વિજાપુરમાં પિતા-પુત્ર ખેડૂતો પાસે લોન લેવડાવી 9 કરોડનું ભોપાળું કરીને ઓસ્ટ્રેલિયા ભાગી ગયા

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના કુકરવાડા ગામમાં દાયકા જૂની એક પેઢી ચલાવતા પિતા-પુત્રએ 90થી વધુ ખેડૂતો સાથે કરોડોની છેતરપિંડી આચરી છે. વસાઈ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર પિતા પ્રહલાદ પટેલ અને દીકરો નરેન્દ્ર પટેલ ખેડૂતોના વિશ્વાસનો દુરુપયોગ કરી રૂ. 9 કરોડથી વધુની લોન ખેડૂતોના નામે લઈ, અને તે રૂપિયા પોતાના ખાતામાં જમા કરી ઓસ્ટ્રેલિયા ફરાર થઈ ગયા છે.

આ પેઢી છેલ્લા 50 વર્ષથી કુકરવાડા માર્કેટ યાર્ડમાં કાર્યરત હતી, જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં વિશ્વાસપાત્ર તરીકે ઓળખાતી હતી. પિતા-પુત્ર ખેડૂતો પાસેથી પાક વેચાણ અંગે વ્યવહાર કરતા અને ઘણા ખેડૂતો પાક વેચાણની રકમ પણ પેઢીમાં જમા રાખતા હતા. આ દરમિયાન પિતા-પુત્રએ "ધંધામાં તંગી છે" કહીને 92 ખેડૂતોના નામે લોન લેવડાવી અને તે હપ્તા ભરી આપવાની ખાતરી આપી હતી. આ તમામ લોનની રકમ તેમણે પોતાની પાસે રાખી લીધી હતી.

virat2
x.com/mufaddal_vohra

જ્યારે ખેડૂતો પૈસા લેવા માટે પેઢી પર પહોંચ્યા ત્યારે પેઢી અને રહેઠાણ બંને બંધ મળ્યા. વિસ્તારના લોકો કહે છે કે આ બંને ઓસ્ટ્રેલિયા ફરાર થઈ ગયા છે. એ પછી ખેડૂતોએ પોલીસ મથકે પહોચી વિગતવાર અરજી આપી છે.

ફરિયાદમાં ખાસ ઉલ્લેખ છે કે પ્રહલાદ પટેલ કુકરવાડા સહકારી નાગરિક બેંકના વાઇસ ચેરમેન હતા અને 25 ગામના કડવા પાટીદાર સમાજના આગેવાન તરીકે પણ જાણીતા હતા. 

fraud1
agriculture.com

એક ખેડૂત જણાવ્યું કે “હું છેલ્લા 50 વર્ષથી પેઢી સાથે જોડાયેલો છું. 3 વર્ષથી પાક વેચાણના રૂપિયા પેઢીમાં જમા કરાવતો હતો. તેમણે મારી પાસેથી 9 લાખ રૂપિયાની નકદી માંગીને કહ્યું કે ગાંધીનગરમાં કોન્ટ્રાક્ટ છે, ટૂંક સમયમાં પરત કરી દઈશું. ઉપરથી મારા નામે બે લોન પણ લીધી હતી. 8 જુલાઈએ પૈસા આપવાની વાત કહીને તે પહેલા 2 જુલાઈ આસપાસ ઘર ખાલી કરીને ભાગી ગયા.”

હાલમાં વસાઈ પોલીસ મથક દ્વારા આ મામલે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરાઈ છે. પોલીસ સહિત સમગ્ર ખેડૂતોના વર્ગમાં આ ઘટનાને લઈ ઉથલપાથલ મચી ગઈ છે.

About The Author

Top News

‘રીલ જોતી હતી એટલે જીવું છું’, મથુરા બોટ દુર્ઘટનામાં બચેલી મહિલાનો દાવો

વૃંદાવન, મથુરા (ઉત્તર પ્રદેશ)માં થયેલા દુ:ખદ નાવ અકસ્માત વચ્ચે એક ચોંકાવનારી કહાની સામે આવી છે. અકસ્માતમાં બચી ગયેલી અને...
National 
‘રીલ જોતી હતી એટલે જીવું છું’, મથુરા બોટ દુર્ઘટનામાં બચેલી મહિલાનો દાવો

આનંદીબેન પટેલની દોહિત્રી સંસ્કૃતિ 'કૃષ્ણાવતારમ' ફિલ્મથી કરશે બોલિવુડમાં એન્ટ્રી

ગુજરાતના રાજકારણના દિગ્ગજ નેતા અને ઉત્તર પ્રદેશના વર્તમાન રાજ્યપાલ આનંદીબેન પટેલની દોહિત્રી સંસ્કૃતિ જયના હવે ગ્લેમરની દુનિયામાં પદાર્પણ કરી...
Entertainment 
આનંદીબેન પટેલની દોહિત્રી સંસ્કૃતિ 'કૃષ્ણાવતારમ' ફિલ્મથી કરશે બોલિવુડમાં એન્ટ્રી

SIRને લઈને કોર્ટે એવો ફેસલો સંભળાવ્યો કે મમતા બેનર્જી ખુશ થઈને બોલ્યા- સુપ્રીમ કોર્ટ પર ગર્વ છે

આગામી ચૂંટણીઓ પહેલા નાગરિકોના મતદાન અધિકારોનું રક્ષણ કરવા માટે સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ SIR કેસમાં બંધારણની કલમ 142નો ઉપયોગ...
National 
SIRને લઈને કોર્ટે એવો ફેસલો સંભળાવ્યો કે મમતા બેનર્જી ખુશ થઈને બોલ્યા- સુપ્રીમ કોર્ટ પર ગર્વ છે

સરકાર જે બિલને લાવવા માંગે છે તે સીમાંકનનો મુદ્દો શું છે? અહીં સમજો; જેનાથી લોકસભા બેઠકોની સંખ્યા વધીને 850 થશે

આજે સંસદમાં 3 બિલ રજૂ કરવામાં આવ્યા હતા, જે લોકસભા બેઠકોની સંખ્યા વધારશે. તેમનો ઉદ્દેશ્ય લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં...
National 
સરકાર જે બિલને લાવવા માંગે છે તે સીમાંકનનો મુદ્દો શું છે? અહીં સમજો; જેનાથી લોકસભા બેઠકોની સંખ્યા વધીને 850 થશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.