેલી મગફળીને દાણા કાઢીને બીજી વાર વાવેતર કર્યું અને તેમાંથી એક ગુણી મગફળીનું પદ્માબાપાએ ઉત્પાદન મેળવ્યું હતું. આ ઉત્પાદનમાંથી બાપાએ બધા સગા વ્હાલામાં વહેંચી અને તે બધાએ પણ મગફળી વાવી. આવી રીતે ધીમે ધીમે મગફળીનું વાવેતર સૌરાષ્ટ્રભરના ખેડૂતો કરવા લાગ્યા. 

આમ સૌરાષ્ટ્રમાં મગફળી લાવવાનો શ્રેય પદ્માબાપા કાલરીયાને જાય છે. તમને જણાવી દઈએ કે રાજાશાહીના તે સમયમાં ધોરાજી ખાતે મળેલા એક ખેડૂત સંમેલનમાં પદ્માબાપાનું સન્માન કરવામાં આવ્યું અને તેમને ‘મગફળીના પિતા’નું બિરુદ આપવામાં આવ્યું હતું.

વર્તમાનમાં પદ્માબાપાનું તૈલીચિત્ર ધીરાજી ખાતે અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મુકવામાં આવી છે. બાપાનું ખોબો મગફળીનું વાવેતર આજે ગુજરાતના 15 લાખ હેકટર કરતા પણ વધારે વિસ્તારમાં વિસ્તર્યું છે. અને આજે પણ મગફળી સૌરાષ્ટ્રનો મુખ્ય ચોમાસું પાક છે.

Related Posts

Top News

મહિલાને ઇજા થઈ, તેના પર કૂતરાએ ચાટ્યું, એક અઠવાડિયા પછી જીવ ગુમાવ્યો

બ્રિટનમાં એક મહિલાના ઇજા થયેલા ઘા ને કથિત રીતે કૂતરા દ્વારા ચાટવામાં આવ્યા પછી તેનું મૃત્યુ થયું. થોડા સમય પહેલા...
World 
મહિલાને ઇજા થઈ, તેના પર કૂતરાએ ચાટ્યું, એક અઠવાડિયા પછી જીવ ગુમાવ્યો

Hondaએ લોન્ચ કરી 'Honda CB125 Hornet' બાઇક, સ્ટાઇલિશ લુક... પ્રીમિયમ ફીચર્સ! જાણો કિંમત કેટલી

આ મહિનાની શરૂઆત 1 ઓગસ્ટથી, ઓટો-સેક્ટરમાં લોન્ચ થવાની પરંપરા શરૂ થઈ ગઈ છે. આ મહિને, બજારમાં એક એકથી...
Tech and Auto 
Hondaએ લોન્ચ કરી 'Honda CB125 Hornet' બાઇક, સ્ટાઇલિશ લુક... પ્રીમિયમ ફીચર્સ! જાણો કિંમત કેટલી

કંગના રણૌતે એમ કેમ કહ્યું કે- 'સંસદની હાલત એવી થઈ ગઈ છે કે ત્યાં બેસવું મુશ્કેલ છે'

આજે સંસદના ચોમાસુ સત્ર 2025ની કાર્યવાહીનો 10મો દિવસ છે અને આજે પણ ગૃહમાં સતત હોબાળો ચાલી રહ્યો છે. ગુરુવારે પણ...
National 
કંગના રણૌતે એમ કેમ કહ્યું કે- 'સંસદની હાલત એવી થઈ ગઈ છે કે ત્યાં બેસવું મુશ્કેલ છે'

'મતની ચોરી કરાવી રહ્યું છે ચૂંટણી પંચ, નિવૃત્ત થઇ જાય તો પણ છોડીશું નહીં'; રાહુલ ગાંધી થયા ઉગ્ર

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે ચૂંટણી પંચ પર મોટો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે...
National 
'મતની ચોરી કરાવી રહ્યું છે ચૂંટણી પંચ, નિવૃત્ત થઇ જાય તો પણ છોડીશું નહીં'; રાહુલ ગાંધી થયા ઉગ્ર
Copyright (c) Khabarchhe All Rights Reserved.