ચૂંટણી જીતેલા ભાજપના સાંસદોએ 14 દિવસમાં નિર્ણય કરવો પડશે નહિતર…

ભાજપે આ વખતે 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં એક નવો પ્રયોગ કર્યો હતો અને 21 જેટલા સાંસદોને ટિકીટ આપી હતી. તેમાંથી 12 સાંસદો જીતી ગયા છે અને 9 હારી ગયા છે. હવે સવાલ એ છે કે આ સાંસદો લોકસભા અને વિધાનસભા એમ બંને ગૃહોમાં ડબલ સવારી કરી શકશે?

તો નિયમ એવો છે કે 14 દિવસની અંદર 12 સાંસદોએ કોઇ પણ એક બેઠક છોડવી પડશે. મતલબ કે ક્યાં લોકસભામાં રહેવું કે વિધાનસભામાં એ નક્કી કરીને કોઇ પણ એક છોડવી પડશે. 14 દિવસની અંદર જો નિર્ણય લેવામાં ન આવે તા સંસદ સભ્ય પદ ગુમાવવાનો વારો આવી શકે છે.

બંધારણના અનુચ્છેદ 101 (2) મુજબ જો કોઇ લોકસભા સભ્ય વિધાનસભાની ચૂંટણી લડે  છે અને જીતે છે તો ચૂંટણી પંચના નોટિફિકેશન જારી થયા પછી 14 દિવસની અંદર ક્યાં તો સાંસદ તરીકે અથવા ધારાસભ્ય તરીકે રાજીનામું આપવું પડશે. મતલબ કે બે ઘોડા પર સવારી નહીં કરી શકે. માત્ર એક જ પદ મળી શકશે.

Related Posts

Top News

જગદીપ ધનખડના રાજીનામા પર કોંગ્રેસનું પોલિટિક્સ, ડીનર પાર્ટી રાખી?

જગદીપ ધનખડે રાજ્યસભામાં 21 જુલાઇથી ચોમાસા સત્રની શરૂઆત થઇ એ જ દિવસે રાત્રે ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપીને આખા દેશને ચોંકાવી...
Politics 
જગદીપ ધનખડના રાજીનામા પર કોંગ્રેસનું પોલિટિક્સ, ડીનર પાર્ટી રાખી?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

આજના મુહૂર્તતારીખ -29-7-2025વાર - મંગળવારમાસ - તિથિ-  શ્રાવણ સુદ છઠઆજની રાશિ - કન્યા આજના ચોઘડિયાલાભ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PM મોદી અને બ્રિટન પ્રધાનમંત્રીને ચા પિવડાવનાર ગુજરાતી કોણ છે?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તાજેતરમાં બ્રિટનના પ્રવાસે ગયા હતા અને ત્યાં તેમણે બ્રિટનના પ્રધાનમંત્રી કીર સ્ટાર્મરના સત્તાવાર PM હાઉસ પર ચાય...
World 
PM મોદી અને બ્રિટન પ્રધાનમંત્રીને ચા પિવડાવનાર ગુજરાતી કોણ છે?

ગાંધીનગર ગિફ્ટ સિટીમાં મિલ્કત લેનારા ભેરવાયા, 1000 કરોડનું કૌભાં*ડ

ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ વર્લ્ડ ટ્રેડ સેન્ટર (WTC) ઘોંચમાં પડ્યો છે. આ પ્રોજેક્ટમાં 1297 રોકાણકારો સાથે 1000 કરોડ...
Business 
ગાંધીનગર ગિફ્ટ સિટીમાં મિલ્કત લેનારા ભેરવાયા, 1000 કરોડનું કૌભાં*ડ
Copyright (c) Khabarchhe All Rights Reserved.