મુસ્લિમ પરિવારે મા દુર્ગાની પ્રતિમા સ્થાપિત કરી, કહ્યું- હિંદુ-મુસલમાન વચ્ચે...

અનેક વખત જીવલેણ હુમલા થયા, અનેક વખત મૌલવીઓએ ફતવા બહાર પાડ્યા છતા, ઉત્તર પ્રદેશની એક મુસ્લિમ મહિલા દર નવરાત્રિમાં તેના ઘરે મા-દુર્ગાની પ્રતિમા સ્થાપિત કરે છે, આ વખતે પણ કરી છે.

ઉત્તર પ્રદેશના અલીગઢમાં, એક મુસ્લિમ પરિવારે હિંદુઓના પવિત્ર તહેવાર નવરાત્રી દરમિયાન મા દુર્ગાની મૂર્તિ સ્થાપિત કરી છે. સાથે ઉપવાસ પણ રાખ્યા છે. પરિવારે કહ્યું કે,હિન્દુ-મુસ્લિમ ભાઈચારો વધે તેના માટે મા-દુર્ગાની પૂજા શરૂ કરી.

આજથી એટલે કે 15 ઓક્ટોબર, રવિવારથી શારદાનવરાત્રીનો પ્રારંભ થયો છે. ભક્તોએ કળશ સ્થાપિત કરીને દેવી દુર્ગાની પૂજા શરૂ કરી દીધી છે. આ કડીમાં અલીગઢના એક મુસ્લિમ પરિવારે પણ એક અનોખી પહેલ કરીને પોતાના ઘરે માતાની મૂર્તિ સ્થાપિત કરી છે.મુસ્લિમ પરિવારે નવરાત્રિના ઉપવાસ પણ રાખ્યા છે.

મુસ્લિમ પરિવારે નવરાત્રિના તહેવારમાં મા દુર્ગાની પ્રતિમા સ્થાપિત કરી છે અને સાથે સનાતન ધર્મ મુજબ પૂજાપાઠ પણ કર્યા છે. પરિવારનું કહેવું છે કે અલ્લાની સાથે સાથે તેમને દેવી-દેવતાઓમાં પણ ઉંડી શ્રદ્ધા છે. તેમનું માનવું છે કે મા- દુર્ગાની પ્રતિમા સ્થાપિત કરવાને કારણે હિંદૃમુસલમાન વચ્ચે ભાઇચારો વધશે.

અલીગઢના જૂના શહેરની રહેવાસી રૂબીએ રવિવારે નવરાત્રિના પ્રારંભે સનાતન ધર્મના રિવાજ મુજબ પોતાના ઘરમાં મા દુર્ગાની મૂર્તિની સ્થાપના કરી હતી. પરિવારજનોએ ઉપવાસ રાખી માતાની પૂજા કરી હતી. પરિવારનું કહેવું છે કે તેઓ હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મનું પાલન કરે છે. દેશમાં શાંતિ સુનિશ્ચિત કરવા માટે, અમે ભગવાન અને અલ્લાહ બંનેની પૂજા કરીએ છીએ. જો કોઈ તેમને દુર્ગાની પૂજા કરતા અટકાવે અથવા ફતવો બહાર પાડે તો તેનાથી તેમને કોઈ ફરક પડતો નથી. તેઓ અલ્લાહ અને ભગવાનમાં માનતા રહેશે.

મુસ્લિમ પરિવાર સાથે સંબંધ રાખનાર રૂબીના પતિ આસિફ પણ તેણીને સહયોગ કરે છે. રૂબી ભારતીય જનતા પાર્ટીના જયગંજ મહિલા મોર્ચાની મંડલ ઉપાધ્યક્ષ પણ છે. છેલ્લાં અનેક વર્ષોથી રૂબી ગણેશ ચતુર્થી પર ભગવાન ગણેશની પ્રતિમા પણ સ્થાપિત કરે છે. નવરાત્રિમાં પણ દરેક વખતે મા- દુર્ગાની પ્રતિમા સ્થાપિત કરે છે, જે પરંપરા રૂબીએ આ વર્ષે પણ યથાવત રાખી છે.

રૂબી પર આ પહેલા અનેક વખત જીવલેણ હુમલા થઇ ચૂક્યા છે. અનેક મૌલવીઓ તેની સામે ફતવો પણ જારી કરી ચૂક્યા છે. રૂબીને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. રૂબી કહે છે કે તે ભગવાન અને અલ્લાહ બંનેમાં માને છે. બંનેની પૂજા કરે છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.