વનિતા વિશ્રામ ખાતે આયોજિત ‘કૂંચલા’ આર્ટ ગેલેરી, 40 પેઈન્ટિંગ વેચાયા

વનિતા વિશ્રામ સુરત ખાતે 14, 15 અને 16 એમ 3 દિવસ દરમિયાન ‘કૂંચલા’ આર્ટ ગેલેરીના માધ્યમથી 9 મહિલા ચિત્રકારો સહિત 13 વર્ષીય કિશોરી મળી કુલ 10 લોકોએ મેન્ટર રાકેશ ગોહિલની આગેવાનીમાં ચિત્ર પ્રદર્શનમાં ભાગ લીધો હતો. મેન્ટર રાકેશ ગોહિલે જણાવ્યું હતું કે, 3 દિવસ ચાલેલાં આ પ્રદર્શનમાં શહેરીજનોનો ખૂબ જ સારો અને સરાહનીય અદભૂત પ્રેમ મહિલા ચિત્રકારોને મળ્યો છે. આ સિવાય વિવિધ શાળાના આચાર્યો સહિત વાસ્તુશાસ્ત્રના સ્નાતકોએ પણ એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી. પ્રથમ દિવસને બાદ કરતાં બીજો અને ત્રીજો દિવસ પ્રદર્શનમાં મુલાકાતીઓથી ગાજેલો રહ્યો હતો. અમુક લોકોએ પોતાના મુજબના પેઈન્ટીંગ્સ બનાવવા માટે મહિલા ચિત્રકારોને ઓર્ડરો આપ્યાં હતાં.

જ્યારે અમુક લોકોએ પ્રદર્શનમાં મૂકેલાં ચિત્રો જ સ્થળ ઉપર ખરીદી લીધાં હતાં. મહિલા ચિત્રકાર ભાવિની ગોળવાલાએ જણાવ્યું હતું કે કુલ 150 જેટલાં ચિત્રો પ્રદર્શનમાં મૂકાયાં હતાં અને અમારી ટીમ દરેક સભ્યોને ચિત્રો બનાવવાના ઓર્ડરો મળ્યાં છે તથા એક્ઝિબિશન દરમિયાન જ 40 જેટલાં ચિત્રો વેચાયાં છે. અમુક લોકોએ પોતાના બેડરૂમ અને બેઠકરૂમને અનુરૂપ ઓર્ડરો આપ્યાં છે. જ્યારે અમુક લોકોએ પોતાની ધંધાકીય ઓફિસોમાં પોઝીટીવ વાતાવરણને વધુ પ્રબળ બનાવે તેવાં ચિત્રો બનાવી આપવા માટે ચિત્રકારોને ખાનગીમાં ઓર્ડરો આપી તેમના સંપર્ક નંબરો પણ લીધાં હતાં. સુરત શહેર વીવર અગ્રણી મયૂર ગોળવાલાએ પણ એક્ઝિબિશનની મુલાકાત લઈ પ્રદર્શિત 2 ચિત્રોનો ઓર્ડર આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

About The Author

Related Posts

Top News

પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

તેલંગાણાના નિર્મલ જિલ્લાના આ ચૂંટણીના સમાચાર સાબિત કરે છે કે, દરેક લોકોએ મત આપવો કેટલો મહત્વપૂર્ણ હોય છે. અહીં...
National 
પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.